કૉલ નહીં પ્રાપ્ત કરવાની નોંધણી
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ એ આપને અદ્યતન માહિતીથી જાણકાર રાખવામાં અને ફોન કૉલ અથવા એસએમએસના સ્વરૂપે અમારા ઉત્પાદનો અને સેવાઓ સંબંધિત માહિતી મોકલવામાં ખુશી અનુભવે છે.
જોકે, અમે આપના એકાંતનું સન્માન કરીએ છીએ અને આપ જો અમારા તરફથી આવા સંદેશાઓ અથવા કૉલ મેળવવા ન માંગતા હો તો આપ એનસીપીઆર પર નોંધણી કરાવવા માટે 1909 (ટૉલ ફ્રી) પર કૉલ કરીને અથવા તો એસએમએસ મોકલીને ડુ નોટ ડિસ્ટર્બ હેઠળ આપના નંબરની નોંધણી કરાવી શકો છો.
આપ www.nccptrai.gov.in પર પણ નોંધણી કરાવી શકો છો.
ડુ નોટ ડિસ્ટર્બ હેઠળ નોંધણી કરાવ્યાં પછી પણ જો આપને આવા અનિચ્છનિય કૉલ/ઈ-મેઇલ પ્રાપ્ત થતાં રહે તો, કૃપા કરીને અમને customer.first@indiafirstlife.comપર આ અંગે લખી મોકલો. જેની પર કૉલ/ઈ-મેઇલ પ્રાપ્ત થતાં હોય તે ફોન નંબર અથવા ઈ-મેઇલ આઇડીનો ઉલ્લેખ કરશો.
કૃપા કરીને નોંધો કે, ડુ નોટ ડિસ્ટર્બ સુવિધા માટે નોંધણી કરાવવા પર વર્તમાન ગ્રાહકોને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પાસેથી પ્રાપ્ત થતી સેવાઓ કે જેના માટે આપ ઉક્ત ઉત્પાદનો/સેવાઓની અરજી કરતી વખતે અથવા તો અન્ય કોઈ રીતે સંમત થયાં હતાં, તે સંબંધિત લેવડદેવડ અને યાદ અપાવવાના કૉલ અથવા સંદેશાઓ અથવા ઈ-મેઇલ પ્રાપ્ત થવાના ચાલુ રહેશે.
અવાંછિત વ્યાવસાયિક કૉલમાં ભારત સરકારના નિર્દેશ પર પ્રસારિત કરવામાં આવ્યાં હોય તેવા સંદેશાનો સમાવેશ થશે નહીં.