ઇન્ડિયાફર્સ્ટ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
ભારતને એક નવા સ્તરે લઈ જાય છે, લોકોના જીવનને સુખમયબનાવે છે!

દર વર્ષે રીન્યૂ થઈ શકતી જીવનવીમા પૉલિસી પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના એ બચત બેંક ખાતું ધરાવતી કોઇપણ વ્યક્તિને ઉપલબ્ધ થાય છે. આ પ્લાન સરળ અને ઝડપી પ્રક્રિયા મારફતે ગ્રાહકોને જીવનવીમા કવચ પૂરું પાડે છે.
ખરીદવાના કારણો ઇન્ડિયાફર્સ્ટ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
પરવડે તેવા માનક દરોએ જીવનવીમા કવચ પૂરું પાડે છે
અણધારી ઘ્નાના ક્રકર્સસામાં આઇએનઆર 2,00,000ના જીવનવીમાની સાથેઆપના પક્રરવારની સરુક્ષા કરે છે
ઓછામાં ઓછા દર્સિાવજીે કરણની સાથેઆ સરળ પ્રક્રિયા મારફિેઆપનો સમય બચાવેછે
પૉલલસીને‘ઑવર ધી કાઉડ્ર’ મળે વી આપના વીમાકવચનો ઝિપથી પ્રારંભ કરો
આપના બેંક ખાતામાંથી પ્રીમિયમ ઑટો ડેબિટ કરાવીને પૉલિસીને રીન્યૂ કરવાની પ્રક્રિયાને સરળ બનાવો
પાકતી મુદતે કોઈ લાભ નહીં (કોઈ મેચ્યોરીટી બેનિફિટ નહીં)
આવકવેરાના પ્રવર્તમાન કાયદા મુજબ કલમ 80 સી અને કલમ 10 (10ડી) હેઠળ કરબચતનો લાભ મેળવો
શું છે? પાત્રતાના માપદંડ
પ્રવશે ની લઘત્તુ મ વયમયાટદા 18 વર્ષટઅનેમહત્તમ વયમયાટદા 50 વર્ષટછે
પાકતી મુદતે મહત્તમ વય 55 વર્ષ છે
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના
138 કરોડની વસતી ધરાવતો ભારત ખૂબ જ મોટો અને વિપુલ ક્ષમતા ધરાવતો દેશ છે. ભારતની અંદાજે 72% વસતી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. આજે દેશ જે સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યો છે, તે છે નાણાકીય સમાવેશન. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ એક સરકારી સામાજિક સુરક્ષા યોજના છે અને તે સામાજિક સુરક્ષાની દિશામાં માંડવામાં આવેલું એક મહત્વપૂર્ણ ડગલું છે.
અહીં નાણાકીય સમાવેશનનો અર્થ સમાજમાં દરેક વ્યક્તિને તેમની વય, જાતિ કે નાણાકીય સ્થિતિને ધ્યાન પર લીધા વિના બેંકિંગ સુવિધા અને નાણાકીય ઉપાયો પ્રાપ્ત થાય તેની ખાતરી કરવી એવો થાય છે. અહીં ઉદ્દેશ્ય ભારતની પ્રગતિના મીઠા ફળ કોઇપણ પ્રકારના ભેદભાવ વગર સૌ કોઇને ચાખવા મળે તે છે. ભારતના ઘણાં પરિવારો બચત ખાતું અથવા તો બેંકિગ અને નાણાકીય સવલતો ધરાવતા નથી. નાણાકીય સમાવેશન એ એક પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ્ય વ્યક્તિના આર્થિક અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃતિ પેદા કરવાનો અને દરેક વ્યક્તિને જરૂરી હોય તેવી સેવાઓ સંબંધિત ઉપાયો પૂરાં પાડવાનો છે.
મોટાભાગની બેંકોમાં આપ બચત ખાતું ખોલાવો કે અન્ય બેંકિંગ સેવાઓ મેળવવાનું શરૂ કરો તે પહેલાં આપે કેટલાક ચોક્કસ માપદંડો પૂરાં કરવા પડે છે. પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેવી નાણાકીય સમાવેશનની પહેલ આ અવરોધોને દૂર કરનારા ઉપાયોનું સર્જન કરીને સમાજના તમામ તબક્કાઓના લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાની આશા રાખે છે.
વર્ષ 2015ના બજેટમાં જાહેર કરવામાં આવેલ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અથવા તો PMJJBY પૉલિસી એ ભારત સરકાર દ્વારા સમર્થિત ભારતીય જીવન વીમા યોજના છે. દર વર્ષે રીન્યૂ કરાવી શકાતી પીએમ જીવન જ્યોતિ વીમા યોજના આપને વાર્ષિક જીવન વીમાકવચ અને PMJJBYના વીમાકવચની મુદત દરમિયાન પૉલિસીધારકના અવસાનના કિસ્સામાં રૂ. 2,00,000ની મૃત્યુ સંબંધિત લાભની નિશ્ચિત રકમ ચૂકવે છે.
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને તેના સંબંધિત પ્રકારો લોકોને પૂરાં પાડવા માટે ભારતની જીવન વીમા કંપનીઓએ બેંકિંગ સંસ્થાઓ સાથે સહભાગીદારી કરી છે, જેથી કરીને સૌ કોઈને એકસમાન શરતોએ PMJJBYનું જીવન વીમાકવચ પ્રાપ્ત થાય.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો ઉદ્દેશ્ય જેઓ બચત બેંક ખાતું ધરાવે છે, તેવા આપના તમામ બેંકિંગ ગ્રાહકોને વીમો પૂરો પાડવાનો છે. પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ બેંક માસ્ટર પૉલિસીધારક તરીકે કામ કરતી હોવાથી આ ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન પોતાના વર્તમાન અને નવા ગ્રાહકોને પરવડે તેવા દરોએ જીવન વીમાકવચ પૂરું પાડવા માગતી બેંકો માટે શ્રેષ્ઠ છે.
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની વિશેષતાઓ કઈ છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, દર વર્ષે રીન્યૂ કરી શકાતો ગ્રૂપ પ્રોટેક્શન પ્લાન છે, જેને બચત બેંક ખાતું ધરાવતા બેંકના ગ્રાહકોના ગ્રૂપને પૂરો પાડવામાં આવે છે.
જીવનની એક બાબત તો નિશ્ચિત છે કે, આપ અને આપના પ્રિયજનો જીવનમાં ઘણી અનિશ્ચિતતાઓનો સામનો કરશો, જેથી આપે આપની સુખાકારી અને સુખચેન માટે આગોતરું આયોજન કરવું પડશે. પોતાના પ્રિયજનોની નાણાકીય સુરક્ષાની ખાતરી કરવી એ કોઇપણ પુખ્ત વ્યક્તિની મુખ્ય જવાબદારી છે, ખાસ કરીને આપ જો પરિવારની કમાણી કરનારી મુખ્ય વ્યક્તિ હો ત્યારે. કોઇપણ કમનસીબ ઘટનામાં આપનો દુઃખી પરિવાર એવી દુવિધામાં ન મૂકાઈ જવો જોઇએ કે હવે આપણે દેણદારીઓને કેવી રીતે ચૂકતે કરીશું અને આપણાં સપનાઓને સાકાર કેવી રીતે કરીશું. યોગ્ય વીમાકવચ ધરાવતી જીવન વીમા પૉલિસી મેળવવી એ આપના પરિવારની નાણાકીય સુરક્ષાની ખાતરી કરવાનો એક સર્વસામાન્ય માર્ગ છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા પૂરો પાડવામાં આવતો PMJJBY વીમા પ્લાન ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન તરીકે કામ કરે છે અને માસ્ટર પૉલિસીધારકના ગ્રૂપમાં રહેલા તમામ સભ્યોને પ્યોર પ્રોટેક્શનના લાભ પૂરાં પાડે છે. વ્યક્તિગત પ્યોર પ્રોટેક્શન પૉલિસીમાં વ્યક્તિ પોતે પૉલિસીધારક અને વીમાકૃત વ્યક્તિ હોય છે. પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારકના અકાળે અવસાનના કિસ્સામાં પૉલિસીના દસ્તાવેજમાં સૂચિબદ્ધ થયેલા લાભાર્થીઓને મૃત્યુ સંબંધિત લાભ તરીકે વીમાકૃત રકમ પ્રાપ્ત થાય છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના કિસ્સામાં પૂરું પાડવામાં આવતું PMJJBY વીમાકવચ ગ્રૂપ વીમાકવચ હોય છે. ગ્રૂપ ટર્મ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાનમાં પસંદ કરવામાં આવેલ જીવન વીમા યોજના એક જ પૉલિસીના કરાર હેઠળ ગ્રૂપના તમામ લોકોને આવરી લે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પીએમ જીવન જ્યોતિ બીમા યોજનામાં પોતાના ગ્રાહકોના જીવનને સુરક્ષિત બનાવવા ઇચ્છતિ બેંક અથવા નાણાકીય સંસ્થા માસ્ટર પૉલિસીધારક હોય છે. તેની સાથે-સાથે સહભાગી થઈ રહેલી નાણાકીય સંસ્થામાં બચત બેંક ખાતું ધરાવતા લોકો તેના સભ્યો છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની મુખ્ય વિશેષતાઓ
પૉલિસીધારક એટલે કે બેંક અથવા નાણાકીય સંસ્થા માટેઃ
- આપ હવે પ્રધાન મંત્રી વીમા યોજના હેઠળ આપના તમામ ગ્રાહકોને પરવડે તેવા નિશ્ચિત દરોએ જીવન વીમાકવચ પૂરું પાડી શકો છો.
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના આપને PMJJBY પ્લાનના વર્ષ દરમિયાન નવા સભ્યને ઉમેરવાની સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે.
સભ્યો એટલે કે, સહભાગી થઈ રહેલી બેંકમાં બચત બેંક ખાતાધારકો માટેઃ
- આપને આપના પ્રિયજનોને સુરક્ષા પૂરી પાડવાની તક પ્રાપ્ત થાય છે, કારણ કે, આપને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ખૂબ જ પરવડે તેવી કિંમતે જીવન વીમાકવચ પ્રાપ્ત થાય છે.
- સભ્ય/વીમાકૃત વ્યક્તિના નિધનની કમનસીબ ઘટનામાં PMJJBY પ્લાન હેઠળ નોમીની/નિમવામાં આવેલ વ્યક્તિ/કાનૂની વારસદારોને રૂ. 2 લાખ જેટલી વીમાકૃત રકમ ચૂકવવાત્ર થાય છે.
- આપ ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80સી હેઠળ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર કર સંબંધિત લાભ માણી શકો છો.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કેવી રીતે કામ કરે છે?
એક ગ્રૂપ પ્રોટેક્શન પ્લાતરીકે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના રૂ. 2 લાખનું નિશ્ચિત વીમાકવચ પૂરું પાડે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ PMJJBY પ્લાનમાં પ્રવેશેલા તમામ સભ્યોને પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ આ સમાન રકમનું વીમાકવચ પ્રાપ્ત થશે. દર વર્ષે રીન્યૂ કરી શકાતા પ્લાન તરીકે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના PMJJBY પ્લાનને ઇશ્યૂ કરવાની તારીખથી એક વર્ષના સમયગાળા માટે ગ્રૂપના તમામ સભ્યોને PMJJBY વીમાકવચ પૂરું પાડે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો હિસ્સો કોણ બની શકે?
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા પૂરાં પાડવામાં આવતો પ્રધાન મંત્રી ઇન્શ્યોરેન્સ પ્લાનમાં માસ્ટર પૉલિસીધારક અને ગ્રૂપના સભ્યોનો સમાવેશ થાયછે.
- જીવનની અનિશ્ચિતતાઓ સામે પોતાના સભ્યોના પરિવારની સુરક્ષા કરવા પોતાના ગ્રાહકો કે સભ્યોને PMJJBYનું વીમાકવચ પૂરું પાડવા માંગતી બેંક કે નાણાકીય સંસ્થા માસ્ટર પૉલિસીધારક હોય છે. માસ્ટરપૉલિસીધારક એ છે, જે PMJJBY પ્લાન ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વીમાકવચ પ્રાપ્ત કરનારા લોકો ગ્રૂપના સભ્યો હોય છે. PMJJBY વીમાકવચ દ્વારા બાંયધરીપૂર્વક પૂરાં પાડવામાં આવતાં મૃત્યુ સંબંધિત લાભ સહભાગી થઈ રહેલાં સભ્યનું નિધન થવા પર ચૂકવવાપાત્ર રહે છે. પહેલીવાર વીમાકવચ માટે અરજી કરતી વખતે સભ્ય પાસે બચત બેંક ખાતું હોવું જોઇએ અને તે 18થી 50 વર્ષની વયજૂથની કોઇપણ વ્યક્તિ હોઈ શકે છે.
- એક અથવા એકથી વધારે બેંકમાં એકથી વધુ બચત બેંક ખાતા ધરાવનારી વ્યક્તિના કિસ્સામાં તેઓ ફક્ત કોઈ એક જ બચત બેંક ખાતા મારફતે PMJJBY પ્લાનમાં જોડાવા માટે પાત્ર ગણાય છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પ્રીમિયમના વિકલ્પો કયા છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ પ્રીમિયમની એક જ વખતમાં ચૂકવણી કરવાનો પ્લાન છે, જેનો અર્થ એ છે કે, આપે આ પ્લાનના રીન્યૂઅલ સુધી તેની સંપૂર્ણ મુદત દરમિયાન પ્લાનના લાભ મેળવવા PMJJBYના વીમાકવચ માટે વર્ષમાં એક જ વખત ચૂકવણી કરવાની રહે છે.
ગ્રૂપના સભ્યો અથવા તો બચત બેંક ખાતાધારકો રૂ. 330ના વાર્ષિક લધુત્તમ પ્રીમિયમ વત્તા લાગુ થતાં કોઈ કર, સેસ અને વસૂલવામાં આવતાં અન્ય કોઈ કર ચૂકવીને PMJJBYનું વીમાકવચ મેળવે છે. માસ્ટર પૉલિસીધારક અથવા બેંક વીમાકંપનીને પ્રીમિયમ ચૂકવે છે અને બેંક દ્વારા PMJJBY પ્લાનનું પ્રીમિયમ સભ્યના બેંક ખાતામાંથી એક જ હપ્તામાં આપમેળે કાપી લેવામાં આવે છે.
સભ્યોને પ્લાનના વર્ષના એક ચોક્કસ સમયગાળા દરમિયાન જ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાવાની મંજૂરી આપવામાં આવે છે. PMJJBY પૉલિસી હેઠળ પૂરું પાડવામાં આવતું વીમાકવચ પ્રીમિયમના નિશ્ચિત દરે અગાઉથી નિર્ધારિત શરૂઆત અને અંતની તારીખની સાથે એક વર્ષના નિશ્ચિત સમયગાળા માટે હશે.
સભ્ય જો પ્લાનના વર્ષ દરમિયાન ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પીએમ જીવન જ્યોતિ વીમા યોજનામાં પ્રવેશવા માગે તો, PMJJBYના વીમાકવચની શરૂઆતથી ત્રણ મહિના સુધી ભાવિ વીમાકવચ માટે મોડા પ્રવેશ આપવાનું શક્ય છે. આ પ્રકારે પાછળથી પ્રવેશનારા સભ્યે સારા સ્વાસ્થ્યનું સ્વ-પ્રમાણપત્ર જમા કરાવવાની સાથે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ભાવિ વીમાકવચ માટે પૂરેપૂરું વાર્ષિક પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કયા પ્રકારના ક્લેઇમને આવરી લેવામાં આવ્યાં છે?
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈ બાકાતીઓ નથી. રિસ્ક કવર શરૂ થયાં પછી જો ગ્રૂપના કોઈ સભ્યનું કોઇપણ કારણોસર મૃત્યુ થાય છે, તો તેનાથી માન્ય ક્લેઇમ કરી શકાય છે. વીમાકૃત વ્યક્તિનું મૃત્યુ કોઇપણ કારણોસર થાય તો, PMJJBYનું વીમાકવચ પૉલિસીના નોમીની/લાભાર્થીને રૂ. 2,00,000નો મૃત્યુ સંબંધિત લાભ પૂરો પાડે છે.
PMJJBY પ્લાન સભ્યોને વાર્ષિક જીવન વીમાકવચ પૂરું પાડે છે અને વીમાકૃત વ્યક્તિના અવસાનના કિસ્સામાં નોમીનીને મૃત્યુ સંબંધિત લાભ પૂરો પાડે છે. નોમીનીને પૂરી પાડવામાં આવતી PMJJBYના વીમાકવચની રકમ કરમુક્ત હોય છે. નાણાકીય સમાવેશનના લક્ષ્ય પ્રત્યેની કટબિદ્ધતા તરીકે પીએમ જીવન જ્યોતિ વીમા યોજના ચિંતામુક્ત અને ક્લેઇમની સીધીસરળ પ્રક્રિયા ધરાવે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભ કયા છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ એક વર્ષની પ્યોર પ્રોટેક્શન લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી છે, જેને દર વર્ષે રીન્યૂ કરાવી શકાય છે. PMJJBY પ્લાન હેઠળ પૂરાં પાડવામાં આવતાં પ્રાથમિક લાભ તરીકે પૉલિસીધારકના અકાળે અવસાન થઈ જવાના કિસ્સામાં નોમીનીને મૃત્યુ સંબંધિત વીમાકવચ પૂરું પાડવામાં આવે છે.
પ્રધાનમંત્રી જીવન વીમા યોજના એ એક પ્યોર ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન છે, જે મૃત્યુ સંબંધિત લાભ પૂરાં પાડે છે. PMJJBY પ્લાનની સાથે રોકાણનું કોઇપણ ઘટક જોડાયેલું નથી. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ એક સરળ અને સીધોસાદો પ્લાન છે, જે બચત બેંક ખાતાધારકોને એક સુવ્યવસ્થિત થયેલ વીમાકવચનો વિકલ્પ પૂરો પાડે છે.
બેંકોએ તેના ગ્રાહકો માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ખરીદવાનું શા માટે વિચારવું જોઇએ?
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના આપના વર્તમાન અને સંભવિત ગ્રાહકોને મૂલ્યવર્ધિત સેવાઓ પૂરી પાડવાનો એક અદભૂત માર્ગ છે. PMJJBY પૉલિસી આપને એ દર્શાવવાનો મોકો આપે છે કે, આપ આપના ગ્રાહકોના નાણાકીય સ્વાસ્થ્યની કાળજી લો છો, બેંક ખાતાની સેવાઓથી માંડીને જીવનના જોખમોને આવરી લેવા સુધી. એક જ કરારની સાથે આપ આપના તમામ બચત ખાતાધારકોને પરવડે તેવા દરોએ ખૂબ જ સરળતાથી નાણાકીય સુરક્ષા પૂરી પાડી શકો છો.
- ગ્રાહક દ્વારા સંચાલિત થતાં વિશ્વમાં તેમને ફક્ત આકર્ષવા જ પૂરતું નથી, આપે તેમને પોતાની સાથે જાળવી રાખવા માટે પણ મહેનત કરવી પડે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ ગ્રાહકોને જાળવી રાખવાના સાધન તરીકે કામ કરે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સભ્યોને કેવી રીતે લાભદાયી થાય છે?
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્લાનમાં પ્રવેશેલા તમામ સભ્યોને ખૂબ જ નીચી કિંમતે એક સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવેલ રિસ્ક કવરેજ પૂરું પાડે છે.
- પીએમ જીવન જ્યોતિ વીમા યોજના આત્મહત્યા સહિત કોઇપણ બાબાતને બાકાત રાખતી નથી. કોઇપણ કારણસર થયેલા મૃત્યુને PMJJBY પૉલિસી હેઠળ આવરી લેવામાં આવી છે.
- અન્ય કોઈ પ્યોર પ્રોટેક્શન ટર્મ પ્લાનમાં આપના પ્રીમિયમના દરને નક્કી કરવામાં વય એ મહત્વનું પરિબળ હશે પરંતુ PMJJBY વીમાકવચ હેઠળ આપની વય પ્રીમિયમની રકમને જરાયે પ્રભાવિત કરશે નહીં. તેમાં વય માટે ફક્ત એક જ માપદંડ લાગુ થાય છે, જે મુજબ ખાતાધારકની વય આ પ્લાનમાં પ્રવેશતી વખતે 18થી 50 વર્ષની વચ્ચે હોવી જોઇએ. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નોમીનીને એક નિશ્ચિત પ્રીમિયમે મૃત્યુ સંબંધિત લાભ તરીકે રૂ. 2,00,000નું નિશ્ચિત વીમાકવચ પૂરું પાડે છે.
- જો આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની શરૂ થવાની વાર્ષિક તારીખ ચૂકી ગયાં હો તો પણ આપ આપની જોડાવાની તારીખ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા પ્રો-રેટેડ પ્રીમિયમને ચૂકવ્યાં પછી આ યોજનામાં પ્રવેશ મેળવી શકો છો.
- PMJJBY પ્લાનમાં જોડાવું એ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે.
- માસ્ટર પૉલિસીધારક/બેંક વીમાકંપનીને સંચિત ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્રીમિયમ ચૂકવે છે પરંતુ આ રકમ સભ્યના બેંક ખાતામાંથી કપાઈ જશે. તે જ રીતે, માસ્ટર પૉલિસીધારક માટે કોઈ કરકપાત લાગુ થતી નથી. જોકે, ગ્રૂપના સભ્યો ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80સી હેઠળ કરકપાતનો દાવો કરી શકે છે. નોમીની દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ રૂ. 2,00,000નો મૃત્યુ સંબંધિત લાભ પણ ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 10(10ડી) હેઠળ કરમુક્ત ગણાય છે. જોકે, આ બાબતો સરકારના કર સંબંધિત કાયદાઓ મુજબ સમયાંતરે બદલાવાને આધિન છે.
આપે શા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પસંદ કરવી જોઇએ?
- પરવડે તેવા સ્ટાન્ડર્ડ દરોએ જીવન વીમાકવચ મેળવવાની તક
- અણધારી ઘટના ઘટવાના કિસ્સામાં રૂ. 2,00,000ના જીવન વીમાકવચની સાથે આપના પરિવારની સુરક્ષા કરો
- ઓછામાં ઓછા દસ્તાવેજીકરણની સાથે આ સરળ પ્રક્રિયા મારફતે સમયની બચત
- ઓવર-ધી-કાઉન્ટર જ પૉલિસી ઇશ્યૂ થઈ જતી હોવાથી ઝડપથી વીમાકવચ શરૂ કરો
- આપના બેંક ખાતામાંથી પ્રીમિયમ આપમેળે કપાઈ જતું હોવાથી પૉલિસીને રીન્યૂ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે
- પ્રવર્તમાન કર સંબંધિત કાયદા મુજબ કલમ 80 સી અને કલમ 10(10ડી) હેઠળ કર સંબંધિત લાભ મેળવો
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટેના પાત્રતાના માપદંડો કયા છે?
- PMJJBY પ્લાન હેઠળ સભ્ય એ વીમાકૃત વ્યક્તિ હોય છે. આ પ્લાનમાં પ્રવેશવાની લઘુત્તમ વયમર્યાદા છેલ્લાં જન્મદિવસ મુજબ 18 વર્ષ છે.
- PMJJBY વીમા પ્લાન હેઠળ આ પ્લાનમાં પ્રવેશવાની મહત્તમ વયમર્યાદા નજીકના જન્મદિવસે 50 વર્ષની છે.
- પ્રધાન મંત્રી વીમા હેઠળ પાકતી મુદતે મહત્તમ વય નજીકના જન્મદિવસે 55 વર્ષની છે.
- PMJJBY વીમાકવચ પૂરું પાડવા માટે ગ્રૂપનું લઘુત્તમ કદ 50 સભ્યનું હોવું જોઇએ. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ગ્રૂપના મહત્તમ કદ પર કોઈ મર્યાદા નથી.
- PMJJBY વીમાકવચ રૂ. 2,00,000નું નિશ્ચિત રિસ્ક કવર ધરાવે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ તમામ સભ્યોને એકસમાન શરતોએ વીમાકવચ પૂરું પાડવામાં આવે છે.
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પાકતી મુદતના કે જીવિત રહેવા સંબંધિત કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેતા નથી.
- PMJJBY પ્લાન માટેની પ્રીમિયમની રકમ ભાગ લઈ રહેલી બેંકના ખાતાધારકના બચત ખાતામાંથી સીધી જ આપમેળે કાપી લેવામાં આવશે.
- PMJJBYનું વીમાકવચ મેળવવા માટે સભ્યનું આધાર કાર્ડ ભાગ લઈ રહેલી બેંકના ખાતા સાથે લિંક થયેલું હોવું જોઇએ.
- લીન (ધારણાધિકાર)નો સમયગાળો (પૉલિસી શરૂ થાય તે પહેલાનો સમય) પ્રધાન મંત્રી જીવન બીમા યોજનામાં પ્રવેશવાની તારીખથી 45 દિવસનો છે.
ઉત્પાદન માર્ગદર્શિકા
એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
-
પ્રધાન મંત્રી ઇન્શ્યોરેન્સ સ્કીમ અથવા તો PMJJBY પૉલિસી શું છે?
PMJJBYનું પૂરું નામ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે. PMJJBY પ્લાન એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન છે, જે એક વર્ષ માટે માન્ય હોય છે અને ત્યારબાદ તેને રીન્યૂ કરી શકાય છે. પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વાર્ષિક રૂ. 330ના પરવડે તેવા દરોએ રૂ. 2,00,000ની વીમાકૃત રકમનું જીવન વીમાકવચ પૂરું પાડે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ એક ગ્રૂપ ઇન્શ્યોરેન્સ અને પ્યોર પ્રોટેક્શન પ્લાન છે, જેમાં ભાગ લઈ રહેલી બેંક/નાણાકીય સંસ્થાના ખાતાધારકોને PMJJBY પૉલિસીના લાભ પૂરાં પાડવામાં આવે છે.
-
PMSBY અને PMJJBY વચ્ચે શું તફાવત છે?
વર્ષ 2015ના કેન્દ્રીય બજેટમાં ભારત સરકારે દેશમાં નાણાકીય સમાવેશનની ખાતરી કરવા માટે સામાજિક સુરક્ષાની ત્રણ યોજનાઓની જાહેરાત કરી હતી. PMSBY અથવા પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના એ દર વર્ષે રીન્યૂ કરી શકાતી યોજના છે, જે આકસ્મિક મૃત્યુ અથવા વિકલાંગતા સંબંધિત વીમાકવચ પૂરું પાડે છે. વીમાકૃત વ્યક્તિના આકસ્મિક મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવી જવાના કિસ્સામાં રૂ. 2,00,000નું અને કાયમી આંશિક વિકલાંગતા આવી જવાના કિસ્સામાં રૂ. 1,00,000નું જીવન વીમાકવચ પૂરું પાડે છે. આ યોજનામાં ભાગ લઈ રહેલી બેંકમાં બચત ખાતું ધરાવતા 18થી 70 વર્ષની વચ્ચેની વયજૂથના લોકો તેમાં અરજી કરવા માટે પાત્ર ગણાય છે.
PMJJBY પૉલિસી અથવા પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ એક પ્યોર પ્રોટેક્શન સામાજિક સુરક્ષા વીમા યોજના છે, જેને દર વર્ષે રીન્યૂ કરી શકાય છે. PMJJBY પૉલિસી હેઠળ, કોઇપણ કારણોસર વીમાકૃત વ્યક્તિનું મૃત્યુ થવાના કિસ્સામાં આપને રૂ. 2,00,000નું જીવન વીમાકવચ પ્રાપ્ત થાય છે. આ યોજનામાં ભાગ લઈ રહેલા બેંકમાં બચત ખાતું ધરાવતા 18થી 50 વર્ષની વચ્ચેની વયજૂથના લોકો તેમાં અરજી કરવા માટે પાત્ર ગણાય છે.
-
શું હું PMJJBY પ્લાન અને PMSBY એમ બંને લઈ શકું?
હા, આપ PMJJBY પ્લાન અને PMSBY પ્લાન એકસાથે લઈ શકો છો. PMJJBY પ્લાન એ એક લાઇફ ઇન્શ્યોરેન્સ ટર્મ પ્લાન છે, જ્યારે PMSBY એ એક પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરેન્સ પ્લાન છે. બંને પ્લાન રૂ. 2,00,000નું જીવન વીમાકવચ પૂરું પાડે છે પરંતુ PMJJBY પૉલિસી કોઇપણ કારણોસર થયેલા મૃત્યુને વીમાકવચ પૂરું પાડે છે જ્યારે PMSBY પૉલિસી આકસ્મિક મૃત્યુ, પીટીડી અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતા અને પીપીડી અથવા કાયમી આંશિક વિકલાંગતાને વીમાકવચ પૂરું પાડે છે. આ બંને પ્લાન તેના વય અને પાત્રતાના અન્ય માપદંડો પૂરાં કરાનારા તમામ ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ છે.
-
શું PMJJBY કલમ 80સી હેઠળ કરકપાત માટે પાત્ર છે?
હા, આપ ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80સી હેઠળ કરકપાત માટે દાવો કરી શકો છો. વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવતાં પ્રીમિયમ માટે કરકપાતનો દાવો કરી શકાય છે. માસ્ટર પૉલિસીધારક અથવા તો બેંક વીમાકંપનીને પ્રીમિયમ ચૂકવે છે, જોકે, બેંક ઑટો-ડેબિટની સુવિધા મારફતે ખાતાધારકો પાસેથી આ રકમ વસૂલી લે છે. બેંક ચૂકવવામાં આવેલા પ્રીમિયમની સામે કર સંબંધિત કોઈ લાભ મેળવી શકતી નથી પરંતુ વ્યક્તિગત બેંક ખાતાધારક આ લાભ મેળવી શકે છે.
-
PMJJBY પ્લાન માટે વયમર્યાદા કેટલી છે?
PMJJBY પ્લાન માટે અરજી કરવા ગ્રૂપના સભ્ય અથવા બચત બેંક ખાતાધારક પ્લાનમાં પ્રવેશતી વખતે તેમના છેલ્લાં જન્મદિવસે ઓછામાં ઓછાં 18 વર્ષના હોવા જોઇએ. તો આ પ્લાનમાં પ્રવેશવાની મહત્તમ વયમર્યાદા નજીકના જન્મદિવસે 50 વર્ષની હોવી જોઇએ. PMJJBY પૉલિસી હેઠળ પાકતી મુદતે મહત્તમ વય નજીકના જન્મદિવસે 55 વર્ષની હોવી જોઇએ.
-
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની પ્રીમિયમની રકમ કેટલી છે?
પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ સભ્યના બેંક ખાતામાંથી આપમેળે કપાઈ જતાં રૂ. 330ના વાર્ષિક પ્રીમિયમે રૂ. 2,00,000નું જીવન વીમાકવચ પૂરું પાડવામાં આવે છે. PMJJBYનાં વીમાકવચને દર વર્ષે રીન્યૂ કરી શકાય છે. તેના વાર્ષિક પ્રીમિયમમાં ત્રણ ઘટકોનો સમાવેશ થાય છેઃ
- વીમાકંપનીને ચૂકવવાપાત્ર થતું પ્રીમિયમ સભ્ય દિઠ વાર્ષિક રૂ. 289 છે
- બેંક અથવા એજન્ટને પૂરું પાડવામાં આવતું વળતર સભ્ય દિઠ વાર્ષિક રૂ. 30 છે
- વહીવટી ખર્ચાઓને આવરી લેવા માટે ભાગ લઈ રહેલી બેંકને કરવામાં આવતી ભરપાઈ સભ્ય દિઠ વાર્ષિક રૂ. 11 છે
- રૂ. 330 એ PMJJBY વીમાકવચ માટે વાર્ષિક રીતે ચૂકવવામાં આવતું મૂળ પ્રીમિયમ છે. વધારાના લાગુ થતાં કર, સેસ અને અન્ય કરો લાગુ થઈ શકે છે.
-
PMJJBY વીમાકવચના લાભ શું છે?
પીએમ જીવન જ્યોતિ વીમા યોજના એ એક પ્યોર પ્રોટેક્શન ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન છે, જે વીમાકૃત વ્યક્તિ/બેંક ખાતાધારકનું નિધન થઈ જવાના કિસ્સામાં તેમના નોમીનીને રૂ. 2,00,000નો મૃત્યુ સંબંધિત લાભ પૂરો પાડે છે. PMJJBY પૉલિસી પાકતી મુદતે કે પ્લાનને સરેન્ડર કરાવતી વખતે કોઈ લાભ પૂરી પાડતી નથી.
PMJJBY પ્લાન એ વાર્ષિક રૂ. 330ની પરવડે તેવી કિંમતે જે-તે વર્ષ માટે સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવેલ રિસ્ક કવર પૂરું પાડે છે. પૉલિસીને ચાલું રાખવા માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ આઇટી એક્ટની કલમ 80સી હેઠળ કરકપાત માટે પાત્ર ગણાય છે. મૃત્યુ સંબંધિત લાભની રકમ ટેક્સેશનના વર્તમાન કાયદાઓની કલમ 10(10ડી) હેઠળ કરમુક્ત છે.