Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

મુખ્ય ખાસિયતો

લાઈફ કવર

15 કે 20 વર્ષ સુધીના લાઈફ ઈન્શ્યોરન્સ કવર દ્વારા તમારા પ્રિયજનો માટે લાંબા ગાળાની નાણાંકીય સુરક્ષા તૈયાર કરો.

cover-life

રોકડ બોનસ સાથે નિયમિત સર્વાઈવલ લાભ

તમારા ચાલતી રહેતી નાણાંકીય જરૂરીયાતોને પૂરી કરવા માટે પ્રીમિયમ ચૂકવણી અવધિ બાદ, જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો, રોકડ બોનસ સાથે નિયમિત નિશ્ચિત સર્વાઈવલ લાભ મેળવો.

wealth-creation

સંચિત લાભ માટે અનુકૂળ એક્સેસ

જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો, રોકડ બોનસ સાથે નિશ્ચિત સર્વાઈવલ લાભ સંચિત કરવાનો અને તેની પર જ અતિરિક્ત વ્યાજ મેળવવાનો અતિરિક્ત વિકલ્પ.

many-strategies

વેઈવર ઑફ પ્રીમિયમ સાથે સાતત્યતાની ખાતરી કરો

કપરી ઘટનાઓમાં પણ, અવરોધરહિત પોલિસીલાભની ખાતરી કરવા માટે વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર ઉમેરો.

many-strategies

વહેલું પ્રીમિયમ ચૂકવણી ડિસ્કાઉન્ટ

વહેલી ચૂકવણી કરીને, રીન્યૂઅલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટનો આનંદ ઉઠાવો, અને તમારા બચત પ્લાનને વધુ કિફાયતી બનાવો.

many-strategies

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ફોર્ચ્યૂન પ્લસ પ્લાનની ખરીદી કેવી રીતે કરવી?

પગલું 1

મૂળભૂત જાણકારી પૂરી પાડોઃ

નામ, મોબાઈલ નંબર, જન્મતારીખ અને લિંગ જેવી પાયાની જરૂરીયાતો દાખલ કરો.

choose-plan

પગલું 2

લાભ વિકલ્પો પસંદ કરોઃ

તમારી જરૂરીયાતો માટે ખાસ તૈયાર કરવામાં આવેલ પ્રીમિયમ ચૂકવણી અને સર્વાઈવલ લાભ/રોકડ બોનસ વિકલ્પો પસંદ કરો.

premium-amount

પગલું 3

તમારા ક્વૉટનું મૂલ્યાંકન કરોઃ

તમારા મૂલ્યાંકન માટે એક કસ્ટમાઈઝ્ડ ક્વૉટ જારી થશે.

select-stategy

પગલું 4

અમારા નિષ્ણાતો સાથે ચર્ચા કરોઃ

અમારા સેલ્સ પ્રતિનિધિ તમારી કોઈપણ પૂછપરછનો ઉકેલ લાવીને, આગામી પગલાંઓ વિશે તમને માર્ગદર્શન આપશે.

make-payments

પગલું 5

ચૂકવણી કરો:

ચૂકવણી કરીને તમારી અરજી સંપૂર્ણ કરો.

make-payments

તમારા પ્લાનનો ચિતાર મેળવો

alt

35 વર્ષે

અર્જુન, એક પારિવારીક વ્યક્તિ છે, જે 15 વર્ષની પોલિસી અવધિ માટે અને સમગ્ર પોલિસીની અવધિ દરમ્યાન રૂ।. 10,00,000ના લાઈફ કવર સાથે પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરતો ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ફોર્ચ્યૂન પ્લસ પ્લાન પસંદ કરે છે.

alt

વય 35-41

અર્જુન 6 વર્ષ માટે રૂ।. 1 લાખનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું (ટેક્સને બાદ કરતાં) નક્કી કરે છે અને સર્વાઈવલ લાભ વાર્ષિક ધોરણે મેળવવાનું પસંદ કરે છે.

alt

41 વર્ષે

41 વર્ષે, અર્જુન છટ્ઠા પોલિસી વર્ષથી મેચ્યોરિટી સુધી વાર્ષિક રૂ।. 37,500 મેળવે છે, જે નાણાંકીય આધાર પૂરો પાડે છે અને તે કારકિર્દી અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

alt

50 વર્ષે

50 વર્ષે, અર્જુન આ પોલિસીની મેચ્યોરિટી ઉજવે છે અને નિશ્ચિત સર્વાઈવલ પેઆઉટ તરીકે 8%ના દરે ઉચ્ચક રૂ।. 7,10,250% મેળવે છે, જે તેના નિવૃત્તિના વર્ષો માટે નાણાંકીય સ્થિરતા આપે છે.

alt
alt

35 વર્ષે

કાળજીપૂર્વક આયોજન કરનાર, અર્જુન, 15 વર્ષનો ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ફોર્ચ્યૂન પ્લસ પ્લાન પસંદ કરે છે, જે આવનારી નિવૃત્તિ માટે સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન રૂ।. 10,00,000ના લાઈફ કવર સાથે એક સુદ્રઢ નાણાંકીય આધાર પૂરો પાડે છે અને તેના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરે છે. 

alt

35-41 વર્ષે

અર્જુન 6 વર્ષ માટે રૂ।. 1 લાખનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું(ટેક્સને બાદ કરતાં) પસંદ કરે છે અને તેની આવનારી નિવૃત્તિ અને પરિવારના ભવિષ્ટ માટે એક સુદ્રઢ નાણાંકીય આધાર પૂરો પાડવાનું પસંદ કરે છે.

alt

50 વર્ષે

અર્જુન પોલિસીની મેચ્યોરિટીનો આનંદ માણે છે, પોતાની નિવૃત્તિ અને પરિવારની સુખાકારી તરફ એક સીમાચિહ્ન પગલાંરૂપે 8%ના દરે રૂ।. 11,04,631 મેળવે છે.

alt

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે લઘુતમ વય

Answer
  • 10x મૃત્યુ લાભ સાથે 20 વર્ષની પોલિસી અવધિ માટે 1 મહિનો

  • 10x મૃત્યુ લાભ સાથે 15 વર્ષની પોલિસી અવધિ માટે 3 વર્ષ

  • 7x મૃત્યુ લાભ સાથે 15 કે 20 વર્ષની પોલિસી અવધિ માટે 51 વર્ષ

પ્રવેશ સમયે મહત્તમ વય

Answer
  • 10x મૃત્યુ લાભ સાથે 50 વર્ષ

  • 7x મૃત્યુ લાભ માટે 60 વર્ષ

મેચ્યોરિટી સમયે લઘુતમ વય

Answer
  • 20 વર્ષની પોલિસી અવધિ માટે 20 વર્ષ

  • 15 વર્ષની પોલિસી અવધિ માટે 18 વર્ષ

મેચ્યોરિટી સમયે મહત્તમ વય

Answer
  • 10x મૃત્યુ લાભ સાથે 70 વર્ષ

  • 7x મૃત્યુ લાભ સાથે 80 વર્ષ

પ્રીમિયમ ચૂકવણી અવધિ

Answer
  • 6,7,8,9 અને 10 વર્ષના વિકલ્પો સામેલ છે

પોલિસી અવધિ વિકલ્પો

Answer
  • 15 વર્ષ કે 20 વર્ષમાંથી પસંદ કરો

મૃત્યુ પર સમ એશ્યોર્ડ

Answer
  • મૃત્યુ પર લઘુતમ સમ એશ્યોર્ડઃ  રૂ।. 168,000

  • મૃત્યુ પર મહત્તમ સમ એશ્યોર્ડઃ  બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન, કોઈ મર્યાદા નહીં

વાર્ષિક પ્રીમિયમ

Answer

લઘુતમ વાર્ષિક પ્રીમિયમઃ  રૂ।. 24,000

મહત્તમ વાર્ષિક પ્રીમિયમઃ  બોર્ડ દ્વારા માન્ય અન્ડરારાઇટિંગ પોલિસીને આધીન, કોઈ મર્યાદા નહીં

પ્રીમિયમ ચૂકવણી માધ્યમો

Answer

વાર્ષિક, અર્ધ-વાર્ષિક, ત્રિમાસિક અને માસિક વિકલ્પો સામેલ છે

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

View All FAQ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ફોર્ચ્યૂન પ્લસ પ્લાન શું છે?

Answer

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ફોર્ચ્યૂન પ્લસ લાઈફ ઈન્શ્યોરન્સ સેવિંગ્સ પ્લાન છે જે 15 કે 20 વર્ષની સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન લાઈફ ઈન્શ્યોરન્સ કવર આપે છે.  તમે (6,7,8,9 અને 10 વર્ષ) ટૂંકા સમય માટે પ્રીમિયમ ચૂકવવાની બાંયધરી આપી શકો છો, અને વળતરરૂપે, તે કોઈ અણધારી ઘટનામાં તમારા પરિવારજનોને નાણાંકીય સુરક્ષા આપે છે.  તમારી પસંદગી અનુસાર આ સેવિંગ્સ પોલિસી સાથે તમે નિયમિત આવક અથવા ઉચ્ચક લાભ વચ્ચે પસંદ કરવાની પણ અનુકૂળતા ધરાવો છો.  આ સરળ અને સઘન ઉપાય છે જે 15 કે 20 વર્ષ માટે સેવિંગ્સ અને લાઈફ કવરેજ બંને આપે છે.

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ફોર્ચ્યૂન પ્લસ પ્લાન કેવી રીતે કામ કરે છે?

Answer

ચાલો, એક ઉદાહરણ સાથે સમજીએ:

પરિસ્થિતિ

35 વર્ષીય શ્રી કુમાર, 6 વર્ષ માટે રૂ।. 1 લાખના વાર્ષિક પ્રીમિયમવાળી 15 વર્ષની પોલિસી અવધિ પસંદ કરે છે.  તેઓ પોતાનો સર્વાઈવલ લાભ વાર્ષિક રૂપે મેળવવાનું પસંદ કરે છે.

સર્વાઈવલ લાભ

છટ્ઠા પોલિસી વર્ષના અંતથી, મેચ્યોરિટી સુધી શ્રી કુમાર રૂ।. 37,500નું (નિશ્ચિત આવક = રૂ।. 20,000 અને જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો રોકડ બોનસ = 8%ના દરે રૂ। 17,500) અથવા રૂ।. 20,000(નિશ્ચિત આવક=રૂ।.20,000 અને રોકડ બોનસ જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો=4%ના દરે શૂન્ય) વાર્ષિક પેઆઉટ મેળવે છે.

મેચ્યોરિટી લાભ

પોલિસી અવધિના અંતે, તેમને 8%ના દરે રૂ।.7,10,250 અથવા 4%ના દરે રૂ।.5,37,500 મળે છે જેમાં અંતિમ નિશ્ચિત સર્વાઈવલ પેઆઉટ, જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો રોકડ બોનસની અંતિમ ચૂકવણી અને જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો ટર્મિનલ બોનસ સામેલ છે.

મૃત્યુ લાભ

પોલિસી અવધિ દરમ્યાન, શ્રી કુમારની મૃત્યુની આકસ્મિક ઘટનામાં, તેમના પરિવારજનો રૂ।. 10,00,000ના મૃત્યુ લાભથી સુરક્ષિત રહે છે.

તેમના નોમિની આ લાભ ઉચ્ચક રકમ તરીકે અથવા 5 વર્ષના ગાળામાં આવક તરીકે મેળવવાનું પસંદ કરી શકે છે.

મહત્વપૂર્ણ સૂચનાઃ

ઉપરોક્ત નિદર્શન 8% અને 4%ના અનુમાનિત વ્યાજદરે લાભ દર્શાવે છે. 
કેટલાંક લાભ નિશ્ચિત હોય છે, જ્યારે અન્ય ઈન્શ્યોરરના ભવિષ્યના પ્રદર્શનને આધારે બદલાઈ શકે છે. 
અનુમાનિત દરની કોઈ ખાતરી નથી અને ઉપલી કે નીચલી મર્યાદા દર્શાવતા નથી.  વાસ્તવિક વળતર ભાવિ રોકાણના પ્રદર્શન સહિત વિવિધ પરિબળો પર આધાર રાખે છે.

આ પોલિસીમાં મને લોન મળી શકે છે?

Answer

હા, આ પોલિસી અંતર્ગત તમને લોન મળી શકે છે.

કોઈપણ સમયે તમને મળવાપાત્ર લોન સરન્ડર મૂલ્ય પર આધાર રાખશે.  ધારણ કરેલ સરન્ડર મૂલ્ય, જો કોઈ હોય તો, તેના 70%  સુધીની લોન તમને મળી શકે છે. મેળવવાપાત્ર લઘુતમ લોનની રકમ રૂ।. 10,000 છે.  નાણાંકીય વર્ષ 2021-22 માટે વ્યાજનો વર્તમાન દર વાર્ષિક 9%(સાદું વ્યાજ) છે જે સમયે સમયે બદલાઈ શકે છે.  લોન પર વ્યાજદરની ગણતરી માટે વપરાતો આધાર 10-વર્ષીય-જી-સેક દર છે જે છેલ્લા નાણાંકીય વર્ષના અંતે વત્તા સૌથી નજીકના 50 બેસિસ પોઈન્ટ સુધી પૂર્ણાંકીત 250 બેસિસ પોઈન્ટના એબ્સોલ્યૂટ માર્જીનના આધારે ગણવામાં આવે છે.  મેળવેલ વ્યાજ દર આગામી નાણાંકીય વર્ષ દરમ્યાન લાગૂપાત્ર રહેશે.  લોનના વ્યાજદરની ગણતરીના આધારમાં કોઈપણ ફેરફાર આઈઆરડીએઆઈ તરફથી પૂર્વ મંજૂરીને આધીન છે.

લોનની ઉપલબ્ધિ પર, આ પોલિસી અમને ફાળવવામાં આવશે.  અમારા દ્વારા તમને આ પોલિસી ફરીથી ફાળવવામાં આવશે શરતે તમારા દ્વારા વ્યાજ સાથે સમગ્ર્ લોનની રકમની પુનઃચૂકવણી કરવામાં આવી હોય.  નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસદાર(વારસદારો)ને મૃત્યુ લાભ ચૂકવતા પહેલાં અથવા આરક્ષિત વ્યક્તિને મેચ્યોરિટી લાભ ચૂકવતા પહેલાં કોઈપણ ન ચૂકવેલી લોનની રકમ અને તેનું વ્યાજ અમારા દ્વારા વસૂલવામાં આવશે.  રીડ્યૂસ્ડ પેઈડ-અપ પોલિસીઓ માટે જ્યારે વ્યાજ સાથે લોનની મૂળ રકમ સરન્ડર મૂલ્ય કરતાં વધી જાય ત્યારે, અમારા દ્વારા પોલિસી ફરજીયાતપણે સરન્ડર કરવામાં આવશે અને સરન્ડર મૂલ્ય અથવા રિડ્યૂસ્ડ પેઈડ-અપ લાભમાંથી વ્યાજ સાથે આઉટસ્ટેન્ડિંગ લોનની રકમ વસૂલવામાં આવશે.  અસરમાં રહેલ પોલિસીને ફરજીયાત સરન્ડર લાગૂપાત્ર નથી. અસરમાં રહેલ પોલિસીઓ માટે, જો વ્યાજ સાથે આઉટસ્ટેન્ડિંગ લોનની રકમ સરન્ડર મૂલ્યના 90% કરતાં વધી જાય તો, કંપની દ્વારા પોલિસીધારકને લોનની અંશતઃ અથવા સંપૂર્ણ પુનઃચૂકવણી કરવા માટે નોટિસ પાઠવવામાં આવશે.  જો નોટિસ મળ્યા બાદ લોનની પુનઃચૂકવણી ન કરવામાં આવે તો, કોઈપણ લાભની ચૂકવણી પહેલાં આઉટસ્ટેન્ડિંગ લોન અને સાથે વ્યાજની રકમને એડજસ્ટ કરવામાં આવશે.  વ્યાજ સાથે આઉટસ્ટેન્ડિંગ લોનની રીકવરી બાદ, બાકી લાભ જો કોઈ હોય તો, તે ચૂકવવાપાત્ર રહેશે.

આ પોલિસીમાં ટેક્સ લાભ શું હોય છે?

Answer

ચૂકવેલા પ્રીમિયમ પર અને મેળવેલ લાભ પર પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભ મળી શકે છે.  સરકારી ટેક્સ કાયદા અનુસાર સમયાંતરે બદલાવને આધીન છે.  આ પોલિસી ખરીદતા પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.

પોલિસી રીવાઈવ કરવા માટે તમારા વિકલ્પો કયા છે?

Answer

પોલિસી અવધિની સમાપ્તિ પહેલાં પરંતુ પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની ડ્યૂ તારીખથી 5 વર્ષમાં તમે નીચેના દ્વારા તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો-

i. વ્યાજ સાથે તમામ ન ચૂકવેલ ડ્યૂ પ્રીમિયમ ચૂકવીને; અને

ii. બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસી અનુસાર જો જરૂર હોય તો આરોગ્યના સંતોષકારક પૂરાવા આપીને.  તબીબી ખર્ચ જો કોઈ હશે તો તે પોલિસીધારકે ભોગવવાનો રહેશે.

રદ થયેલ અથવા રિડ્યૂસ્ડ પેઈડ-અપ પોલિસી તેના તમામ લાભ સાથે, અમારી બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઇટિંગ પોલિસી અનુસાર જ રીવાઈવ કરવામાં આવશે.  અસરમાં રહેલ પોલિસી માટે પોલિસી રીવાઈવ કરવામાં આવે તો, પોલિસીના નિયમો અને શરતો અનુસાર તમામ લાભ પુનઃસ્થાપિત કરવામાં આવશે.

નોંધઃ  પ્રીમિયમ ચૂકવણીમાં વિલંબ માટે નાણાંકીય વર્ષ 2021-22 માટે ચાર્જ કરવામાં આવતો વર્તમાન વ્યાજદર, વાર્ષિક 9.50%નું સાદુ વ્યાજ છે.  રીવાઈવલ પર વ્યાજદરની ગણતરી માટે ઉપયોગમાં લેવાતો આધાર છેલ્લાં નાણાંકીય વર્ષના અંતે 10 વર્ષીય જી-સેક દર વત્તા નજીકના 50 બેઝિસ પોઈન્ટ સુધી પૂર્ણાંકિતકરવામાં આવતા 300 બેઝિસ પોઈન્ટનું સંપૂર્ણ માર્જીન છે.  મેળવેલ વ્યાજ દર આગામી નાણાંકીય વર્ષ દરમ્યાન લાગૂપાત્ર રહેશે.  લોનના વ્યાજદરની ગણતરીના આધારમાં કોઈપણ ફેરફાર આઈઆરડીએઆઈ તરફથી પૂર્વ મંજૂરીને આધીન છે.

શું તમે તમારી પોલિસી સરન્ડર કરી શકો છો?

Answer

તમારી પોલિસીના સંપૂર્ણ લાભનો ફાયદો ઉઠાવવા માટે તમારી પોલિસી ચાલુ રાખવી હિતાવહ છે.  તેમ છતાં, અમે સમજીએ છીએ કે કેટલાંક સંજોગોમાં તમે તમારી પોલિસી સરન્ડર કરવા ઈચ્છી શકો છો.  પ્રથમ બે વર્ષના સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવાઈ ગયા હોય તે બાદ પોલિસી સરન્ડર મૂલ્ય ધારણ કરશે.  સરન્ડરના સમયે ગેરંટીડ સરન્ડર વેલ્યૂ(જીએસવી) અને સ્પેશિયલ સરન્ડર વેલ્યૂ(એસએસવી) જે પણ વધુ હશે તે ચૂકવવાપાત્ર રહેશે.   ચૂકવવાપાત્ર સરન્ડર મૂલ્ય પોલિસીની અવધિ અને પોલિસીના સરન્ડર વર્ષને આધારે બદલાશે.  સરન્ડર મૂલ્ય એસએસવી અને જીએસવીમાંથી જે વધુ હોય તે રહેશે.

જીએસવી પરિબળો સરન્ડર માટે પોલિસી વર્ષ અને પોલિસી અવધિ પર આધારીત છે અને તે નીચે પ્રમાણે ગણવામાં આવશેઃ

સર્વાઈવલ લાભ મોકૂફ રાખવાનું પસંદ ન કર્યું હોય તોઃ

  • જીએસવી પરિબળ પ્રીમિયમ માટે*ચૂકવેલ કુલ પ્રીમિયમ ઓછા પહેલેથી ચૂકવેલ સર્વાઈવલ લાભ

સર્વાઈવલ લાભ મોકૂફ રાખવાનું પસંદ કર્યું હોય તોઃ

 પ્રીમિયમ માટે જીએસવી પરિબળ*ચૂકવેલ કુલ પ્રીમિયમ વત્તા સર્વાઈવલ લાભ પર સંચિત વ્યાજ.

જીએસવી પરિબળ એનેક્સર સીમાં દર્શાવેલા છે.

સ્પેશિયલ સરન્ડર વેલ્યૂ નીચે અનુસાર ગણવામાં આવશેઃ

• સંપૂર્ણપણે પેઈડ-અપ પોલિસીઓ માટે એટલે કે તમામ ડ્યૂ પ્રીમિયમની ચૂકવણી પર કે તે પછીઃ

સર્વાઈવલ લાભ મોકૂફ રાખવાનું પસંદ ન કર્યું હોય તોઃ

એસએસવીની ગણતરી આમ કરવામાં આવશેઃ (મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ વત્તા તમામ ભાવિ નિશ્ચિત સર્વાઈવલ લાભ) ગુણ્યા સરન્ડર વખતે પ્રવર્તમાન એસએસવી પરિબળ વત્તા

ટર્મિનલ બોનસ, જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો.

સર્વાઈવલ લાભ મોકૂફ રાખવાનું પસંદ કરવામાં આવ્યું હોય તોઃ

એસએસવીની ગણતરી આમ કરવામાં આવશેઃ

(મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ વત્તા તમામ ભાવિ નિશ્ચિત સર્વાઈવલ લાભ) ગુણ્યા સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ વત્તા સંચિત સર્વાઈવલ લાભ વત્તા જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો ટર્મિનલ બોનસ.

• રિડ્યૂસ્ડ પેઈડ-અપ પોલિસી માટે

એસએસવીની ગણતરી આ રીતે કરવામાં આવશેઃ

જો સર્વાઈવલ લાભ મોકૂફ રાખવાનું પસંદ ન કરવામાં આવ્યું હોય તો(મેચ્યોરિટી પર પેઈડ-અપ સમ એશ્યોર્ડ વત્તા તમામ ભાવિ પેઈડ-અપ નિશ્ચિત સર્વાઈવલ લાભ) ગુણ્યા સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ

વત્તા

ટર્મિનલ બોનસ, જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો.  જો સર્વાઈવલ લાભ મોકૂફ રાખવાનું પસંદ કરવામાં આવ્યું હોય તો એસએસવી આ રીતે ગણવામાં આવશેઃ

(મેચ્યોરિટી પર પેઈડ-અપ સમ એશ્યોર્ડ વત્તા તમામ ભાવિ નિશ્ચિત સર્વાઈવલ લાભ) ગુણ્યા સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ

વત્તા

સંચિત સર્વાઈવલ લાભ

વત્તા

જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો, ટર્મિનલ બોનસ

તમારી પોલિસીમાં ઉપલબ્ધ ફ્રી-લુક ગાળો શું છે?

Answer

ફ્રી-લુક ગાળા દરમ્યાન તમે તમારી પોલિસી પરત કરી શકો છો; જો તમે પોલિસીના કોઈપણ નિયમો અને શરતો સાથે અસહમત હો તો, તમારી પાસે પોલિસીના નિયમો અને શરતોનું મૂલ્યાંકન કરવાનો વિકલ્પ છે અને જો તમે આ કોઈપણ નિયમો અથવા શરતોમાં સાથે અસહમત હો તો પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર, તેનું કારણ આપીને તમારી પાસે ઈન્શ્યોરરને પોલિસી કેન્સલ કરવા માટે પોલિસી પરત કરવાનો વિકલ્પ છે.  ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા લીધેલ પોલિસી માટે ફ્રી-લુક ગાળો 30 દિવસનો રહેશે.

તમારી પોલિસી કેન્સલ કરવા પર તમને કોઈ રિફંડ મળે છે?

હા. અમારા દ્વારા નીચે મુજબ રકમ રિફંડ કરવામાં આવશે –ચૂકવેલ પ્રીમિયમ

બાદઃ   i. પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ અને પોલિસી અસરમાં હોય તે સમય માટે જો કોઈ હોય તે રાઈડર પ્રીમિયમ

બાદઃ  ii. કોઈપણ ચૂકવેલ સ્ટેમ્પ ડ્યૂટી

બાદઃ  iii. તબીબી પરિક્ષણો પર થયેલ ખર્ચ, જો કોઈ હોય તો જ્યાં પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ કવરના ગાળા માટે રિસ્ક પ્રીમિયમને સપ્રમાણમાં હોય છે

ડિસ્ટન્સ માર્કેટિંગમાં ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને નીચેના દ્વારા ઈન્શ્યોરન્સ ઉત્પાદનોના વેચાણનો સમાવેશ થાય છેઃ

(i) વોઈસ માધ્યમ, જેમાં ટેલિફોન કોલિંગનો સમાવેશ થાય છે;

(ii) શોર્ટ મેસેજીંગ સર્વિસ(એસએમએસ);

(iii) ઈલેક્ટ્રોનિક મોડ જેમાં ઈ-મેઈલ, ઈન્ટરનેટ અને ઈન્ટરેક્ટીવ ટેલિવિઝન(ડીટીએચ);નો સમાવેશ થાય છે

(iv) ફિઝીકલ માધ્યમ જેમાં સીધા પોસ્ટલ મેઈલ અને અખબાર અને મેગેઝીન ઈન્સર્ટનો સમાવેશ થાય છે; અને

(v) વ્યક્તિગત સિવાય કોમ્યુનિકેશનના અન્ય કોઈપણ માધ્યમ દ્વારા ચર્ચા.

જમા કરાવવામાં આવેલ જાણકારી ખોટી અથવા અચોક્કસ હોય તો શું થશે?

Answer

સમયે સમયે સુધારાપાત્ર ઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45ની જોગવાઈઓ અનુસાર છેતરપિંડી/ખોટી રજૂઆતનો ઉકેલ લાવવામાં આવશે.  સમયે સમયે સુધારાપાત્ર ઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45 દર્શાવે છે કે

1) પોલિસીની તારીખથી ત્રણ વર્ષની સમાપ્તિ બાદ કોઈપણ કારણોસર લાઈફ ઈન્શ્યોરન્સની કોઈ પોલિસીને પૂછપરછ માટે બોલાવાશે નહીં દા.ત. પોલિસીની ફાળવણીની તારીખ અથવા રિસ્ક શરૂ થવાની તારીખ અથવા પોલિસીના રીવાઈવલની તારીખ અથવા પોલિસીના રાઈડરની તારીખ, જે પણ પછી હોય તે.

2) છેતરપિંડીના આધાર પર પોલિસીની ફાળવણીની તારીખથી અથવા રિસ્ક શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખ જે પણ પછી હોય તેનાથી ત્રણ વર્ષની અંદર લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છે એ શરતે કેઃ  ઈન્શ્યોરરે ઈન્શ્યોરન્સ ધરાવતી વ્યક્તિને અથવા કાનૂની પ્રતિનિધિને અથવા ઈન્શ્યોરન્સ ધરાવતી વ્યક્તિના નોમિનીને અથવા એસાઈનીને આ પ્રકારનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે તેનો આધાર અને મટિરીયલ જણાવીને લેખિતમાં જાણ કરવાની રહેશે.

3) પેટાવિભાગ (2) માં સામેલ કંઈપણ વસ્તુને ધ્યાનમાં લીધા વગર, કોઈપણ ઈન્શ્યોરર છેતરામણીના આધાર પર લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને નકારી શકશે નહીં જો આરક્ષિત વ્યક્તિ દ્વારા સાબિત કરવામાં આવે કે મટિરીયલ સંબંધી ખોટું નિવેદન અથવા તેને દબાવવાનું કૃત્ય  તેમની શ્રેષ્ઠ જાણ અને વિશ્વાસ અનુસાર હોય અથવા તથ્યને દબાવવાનો કોઈ વિચારેલો ઈરાદો ન હોય અથવા આવું ખોટુ નિવેદન અથવા મટિરિયલ સંબંધી તથ્યને દબાવવાનું કૃત્ય ઈન્શ્યોરરની જાણમાં હોયઃ છેતરામણીના કિસ્સામાં જો પોલિસીધારક જીવિત ન હોય તો, જૂઠાણાંને નકારવાની જવાબદારી લાભાર્થીઓની હોય છે.

4) પોલિસી જેના આધાર પર ફાળવવામાં આવી હોય અથવા રીવાઈવ કરવામાં આવી હોય અથવા રાઈડર ફાળવવામાં આવ્યું હોય તે પ્રપોઝલ અથવા અન્ય દસ્તાવેજમાં આરક્ષિત વ્યક્તિની લાઈફ એક્સપેક્ટન્સી વિશે કોઈ નિવેદન અથવા તથ્ય સંબંધી મટિરીયલ દબાવવાનું કાર્ય અયોગ્ય રીતે કરવામાં આવ્યું હોય તો   પોલિસી ફાળવ્યાની તારીખથી અથવા જોખમ શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખથી, જે પણ બાદમાં હોય તેનાથી ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છેઃ  એ શરતે કે ઈન્શ્યોરર દ્વારા આરક્ષિત વ્યક્તિને અથવા તેમના કાનૂની પ્રતિનિધિને અથવા આરક્ષિત વ્યક્તિના નોમિની અથવા એસાઈનીને લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને નકારવાનો નિર્ણય લેવા પાછળની પશ્ચાદભૂમિકા અથવા મટિરીયલ વિશે લેખિતમાં જાણ કરવામાં આવેઃ  વધુ એ પણ શરતે કે પોલિસીનો નકારના કિસ્સામાં, તે ખોટુ નિવેદન અથવા તથ્યો દબાવવાના કૃત્યના આધાર પર કરવામાં આવ્યું હોય અને છેતરામણીના આધાર પર ન કરવામાં આવ્યું હોય તો, નકારની તારીખ સુધી પોલિસી પર એકત્ર કરેલ પ્રીમિયમ આરક્ષિત વ્યક્તિ અથવા કાનૂની પ્રતિનિધિ અથવા નોમિની અથવા આરક્ષિત વ્યક્તિના એસાઈનીને આ પ્રકારના નકારની તારીખથી 90 દિવસની અંદર ચૂકવવામાં આવશે.

5) આ વિભાગમાં એવું કંઈપણ નથી જે ઈન્શ્યોરરને, જો તેઓ અધિકાર ધરાવતા હોય તો, કોઈપણ સમયે વયનો પુરાવો માંગતા રોકી શકે, અને પ્રપોઝલમાં આરક્ષિત વ્યક્તિની વય ખોટી જણાવવા આવી છે તેના પુરાવા બાદ પોલિસીની શરતો એડજસ્ટ કરવામાં આવી ફક્ત તેના આધારે પોલિસીને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે તેવું માનવામાં આવશે નહીં.

આ પોલિસીમાં મૂળભૂત પાત્રતા માપદંડ શું છે(ઉત્પાદન પર એક નજર)?

Answer
માપદંડવિગતો
પ્રવેશ સમયે લઘુતમ વય
  • 20 વર્ષની પોલિસી અવધિ માટે - 1 મહિનો
  • 15 વર્ષની પોલિસી અવધિ માટે – 3 વર્ષ
10x મૃત્યુ લાભ
51 વર્ષ7x મૃત્યુ લાભ
પ્રવેશ સમયે મહત્તમ વય50 વર્ષ10x મૃત્યુ લાભ
60 વર્ષ 7x મૃત્યુ લાભ
મેચ્યોરિટી સમયે લઘુતમ વય20 વર્ષ20 વર્ષની પોલિસી અવધિ માટે
18 વર્ષ 15 વર્ષની પોલિસી અવધિ માટે
મેચ્યોરિટી સમયે મહત્તમ વય70 વર્ષ10x મૃત્યુ લાભ
80 વર્ષ7x મૃત્યુ લાભ
પ્રીમિયમ ચૂકવણી અવધિ6 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષ અને 10 વર્ષ
પોલિસી અવધિ15 વર્ષ, 20 વર્ષ
મૃત્યુ પર સમ એશ્યોર્ડ (એસએડી)લઘુતમમહત્તમ
રૂ।. 168,000બોર્ડ દ્વ્રારા માન્ય અન્ડરરાઈટિંગને આધીન કોઈ મર્યાદા નહીં
વાર્ષિક પ્રીમિયમલઘુતમમહત્તમ
રૂ।, 24,000બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન કોઈ મર્યાદા નહીં
પ્રીમિયમ ચૂકવણી માધ્યમ અને મોડલ પરિબળોપ્રીમિયમ પુનરાવર્તિતાવાર્ષિક પ્રીમિયમને લાગૂપાત્ર પરિબળ
વાર્ષિક/વાર્ષિક
અર્ધ-વાર્ષિક0.5119 
ત્રિમાસિક0.2590
માસિક0.0870 

 

નોંધઃ

  • પ્રવેશ સમયે 3 વર્ષથી નાની વયના સગીર માટે પોલિસી શરૂ થવાની તારીખથી 2 વર્ષની સમાપ્તિના 2 દિવસ પહેલાં અથવા 3 વર્ષની વય પૂરી થવા પર, જે પણ પહેલાં હોય ત્યારે રિસ્ક કવર શરૂ થશે.  પ્રવેશ સમયે 3 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા સગીર માટે, રીસ્ક કવર ત્વરીત શરૂ થશે.  આરક્ષિત વ્યક્તિના પુખ્ત થયા બાદ એટલે કે 18 વર્ષની વયે પહોંચ્યા તેમને પોલિસી આપવામાં આવશે.
 
  • નિયત કરેલ વય છેલ્લાં જન્મદિવસ અનુસારની છે.
 
  • એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ પોલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવેલ વર્ષમાં ચૂકવવાપાત્ર પ્રીમિયમ રહેશે જેમાંથી લાગૂપાત્ર ટેક્સ, રાઈડર પ્રીમિયમ, અન્ડરરાઇટિંગ અતિરિક્ત પ્રીમિયમ અને લોડિંગ માટેનું કોઈ મોડલ પ્રીમિયમ હોય તો તેને બાદ કરવામાં આવશે.
 
  • મૃત્યુ પર સમ એશ્યોર્ડ(એસએડી)ને આરક્ષિત વ્યક્તિના મૃત્યુ પર નિશ્ચિત રીતે ચૂકવવાપાત્ર સંપૂર્ણ લાભની રકમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. 

શું ચૂકી ગયેલ પ્રીમિયમ માટે ગ્રેસ ગાળો હોય છે

Answer

રીસ્ક કવર સાથે પોલિસી અસરમાં હોય તે ગાળા દરમ્યાન પ્રીમિયમ ડ્યૂ તારીખથી પ્રીમિયમની ચૂકવણી માટે આપવામાં આવેલ સમયગાળો અમે આપીએ છીએ જે ગ્રેસ ગાળો કહેવાય છે.

આ પોલિસીમાં વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને ત્રિમાસિક પુનરાવર્તિતા માટે 30 દિવસનો ગ્રેસ ગાળો હોય છે અને માસિક પુનરાવર્તિતા માટે પ્રીમિયમ ડ્યૂ તારીખથી 15 દિવસનો ગ્રેસ ગાળો હોય છે.  આ પોલિસીમાં વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને ત્રિમાસિક પુનરાવર્તિતા માટે 30 દિવસનો ગ્રેસ ગાળો હોય છે અને માસિક પુનરાવર્તિતા માટે પ્રીમિયમ ડ્યૂ તારીખથી 15 દિવસનો ગ્રેસ ગાળો હોય છે.     આ ગાળા દરમ્યાન, લાઈફ એશ્યોર્ડની મૃત્યુના કિસ્સામાં, મૃત્યુ થવાની તારીખ પહેલાં ડ્યૂ પ્રીમિયમને બાદ કરીને રહેતો મૃત્યુ લાભ નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવામાં આવશે.  આ સમયગાળા દરમ્યાન પોલિસી અસરમાં ગણાશે.

જો એડવાન્સમાં ચૂકવવામાં આવે તો, શું મને રીન્યૂઅલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મળશે?

Answer

પ્રીમિયમની ડ્યૂ તારીખના  કમ સે કમ એક મહિના પહેલાંથી લઈને ડ્યૂ તારીખના 12 મહિના પહેલાં જો તમારા દ્વારા પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવે તો અને જો પ્રીમિયમની ડ્યૂ તારીખ એજ નાણાંકીય વર્ષમાં આવતી હોય તો, અમારા દ્વારા રીન્યૂઅલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.  જો પ્રીમિયમની ડ્યૂ તારીખ પહેલાંના એક મહિનાની અંદર જો પ્રીમિયમ ચૂકવવામાં આવે તો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં.

ત્રણ માસની શરૂઆતમાં અથવા પ્રત્યેક નાણાંકીય વર્ષની શરૂઆતમાં સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના સેવિંગ્સ બેંક ખાતા પર વ્યાજ દર (1 એપ્રિલના રોજ) વત્તા 100 બેઝિસ પોઈન્ટ પર 5 વર્ષીય જી-સેક બોન્ડ ઉપજ (સૌથી નજીકના 5 બેઝિસ પોઈન્ટના પૂર્ણાંકિત)ના ત્રિમાસિક ગાળા માટે લાગૂપાત્ર ડિસ્કાઉન્ટ દર તરીકે ગણવામાં આવે છે.  આ ત્રિમાસિક ગાળા દરમ્યાન પોલિસીધારક દ્વારા ચૂકવવામાં આવતા તમામ એડવાન્સ પ્રીમિયમને સમાન ડિસ્કાઉન્ટ દર લાગૂપાત્ર રહેશે.  ઉપરોક્ત ધોરણમાં કોઈપણ ફેરફાર આઈઆરડીએઆઈ મંજૂરીને આધીન છે.  એડવાન્સ પ્રીમિયમ ચૂકવણી તારીખથી પ્રીમિયમ ચૂકવણી ડ્યૂ તારીખ(સંપૂર્ણ મહિનામાં) ડિસ્કાઉન્ટ દર ગણવામાં આવશે.

તમે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો શું થશે?

Answer

ગ્રેસ ગાળા અંતર્ગત, પોલિસી અંતર્ગત ડ્યૂ પ્રીમિયમની ચૂકવણી ન કરવાના કિસ્સામાં,  પોલિસીમાં નિશ્ચિત સરન્ડર વેલ્યૂ ન મળી હોય તો પોલિસી રદ થશે.  જોખમ કવર સમાપ્ત થશે, અને રદ થયેલ પોલિસીના કિસ્સામાં કોઈ વધુ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.

જો બે સંપૂર્ણ વર્ષ કરતાં ઓછા પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય પોલિસી રદ થશે.  તેમ છતાં, રીવાઈવલ ગાળા અંતર્ગત તમે તમારી રદ થયેલ પોલિસી રીવાઈવ કરી શકો છો.   જો રદ થયેલ પોલિસી રીવાઈવલ ગાળા દરમ્યાન રીવાઈવ ન કરવામાં આવે તો, રીવાઈવલ ગાળાની સમાપ્તિ બાદ કોઈ લાભની ચૂકવણી કર્યા વગર તેને ફોરક્લોઝ કરવામાં આવશે.  વધુ જાણકારી માટે નીચે રીવાઈવલ વિશે વિભાગ તમે જોઈ શકો છો.

જો કમ સે કમ (2) પૂર્ણ વર્ષોના તમામ પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય અને ત્યારબાદનું કોઈ ડ્યૂ પ્રીમિયમ ચૂકવવામાં ન આવ્યું હોય તો, પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી ગ્રેસ ગાળાની સમાપ્તિ બાદ પોલિસી પેઈડ-અપ મૂલ્ય ધારણ કરશે.

નોંધઃ

• ઘટતી પેઈડ-અપ પોલિસી શરતોને આધીન પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી પાંચ વર્ષની અંદર રીવાઈવ કરી શકાય છે(વાસ્તવિક લાભમાં)

• રીવાઈવલ ગાળા દરમ્યાન, જો પોલિસી ઘટતા પેઈડ અપ મોડમાં રીવાઈવ ન કરવામાં આવે તો, મેચ્યોરિટી, અથવા મૃત્યુ અથવા પોલિસી સરન્ડર ન થાય ત્યાં સુધી ઘટતા પેઈડ અપ મોડમાં ચાલુ રહેશે.

• પોલિસીની અવધિ દરમ્યાન તમામ ડ્યૂ પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય તે શરતે પોલિસી ફુલ્લી પેઈડ-અપ બને છે અને ચૂકવવાપાત્ર નિયમો અને શરતો અનુસાર લાભ ચૂકવવાપાત્ર બનશે.

એકવાર પોલિસી પેઇડ-અપ બને પછીઃ

• રીડ્યૂસ્ડ પેઈડ અપ પોલિસી અંતર્ગત મૃત્યુ લાભ:  પોલિસીની અવધિ દરમ્યાન મૃત્યુ પર, મૃત્યુ લાભ ચૂકવવામાં આવે છે અને પોલિસી રદ થાય છે.

મૃત્યુ લાભ મૃત્યુ પર પેઈડ-અપ સમ એશ્યોર્ડ રહેશે જ્યાં, મૃત્યુ પર પેઈડ-અપ સમ એશ્યોર્ડને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે – મૃત્યુ પર સમ એશ્યોર્ડ*(કુલ ચૂકવેલ પ્રીમિયમની સંખ્યા)/(પોલિસીની અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમ) વત્તા જો ઘોષિત કરવામાં આવ્યું હોય તે ટર્મિનલ બોનસ

• રિડ્યૂસ્ડ પેઈડ-અપ પોલિસી અંતર્ગત સર્વાઈવલ લાભઃ 
પોલિસી ઘટતા પેઈડ-અપ સ્થિતિમાં હોય ત્યારે, આરક્ષિત વ્યક્તિના સર્વાઈવલના કિસ્સામાં, મેચ્યોરિટી સુધી પ્રીમિયમ ચૂકવણી અવધિના અંત સુધી નીચેના લાભ ચૂકવવાપાત્ર રહેશેઃ  નિશ્ચિત સર્વાઈવલ લાભ તરીકે વ્યાખ્યાયિત પેઈડ-અપ નિશ્ચિત સર્વાઈલ લાભ*(ચૂકવેલ કુલ પ્રીમિયમની સંખ્યા)/(પોલિસી અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા) વત્તા રોકડ બોનસ, જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો. 

જો શરૂઆતમાં જ પોલિસીધારક દ્વારા સર્વાઈવલ લાભ(લાભો)ને મોકૂફ રાખવાનું પસંદ કરવામાં આવ્યું હોય અને ત્યારબાદ પોલિસી રિડ્યૂસ્ડ પેઈડ-અપ બને તો, પોલિસીધારકને પેઈડ-અપ નિશ્ચિત સર્વાઈવલ લાભ વત્તા જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો રોકડ બોનસનો ફાયદો મળશે.  જો કોઈ વ્યાજ હોય તો તેની સાથે આ કથિત લાભનો સંચય મૃત્યુ, સરન્ડર અથવા મેચ્યોરિટી જે પણ પહેલાં હોય તેના રૂપે પોલિસીની સમાપ્તિ વખતે ચૂકવવાપાત્ર રહેશે.

• રિડ્યૂસ્ડ પેઈડ-અપ પોલિસી અંતર્ગત મેચ્યોરિટી લાભઃ  પોલિસી અવધિના અંતે, સર્વાઈવલ સુધી નીચેના લાભ ચૂકવવાપાત્ર રહેશેઃ

મેચ્યોરિટી લાભ મેચ્યોરિટી પર પેઈડ-અપ સમ એશ્યોર્ડ રહેશે, જ્યાં મેચ્યોરિટી પર પેઈડ-અપ સમ એશ્યોર્ડને મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ * (ચૂકવેલ કુલ પ્રીમિયમની સંખ્યા)/(પોલિસી અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમ) વત્તા જો કોઈ ઘોષિત કરવામાં આવેલ ટર્મિનલ બોનસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

વત્તા ટર્મિનલ બોનસ,

કોઈપણ સ્થિતિમાં ઉપર દર્શાવ્યા અનુસાર મૃત્યુ અથવા મેચ્યોરિટીની સ્થિતિમાં ચૂકવવામાં આવેલ કુલ લાભ આ પોલિસી અંતર્ગત ચૂકવેલ કુલ પ્રીમિયમથી ઓછું રહેશે નહીં.

પોલિસી અવધિ દરમ્યાન, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ફોર્ચ્યૂન પ્લસ પ્લાન તમને આવકના કયા લાભ આપે છે?

Answer

પોલિસી અસરમાં હોય અને સંપૂર્ણ પેઈડ-અપ હોય તે શરતે પ્રીમિયમ ચૂકવણી અવધિના અંતથી મેચ્યોરિટી સુધી કોઈપણ ઘોષિત કરવામાં આવેલ રોકડ લાભ સાથે નિશ્ચિત સર્વાઈવલ લાભ ચૂકવવાપાત્ર રહેશે.  એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમની ટકાવારી રૂપે નિશ્ચિત સર્વાઈવલ લાભને નક્કી કરતાં પરિબળો બ્રોશરના ‘એનેક્સર એ’માં વિગતવાર દર્શાવવામાં આવ્યા છે.
 

નિશ્ચિત સર્વાઈવલ લાભ અને રોકડ બોનસ જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો, પે-આઉટ પુનરાવર્તિતામોડલ પરિબળ
માસિક0.0808
બે મહિનામાં એકવાર0.1622
ત્રિમાસિક 0.2440
ચાર મહિનામાં એકવાર0.3263
અર્ધવાર્ષિક0.4920
વાર્ષિક1.0000 


પોલિસીની શરૂઆતમાં, પોલિસીધારક પાસે નિશ્ચિત સર્વાઈવલ લાભ અને કોઈપણ ઘોષિત રોકડ બોનસ મોકૂફ રાખવાનો વિકલ્પ છે જેને આરબીઆઈ દ્વારા પ્રકાશિત રીવર્સ રેપો રેટ અનુસાર ચક્રવૃદ્ધિ વ્યાજના દરે વાર્ષિક ધોરણે 25 બેઝિસ પોઈન્ટ ઓછા કરીને સંચિત કરવામાં આવશે.  નાણાંકીય વર્ષ 2021-22 માટે, લાગૂપાત્ર ચક્રવૃદ્ધિ વ્યાજ દર વાર્ષિક 3.10%  છે, જેને વાર્ષિક ધોરણે ગણવામાં આવે છે અને 3.35% માંથી 0.25% બાદ કરીને તારવવામાં આવે છે.(એપ્રિલ 1, 2021ના રોજ રીવર્સ રેપો રેટ)

આ વ્યાજ દરને વાર્ષિક ધોરણે મૂલ્યાંકિત કરવામાં આવશે.  પોલિસીધારક સંચિત નિશ્ચિત સર્વાઈવલ લાભ અને કમાવેલ વ્યાજ સાથે રોકડ બોનસ, પોલિસી અવધિ દરમ્યાન કોઈપણ સમયે ઉપાડી શકે છે.  જો આ લાભો, પોલિસી અવધિ દરમ્યાન ઉપાડવામાં ન આવે તો, મૃત્યુ, મેચ્યોરિટી કે સરન્ડરના કારણે પોલિસી સમાપ્તિના સમયે અન્ય લાભ સાથે આ  લાભ ચૂકવવાપાત્ર બનશે.

પોલિસીની અવધિ દરમ્યાન પોલિસીધારકને કયા આવક લાભ ચૂકવવામાં આવે છે?

Answer

પોલિસી અસરમાં હોય અને પૂર્ણપણે પેઈડ-અપ હોય તે શરતે, પ્રીમિયમ ચૂકવણી અવધિથી મેચ્યોરિટી સુધી આરક્ષિત વ્યક્તિના જીવિત રહેવાના કિસ્સામાં, જો કોઈ ઘોષિત કરવામાં આવ્યું હોય તે રોકડ બોનસ વત્તા નિશ્ચિત સર્વાઈવલ લાભ ચૂકવવાપાત્ર રહેશે.  એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમની ટકાવારી રૂપે નિશ્ચિત સર્વાઈવલ લાભ માટેના પરિબળો ‘એનેક્સર એ’માં આપેલ છે.  પ્રીમિયમ ચૂકવણી અવધિના અંતે સર્વાઈવલ લાભ એરીયરમાં ચૂકવવામાં આવશે.  પોલિસીધારક વિવિધ પુનરાવર્તિતામાં આ લાભ મેળવી શકે છે જ્યાં નીચેના પરિબળો લાગૂ પડશે.
 

નિશ્ચિત સર્વાઈવલ લાભ અને જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો, રોકડ બોનસ, પે-આઉટ પુનરાવર્તિતામોડલ પરિબળ

માસિક
0.0808 

બે મહિનામાં એકવાર
0.1622 

ત્રિમાસિક
0.2440 

ચાર મહિનામાં એકવાર
0.3263 

અર્ધવાર્ષિક
0.4920 

વાર્ષિક
1.0000 


પોલિસીની શરૂઆતમાં, પોલિસીધારક પાસે નિશ્ચિત સર્વાઈવલ લાભ અને કોઈપણ ઘોષિત રોકડ બોનસ મોકૂફ રાખવાનો વિકલ્પ છે જેને નાણાંકીય વર્ષની શરૂઆતમાં આરબીઆઈ દ્વારા તેની વેબસાઈટ પર પ્રકાશિત રીવર્સ રેપો રેટ અનુસાર ચક્રવૃદ્ધિ વ્યાજના દરે વાર્ષિક ધોરણે 25 બીપીએસ ઓછા કરીને સંચિત કરવામાં આવશે.  નાણાંકીય વર્ષ 2021-22 માટે, લાગૂપાત્ર ચક્રવૃદ્ધિ વ્યાજ દર વાર્ષિક 3.10%(વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ ગણતરી)  છે, જેને વાર્ષિક ધોરણે ગણવામાં આવે છે અને 3.35% માંથી (1 એપ્રિલ 2021ના રોજ રીવર્સ રેપો રેટ) 0.25% બાદ કરીને તારવવામાં આવે છે. 

આ વ્યાજ દરને પ્રત્યેક નાણાંકીય વર્ષની શરૂઆતમાં મૂલ્યાંકિત કરવામાં આવશે.  પોલિસીધારક સંપૂર્ણ સંચિત નિશ્ચિત સર્વાઈવલ લાભ અને કમાવેલ વ્યાજ સાથે રોકડ બોનસ, પોલિસી અવધિ દરમ્યાન કોઈપણ સમયે ઉપાડી શકે છે.  જો સંચિત લાભો, પોલિસી અવધિ દરમ્યાન ઉપાડવામાં ન આવે તો, મૃત્યુ, મેચ્યોરિટી કે સરન્ડરના કારણે પોલિસી સમાપ્તિના સમયે અન્ય લાભ સાથે આ  લાભ ચૂકવવાપાત્ર બનશે.

આ પોલિસીમાં કોઈ રાઈડર ઉપલબ્ધ છે?

Answer

હા, તમે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર(ડબલ્યૂઓપી)(યુઆઈએનઃ143બી017વી01) પસંદ કરી શકો છો.  આ રાઈડર જ્યારે પસંદ કરવામાં આવે ત્યારે, પસંદ કરેલ રાઈડર વિકલ્પના આધારે પોલિસીધારક/આરક્ષિત વ્યક્તિની મૃત્યુ(ફક્ત પોલિસીધારકને લાગૂપાત્ર – એ પોલિસીઓ માટે જ્યાં આરક્ષિત વ્યક્તિ અને પોલિસીધારક અલગ વ્યક્તિઓ હોય), અકસ્માતી સંપૂર્ણ કાયમી વિકલાંગતાના કિસ્સામાં, તમારી બેઝ પોલિસીમાંથઈ ભાવિ પ્રીમિયમ માફ કરીને તમને આધાર આપે છે.  પોલિસીધારક/આરક્ષિત વ્યક્તિ માટે વિકલ્પો નીચે મુજબ છે.
 

વિકલ્પલાભ
વેઈવર ઑફ પ્રીમિયમ ઓન ડેથરાઈડર અને બેઝ પોલિસી અસરમાં હોવાની શરતે, પોલિસીધારકની મૃત્યુની સ્થિતિમાં(ફક્ત ત્યાર જ્યારે બેઝ પોલિસી અંતર્ગત આરક્ષિત વ્યક્તિ અને પોલિસીધારક અલગ અલગ વ્યક્તિઓ હોય) આ વિકલ્પ બેઝ પોલિસી અંતર્ગત તમામ ડ્યૂ  અને ચૂકવવાપાત્ર ભાવિ પ્રીમિયમની મુક્તિનો લાભ આપે છે.
વેઈવર ઑફ પ્રીમિયમ ઓન એક્સિડેન્ટલ ટોટલ પરમેનન્ટ ડિસેબિલીટી અથવા ક્રિટીકલ ઈલનેસ(નું નિદાન)રાઈડર અને બેઝ પોલિસી અસરમાં હોવાની શરતે નીચેની ઘટના અથવા આનુષાંગિક ઘટનાઓ થવાની સ્થિતિમાં આ વિકલ્પ બેઝ પોલિસી અંતર્ગત તમામ ડ્યૂ  અને ચૂકવવાપાત્ર ભાવિ પ્રીમિયમની મુક્તિનો લાભ આપે છે; રાઈડર આરક્ષિત વ્યક્તિની કુલ કાયમી વિકલાંગતા અથવા રાઈડર અંતર્ગત આવરેલ કોઈપણ સંગીન બિમારીથી આરક્ષિત વ્યક્તિ પીડાતી હોવાનું નિશ્ચિત નિદાન.
વેઈવર ઑફ પ્રીમિયમ ઓન ડેથ ઓર એકિસડેન્ટલ ટોટલ પરમેનન્ટ ડિસેબિલિટી અથવા ક્રિટીકલ ઈલનેસનીચેની કોઈપણ ઘટના વહેલી થવા પર બેઝ પોલિસી અંતર્ગત આ વિકલ્પ  તમામ ડ્યૂ અને ચૂકવવાપાત્ર ભાવિ પ્રીમિયમમાંથી મુક્તિના લાભનો વિકલ્પ આપે છે – રાઈડર આરક્ષિત વ્યક્તિની મૃત્યુ અથવા રાઈઢર આરક્ષિત વ્યક્તિની અકસ્માતી સંપૂર્ણ કાયમી વિકલાંગતા અથવા રાઈડર અને અસરમાં રહેલ બેઝ પોલિસીને આધીન રાઈડર અંતર્ગત આવરીત સંગીન બિમારીઓમાંથી કોઈપણ એકથી રાઈડર આરક્ષિત વ્યક્તિને હોવાનું મંજૂર નિદાન.આ વિકલ્પ પસંદ કરવા માટે, આરક્ષિત વ્યક્તિ અને પોલિસી ધારક બેઝ પોલિસી અંતર્ગત અલગ વ્યક્તિ હોવા જરૂરી છે

પોલિસીમાં ઉંચુ પ્રીમિયમ ચૂકવવા માટે મેચ્યોરિટી વખતે કોઈ વધારો હોય છે?

Answer

હા, નીચેના કોષ્ટક અનુસાર ઉચ્ચ પ્રીમિયમ ચૂકવતી વખતે મેચ્યોરિટી બેનીફિટ પરિબળમાં વધારો કરી શકાય છે-

 

ઉચ્ચ પ્રીમિયમ એન્હાન્સમેન્ટ ફેક્ટર(એન્હાન્સ કરેલ મેચ્યોરિટી બેનીફિટ પરિબળના %)   
એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ બેન્ડ(રૂ।.)/પ્રીમિયમ ચૂકવણી અવધિપીપીટી= 6 વર્ષપીપીટી=7 વર્ષપીપીટી= 8 વર્ષ અને તેથી વધુ
3 લાખથી ઓછું4.00% 4.00% 4.00% 
3 લાખથી 5 લાખ4.80%  4.65%4.55%
5 લાખથી વધુ5.00% 4.85%4.70%

પોલિસી અવધિના અંતે તમને શું મળે છે(મેચ્યોરિટી લાભ)?

Answer

પોલિસી અસરમાં અને પૂર્ણપણે પેઈડ-અપ હોવાની શરતે પોલિસી અવધિના અંતે સર્વાઈલ સુધી, તમને મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ વત્તા જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો તમને ટર્મિનલ બોનસ પ્રાપ્ત થશે

જ્યાં, મેચ્યોરિટી સમ એશ્યોર્ડ(એસએએમ)= મેચ્યોરિટી બેનીફિટ પરિબળxએન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ(એપી)xપ્રીમિયમ ચૂકવણી અવધિ.

મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ(એસએએમ)ને પોલિસી પર મેચ્યોરિટી પર ચૂકવવાપાત્ર નિશ્ચિત રકમ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.  મેચ્યોરિટી લાભ પરિબળ ‘એનેક્સર બી’માં આપેલ છે

ઉપરોક્ત વ્યાખ્યાયિત મેચ્યોરિટી લાભ પોલિસીની અવધિ દરમ્યાન/આરક્ષિત વ્યક્તિની મૃત્યુ પર પોલિસીધારક/નોમિની દ્વારા પસંદ કર્યા અનુસાર ઉચ્ચક રકમ તરીકે અથવા 5 વર્ષના ગાળામાં હપ્તા તરીકે ચૂકવવામાં આવશે.  મેચ્યોરિટી લાભની હપ્તામાં ચૂકવણીના કિસ્સામાં, ઉચ્ચક રકમ(એટલે કે, એસ)ને એન્યૂઈટી ફેક્ટર(એટલે કે એ(એન)^12 એટલે એસ/એ(એન)^12 જ્યાં એન 5 વર્ષ માટે હપ્તાનો ગાળો છે) સાથે વિભાજીત કરીને લાભ રકમનો હપ્તો ગણવામાં આવે છે.  નાણાંકીય વર્ષની શરૂઆતમાં એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજ દરનો ઉપયોગ એન્યૂઈટી ફેક્ટર ગણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.  નાણાંકીય વર્ષ માટે પ્રવર્તમાન કરન્ટ એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજ દર વાર્ષિક 2.70% છે.  એક વખત હપ્તાની ચૂકવણી શરૂ થાય પછી, સમગ્ર હપ્તાના ગાળા દરમ્યાન આ ચૂકવણીનું સ્તર સમાન રહે છે.  એન્યૂઈટી ફેક્ટર ગણવા માટે વપરાતો વ્યાજ દર પ્રત્યેક નાણાંકીય વર્ષમાં મૂલ્યાંકનને આધીન છે અને એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજદરમાં બદલાવના કિસ્સામાં બદલાઈ શકે છે.      

મેચ્યોરિટી લાભની ચૂકવણી પર, પોલિસી સમાપ્ત થશે અને કોઈ વધુ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.

આ પોલિસીમાં આરક્ષિત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં શું થાય છે(મૃત્યુ લાભ)?

Answer

પોલિસીની અવધિ દરમ્યાન આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, પોલિસી અસરમાં હોવાના કે સંપૂર્ણ પેઈડ-અપ હોવાની શરતે નીચેનો મૃત્યુ લાભ નોમિની(ઓ)ને ચૂકવવામાં આવશે.  વ્યાખ્યાયિત મૃત્યુ લાભ ચૂકવવામાં આવે છે અને પોલિસી રદ થાય છે.

નોમિની(ઓ) નીચેમાંથી જે વધુ હોય તે મેળવશેઃ

એ. મૃત્યુ પર સમ એશ્યોર્ડ

અથવા

બી. મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમના 105%.

વત્તા જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો ટર્મિનલ બોનસ

જ્યાં મૃત્યુ પર સમ એશ્યોર્ડને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છેઃ  એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ(એપી)ના x ગણાં અથવા મૃત્યુ પર નિશ્ચિત ચૂકવવાપાત્ર ચોખ્ખી રકમ(બેઝિક સમ એશ્યોર્ડ), જે પણ વધુ હોય તે;

Xને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છેઃ

પ્રવેશ સમયે 0થી 50 વર્ષની વય માટે(છેલ્લો જન્મદિવસ)=10 51 વર્ષ અને તેથી વધુની પ્રવેશ વય માટે(છેલ્લો જન્મદિવસ)=7 ચૂકવેલ કુલ પ્રીમિયમનો અર્થ છે મળેલ તમામ પ્રીમિયમનો સરવાળો, જેમાંથી કોઈપણ અતિરિક્ત પ્રીમિયમ, રાઈડર પ્રીમિયમ અને લાગૂપાત્ર ટેક્સને બાદ કરવામાં આવે છે.

ઉપરોક્ત વ્યાખ્યાયિત મૃત્યુ લાભ પોલિસીની અવધિ દરમ્યાન/આરક્ષિત વ્યક્તિની મૃત્યુ પર પોલિસીધારક/નોમિની દ્વારા પસંદ કર્યા અનુસાર ઉચ્ચક રકમ તરીકે અથવા 5 વર્ષના ગાળામાં હપ્તા તરીકે ચૂકવવામાં આવશે.  મૃત્યુ લાભની હપ્તામાં ચૂકવણીના કિસ્સામાં, ઉચ્ચક રકમ(એટલે કે, એસ)ને એન્યૂઈટી ફેક્ટર(એટલે કે એ(એન)(12)) એટલે એસ/એ(એન)(12) જ્યાં ‘એન’ 5 વર્ષ માટે હપ્તાનો ગાળો છે) સાથે વિભાજીત કરીને લાભ રકમનો હપ્તો ગણવામાં આવે છે.  નાણાંકીય વર્ષની શરૂઆતમાં એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજ દરનો ઉપયોગ એન્યૂઈટી ફેક્ટર ગણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.  નાણાંકીય વર્ષ માટે પ્રવર્તમાન કરન્ટ એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજ દર વાર્ષિક 2.70% છે.  એક વખત હપ્તાની ચૂકવણી શરૂ થાય પછી, સમગ્ર હપ્તાના ગાળા દરમ્યાન આ ચૂકવણીનું સ્તર સમાન રહે છે.  એન્યૂઈટી ફેક્ટર ગણવા માટે વપરાતો વ્યાજ દર પ્રત્યેક નાણાંકીય વર્ષમાં મૂલ્યાંકનને આધીન છે અને એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજદરમાં બદલાવના કિસ્સામાં બદલાઈ શકે છે.

આરક્ષિત વ્યક્તિ દ્વારા આત્મહત્યા કરવામાં આવે તો શું થાય છે(આત્મહત્યા બાકાતી)?

Answer

પોલિસી અસરમાં હોવાની શરતે, પોલિસી અંતર્ગત રિસ્ક શરૂ થવાની તારીખથી 12 મહિનાની અંદર અથવા લાગૂ પડ્યા અનુસાર પોલિસીના રીવાઈવલની તારીખથી 12 મહિનાની અંદર જે પણ લાગૂપાત્ર હોય ત્યારે, આત્મહત્યાને કારણે આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, પોલિસીધારકના નોમિની અથવા લાભાર્થી મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમના 80% અથવા મૃત્યુની તારીખે ઉપલબ્ધ સરન્ડર મૂલ્ય જે પણ વધારે હોય તે મેળવવાને પાત્ર બનશે.

આ પોલિસીમાં હું કયા બોનસની અપેક્ષા રાખી શકું છું?

Answer

તમારી પોલિસી જો ઘોષિત કરવામાં આવે તો, રોકડ બોનસ અને બોર્ડ દ્વારા માન્ય બોનસ પોલિસી અનુસાર જો ઘોષિત કરવામાં આવે તો, ટર્મિનલ બોનસ માટે પાત્ર થઈ શકે છે.

રોકડ લાભ(સીબી) જો ઘોષિત કરવામાં આવે તોઃ

  • મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ તરીકે ગણેલ

  • પસંદ કરવામાં આવેલ પેઆઉટ માધ્યમના આધારે પ્રીમિયમ ચૂકવણી અવધિના અંતથી શરૂ થઈને મેચ્યોરિટી સુધી નિશ્ચિત સર્વાઈવલ લાભ સાથે ચૂકવવાપાત્ર.

  • તેના દર બાંધેલા કે નિશ્ચિત નથી હોતા અને બદલાઈ શકે છે પરંતુ એક વખત ઘોષિત કરવામાં આવે તે પછી, તે નિશ્ચિત બની જાય છે.

    ટર્મિનલ બોનસ(ટીબી) જો ઘોષિત કરવામાં આવે તોઃ

  • કંપનીના રોકાણના અનુભવ પર આધારીત અને બોર્ડ દ્વારા માન્ય બોનસ પોલિસી અનુસાર.

  • મૃત્યુ, મેચ્યોરિટી અથવા સરન્ડર પર પોલિસીના નિયમો અને શરતો અનુસાર ચૂકવવાપાત્ર.

  • મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ અને પોલિસી અવધિના ગુણાકાર દ્વારા ગણતરી.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field

નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)

Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits

  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ

Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

Dropdown Field

નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)

Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits

  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ

Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.6 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,131 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

ડિસ્ક્લેઈમર

નિશ્ચિત સર્વાઈવલ લાભ સાથે જો પ્રીમિયમ ચૂકવણી અવધિ બાદ ઘોષિત કરવામાં આવ્યું હોય તો રોકડ બોનસ મેળવો

મેચ્યોરિટી પર, મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ વત્તમા ટર્મિનલ બોનસ જો કોઈ હોય તે વત્તા સંચિત સર્વાઈવલ લાભ(જો કોઈ હોય તો) મેળવો.

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail