Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સરલ બચત બીમા પ્લાનની મુખ્ય ખાસિયતો

લાંબા ગાળાની સુરક્ષા

12થી 15 વર્ષના લાઈફ ઈન્શ્યોરન્સ કવરેજ સાથે તમારા પ્રિયજનો માટે લાંબા ગાળાની સુરક્ષાની ખાતરી કરો.

cover-life

ટૂંકી ચૂકવણી પ્રતિબદ્ધતા

સમગ્ર પોલિસી અવધિ માટે લાભનો આનંદ લેવાની સાથે 5થી 7 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવો.

wealth-creation

નિશ્ચિત ઉમેરો

તમારી બચતમાં વધારા માટે મેળવો વાર્ષિક નિશ્ચિત ઉમેરો

secure-future

મૃત્યુ પર અનુકૂળ લાભ

તમારા મૃત્યુ પર 5 વર્ષ માટે ઉચ્ચક રકમ અથવા આવક સાથે તમારા પ્રિયજનોની રક્ષા કરો.

many-strategies

અકસ્માતી મૃત્યુ પર અતિરિક્ત સમ એશ્યોર્ડ

પોલિસીના પ્રથમ વર્ષ દરમ્યાન અકસ્માતી મૃત્યુ માટે અતિરિક્ત સમ એશ્યોર્ડ મેળવો.

many-strategies

અંત્યક્રિયા કવર

આરક્ષિત વ્યક્તિન મૃત્યુ પર અંત્યેષ્ટિ ક્રિયા કવર(ફ્યૂનરલ કવર) તરીકે મૃત્યુ પર સમ એશ્યોર્ડના 10% અથવા રૂ।. 25,000 (જે પણ ઓછું હોય તો) મેળવો.

many-strategies

પ્રીમિયમ રાઈડરની મુક્તિ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર માટે પસંદગી કરવાથી તમારી ગેરહાજરીમાં પણ પોલિસી અસરમાં રહે છે.

many-strategies

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સરલ બચત બીમા પ્લાનની ખરીદી કેવી રીતે કરવી?

પગલું 1

મૂળભૂત જાણકારી દાખલ કરો

તમારું નામ, મોબાઈલ નંબર, અને અન્ય આવશ્યક જાણકારી ભરો.

choose-plan

પગલું 2

તમારી પોલિસી કસ્ટમાઈઝ કરો

પોલિસી અવધિ અને તમારી જરૂરીયાતને અનુરૂપ પ્રીમિયમ ચૂકવણી અવધિ પસંદ કરો.

premium-amount

પગલું 3

ક્વૉટ મેળવો અને તેમનું મૂલ્યાંકન કરો

જનરેટ કરેલ ક્વૉટ તપાસો અને તેનું મૂલ્યાંકન કરો.  પ્લાન તમારી અપેક્ષાઓ અને બજેટને અનુરૂપ છે કે નહીં તેની ખાતરી કરો.

select-stategy

પગલું 4

અમારા નિષ્ણાતો સાથે ચર્ચા કરો

વધુ માર્ગદર્શન માટે અમારા જાણકાર સેલ્સ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરો

make-payments

પગલું 5

ચૂકવણી પૂરી કરો

તમારી ઈચ્છિત પોલિસી મેળવવા માટે ચૂકવણી કરીને તમારી અરજી પૂરી કરો.

make-payments

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે વય

Question
Age at Entry
Answer
  • 7ગણાં મૃત્યુ લાભ માટેઃ
    • 12 વર્ષીય પોલિસી અવધિઃ  46-50 વર્ષ
    • 15 વર્ષીય પોલિસી અવધિઃ  46-50 વર્ષ
       
  • 10ગણાં મૃત્યુ લાભ માટેઃ
    • 12 વર્ષીય પોલિસી અવધિઃ  6-45 વર્ષ
    • 15 વર્ષીય પોલિસી અવધિઃ  3-45 વર્ષ
Tags

મેચ્યોરિટી સમયે વય

Question
Age at maturity
Answer
  • 7ગણો મૃત્યુ લાભઃ  18-65 વર્ષ
  • 10ગણો મૃત્યુ લાભઃ  18-60 વર્ષ
Tags

પ્રીમિયમ ચૂકવણી અવધિ(પીપીટી)

Question
Premium Payment Term (PPT)
Answer

5/7 વર્ષ

Tags

પોલિસી અવધિ(પીટી)

Question
Policy Term (PT)
Answer

12 વર્ષ; 15 વર્ષ

Tags

લઘુતમ પ્રીમિયમ ચૂકવણી

Question
Minimum Premium Amount
Answer
  • વાર્ષિક માટેઃ  રૂ।. 12000
  • અર્ધવાર્ષિક માટેઃ  રૂ।. 6000
  • ત્રિમાસિક માટેઃ  રૂ।. 3000
  • માસિક માટેઃ  રૂ।. 1000
Tags

મૃત્યુ પર સમ એશ્યોર્ડ

Question
Sum Assured On Death
Answer

લઘુતમ: રૂ।. 84,000
 

મહત્તમ: રૂ।. 5,00,000

Tags

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ?

View All FAQ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સરલ બચત બીમા પ્લાન શું છે?

Answer

આ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, વ્યક્તિગત, મર્યાદિત પ્રીમિયમ, બચત લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી છે જે 5/7 વર્ષની ટૂંકી ચૂકવણી પ્રતિબદ્ધતા સાથે તમારા પ્રિયજનોને 12 અથવા 15 વર્ષના લાંબા ગાળા માટે સુરક્ષિત રાખીને સિંગલ પોલિસીમાં બચત અને સુરક્ષા આપે છે.  એટલું જ નહીં, પોલિસી તમને વાર્ષિક નિશ્ચિત ઉમેરો, પહેલા વર્ષમાં  અકસ્માતી મૃત્યુ લાભ, કોઈ તબીબી ટેક્સ અને ત્વરીત પ્રોસેસિંગ સાથે ફ્યૂનરલ કવર આપે છે. 

આ પોલિસી કેવી રીતે કામ કરે છે?

Answer

સેમ્પલ રેખાંકન દ્વારા અમે આ પોલિસી કેવી રીતે કામ કરે છે તે સમજાવ્યું છે.

25 વર્ષીય શ્રી ગોન્ઝાલ્વીસે, 15 વર્ષની પોલિસી અવધિ માટે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સરલ બચત બીમા પ્લાન ખરીદ્યો.  મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ રૂપે રૂ।.1,69,000 માટે 7 વર્ષ માટે તેમણે રૂ।. 24,000નું વાર્ષિક પ્રીમિયમ ચૂકવ્યું.

પોલિસી અવધિના અંતે, તેમને ગેરંટીડ ઉમેરા સહિત રૂ।. 2,80,080 મળશે.

પોલિસી અવધિ દરમ્યાન તેઓ મૃત્યુ પામે તો પણ, 10મા પોલિસી વર્ષમાં, રૂ।. 2,95,440ના મૃત્યુ લાભ સાથે તેમના પ્રિયજનો સુરક્ષિત રહેશે.  તેમના નોમિની(ઓ) ઉચ્ચક તરીકે અથવા 5 વર્ષના ગાળામાં આવક તરીકે મૃત્યુ લાભ મેળવવાનું પસંદ કરી શકે છે. 

12 અને 15 વર્ષની પોલિસી અવધિ માટે 7 વર્ષની પ્રીમિયમ ચૂકવણી અવધિ સાથે સેમ્પલ મેચ્યોરિટી રકમ
 

વયએન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ12 વર્ષની પોલિસી અવધિ15 વર્ષની પોલિસી અવધિ
મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડમેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ
25 વર્ષ25,0001,72,500 1,76,250
35 વર્ષ25,0001,70,0001,73,750 
45 વર્ષ25,0001,62,5001,66,250 

આ પોલિસી માટે મૂળભૂત પાત્રતા માપદંડ શું છે(પોલિસી પર ઉડતી નજર)?

Answer
માપદંડવિગતો
પ્રવેશ સમયે લઘુતમ વય6 વર્ષ12 વર્ષની પોલિસી અવધિ માટેમૃત્યુ લાભના 10ગણા
3 વર્ષ15 વર્ષની પોલિસી અવધિ માટેમૃત્યુ લાભના 10ગણાં
46 વર્ષ12 વર્ષની પોલિસી અવધિ માટેમૃત્યુ લાભના 7ગણાં
46 વર્ષ15 વર્ષની પોલિસી અવધિ માટેમૃત્યુ લાભના 7 ગણાં
પ્રવેશ સમયે મહત્તમ વયમૃત્યુ લાભના 10 ગણાં45 વર્ષ
મૃત્યુ લાભના 7 ગણાં50 વર્ષ
મેચ્યોરિટી સમયે લઘુતમ વય18 વર્ષ
મેચ્યોરિટી સમયે મહત્તમ વયમૃત્યુ લાભના 10ગણાં60 વર્ષ
મેચ્યોરિટી લાભના 7ગણાં65 વર્ષ
પ્રીમિયમ ચૂકવણી અવધિ5 / 7 વર્ષ
પોલિસી અવધિ12 વર્ષ, 15 વર્ષ
મૃત્યુ પર સમ એશ્યોર્ડલઘુતમમહત્તમ
રૂ।. 84,000રૂ।. 5,00,000
પ્રીમિયમલઘુતમમહત્તમ
રૂ।. 12,000રૂ।. 50,000
રૂ।. 6,000
રૂ।. 3,000
રૂ।. 1,000
પ્રીમિયમ ચૂકવણી માધ્યમ અને મોડલ પરિબળોપ્રીમિયમ પુનરાવર્તિતાવાર્ષિક પ્રીમિયમ પર લાગૂપાત્ર પરિબળ
વાર્ષિક1.0000
અર્ધવાર્ષિક0.5119
ત્રિમાસિક0.2590
માસિક0.0870


નોંધઃ

એ. સગીર જીવન માટે રિસ્ક કવર તરત શરૂ થશે.  સગીર આરક્ષિત વ્યક્તિ માટે નીચેની શરતો લાગૂપાત્ર છેઃ
 

  • જ્યારે આરક્ષિત વ્યક્તિ પુખ્ત બને ત્યારે, એટલે કે 18 વર્ષે પોલિસી આરક્ષિત વ્યક્તિને આપવામાં આવશે
  • આરક્ષિત વ્યક્તિની સગીર વય દરમ્યાન પોલિસીધારકની મૃત્યુ પર, હયાત માતા-પિતા અથવા સગીરના જીવનમાં કાનૂની વાલી જે વીમાસંબંધી હિત ધરાવતા હોય તે પોલિસીધારક બનશે.
     

બી. વય છેલ્લા જન્મદિવસે નિયત કર્યા અનુસાર. 

સી. એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ એક વર્ષમાં પોલિસીધારક દ્વારા ચૂકવવા માટે મંજૂર કરાયેલ ચૂકવવાપાત્ર પ્રીમિયમ રકમ છે જેમાંથી ટેક્સ, રાઈડર પ્રીમિયમ, અન્ડરરાઈટિંગ, અતિરિક્ત પ્રીમિયમ અને મોડલ પ્રીમિયમ માટે લોડિંગ જો કોઈ હોય તો તે બાદ કરવામાં આવશે.

ડી. કુલ ચૂકવેલ પ્રીમિયમ એટલે અતિરિક્ત પ્રીમિયમ, રાઈડર પ્રીમિયમ અને લાગૂપાત્ર ટેક્સ સિવાય મેળવેલ તમામ પ્રીમિયમનો સરવાળો..

આ પોલિસીમાં આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં શું થાય છે(મૃત્યુ લાભ)?

Answer

આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, પોલિસી અસરમાં હોય અથવા સંપૂર્ણપણે પેઈડ-અપ હોય તો નોમિની(ઓ)ને નીચેનો મૃત્યુ લાભ ચૂકવવામાં આવશે.  નિર્ધારીત મૃત્યુ લાભ ચૂકવાય છે અને પોલિસી સમાપ્ત થાય છે.

નોમિની(ઓ) નીચેનામાંથી જે વધુ હોય તે મેળવશેઃ

એ. મૃત્યુ પર સમ એશ્યોર્ડ(એસએડી) વત્તા સંચિત નિશ્ચિત ઉમેરો(જો કોઈ હોય તો મૃત્યુની તારીખ સુધી) અથવા

બી. મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમના 105%

જ્યાં મૃત્યુ પર સમ એશ્યોર્ડ(એસએડી) એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમના xગણું અથવા મૃત્યુ પર ચૂકવવાપાત્ર સંપૂર્ણ નિશ્ચિત રકમ(બેઝિક સમ એશ્યોર્ડ) બેમાંથી જે વધુ હોય તે હોય છે.  X એ 3થી 45 વર્ષ માટે 10 અને 46 વર્ષ કે તેથી વધુ માટે 7 હોય છે.

કલમ 6માં નિયત કર્યા અનુસાર તમે વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર(ડબલ્યૂઓપી)  પસંદ કરી શકો છો.  વધુ વિગતો માટે રાઈડર બ્રોશર જુઓ.

પોલિસીની અવધિ દરમ્યાન આરક્ષિત વ્યક્તિની દુર્ભાગ્યવશ મૃત્યુના કિસ્સામાં, નોમિની(ઓ)ને મૃત્યુ લાભ ઉચ્ચક રકમ તરીકે અથવા આગામી 5 વર્ષ માટે માસિક હપ્તા રૂપે ચૂકવવામાં આવે છે.

નોંધઃ  પોલિસી ગાળા દરમ્યાન કોઈપણ સમયે અથવા આરક્ષિત વ્યક્તિના મૃત્યુ સમયે પોલિસીધારક/નોમિની(ઓ) દ્વારા પસંદ કર્યા અનુસાર ઉચ્ચક રકમ તરીકે અથવા 5 વર્ષમાં માસિક હપ્તા રૂપે મૃત્યુ લાભ ચૂકવવામાં આવશે.  હપ્તામાં મૃત્યુ લાભની રકમના કિસ્સામાં; મૃત્યુ લાભને એન્યૂઈટી પરિબળ સાથે ગુણીને માસિક હપ્તો ગણવામાં આવે છે, જ્યાં મૃત્યુની તારીખે પ્રવર્તમાન એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજ દરના આધારે એન્યૂઈટી ફેક્ટર ગણવામાં આવે છે.  એક વખત હપ્તાની ચૂકવણી શરૂ થાય પછી, આ ચૂકવણી સમગ્ર હપ્તાના ગાળા દરમ્યાન સમાન રહે છે.  પ્રત્યેક નાણાંકીય વર્ષને અંતે પ્રવર્તમાન એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજદર મૂલ્યાંકનને આધીન છે.   

ઉપરોક્ત ઉપરાંત, પહેલા પોલિસી વર્ષમાં અકસ્માતને કારણે મૃત્યુના કિસ્સામાં મૃત્યુ પર સમ એશ્યોર્ડને સમકક્ષ રકમ(એસએડી) ચૂકવવાપાત્ર રહેશે.

જો પોલિસી પીઓએસ ચેનલ દ્વારા લેવામાં આવી હોય તો, રિસ્ક સ્વીકાર્યાની તારીખથી પ્રથમ 90 દિવસનો ગાળો વેઈટિંગ ગાળો કહેવાય છે.

પીઓએસ ચેનલ દ્વારા પોલિસી માટે મૃત્યુ લાભઃ

જે મૃત્યુ થાય(અકસ્માત સિવાય):

i) વેઈટિંગ ગાળા દરમ્યાન – ચૂકવેલ પ્રીમિયમન 100%

ii) વેઇટિંગ ગાળાની સમાપ્તિ બાદ – મૃત્યુ પર સમ એશ્યોર્ડ

અકસ્માતના કારણે મૃત્યુ અથવા પોલિસી રીવાઈવલના કિસ્સામાં વેઈટિંગ ગાળો લાગૂપાત્ર નથી.

ફ્યૂનરલ કવરઃ 
મૃત્યુ પર સમ એશ્યોર્ડના 10% અથવા રૂ।. 25,000 (જે પણ ઓછું હોય તે)ને ગતિમાન કરવામાં આવશે અને આરક્ષિત વ્યક્તિની મૃત્યુની જાણ થયા પર આગોતરા ચૂકવવામાં આવશે.  આ અતિરિક્ત લાભ નથી.  ફ્યૂનરલ કવર તરીકે ચૂકવવામાં આવતી રકમ ચૂકવવાપાત્ર મૃત્યુલાભમાંથી બાદ કરવામાં આવશે.

આ પોલિસીમાં નિશ્ચિત ઉમેરો શું છે?

Answer

તમારી પોલિસી કુલ ચૂકવેલ પ્રીમિયમના X%નો નિશ્ચિત ઉમેરો આપે છે જેમાં નીચેના કોષ્ટક અનુસાર પોલિસીની અવધિ અને એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ અનુસાર X બદલાય છેઃ
 

12 વર્ષની પોલિસી અવધિ માટે
 

એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ(રૂ।.)નિશ્ચિત ઉમેરો
25,000થી ઓછું4.75%
25,000થી 34,9995.00%
35,000 કે તેથી વધુ5.25%

 

15 વર્ષની પોલિસી અવધિ માટે
 

એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ (રૂ।.)નિશ્ચિત ઉમેરો
25,000થી ઓછું5.50%
25,000થી 34,9995.75%
35,000 કે તેથી વધુ6.00% 


આવા નિશ્ચિત ઉમેરાના સમયે જો પોલિસી અસરમાં હોય તો પ્રત્યેક પોલિસી વર્ષના અંતે નિશ્ચિત ઉમેરો સંચિત થાય છે.

એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ તમારા દ્વારા પસંદ કર્યા અનુસાર એક વર્ષમાં ચૂકવવાપાત્ર પ્રીમિયમ હોય છે જેમાંથી ટેક્સ, રાઈડર પ્રીમિયમ, અન્ડરરાઈટિંગ અતિરિકત પ્રીમિયમ અને મોડલ પ્રીમિયમ માટે લોડિંગ જો કોઈ હોય તો, તે બાદ કરવામાં આવે છે.  કુલ ચૂકવેલ પ્રીમિયમ એટલે અતિરિક્ત પ્રીમિયમ, રાઈડર પ્રીમિયમ અને લાગૂપાત્ર ટેક્સ સિવાય મેળવેલ તમામ પ્રીમિયમનો સરવાળો. 

પોલિસી અવધિના અંતે તમને શું મળે છે(મેચ્યોરિટી લાભ)?

Answer

પોલિસી અસરમાં હોય અને સંપૂર્ણ પેઈડ-અપ  હોય અને તમે પોલિસી અવધિના અંત સુધી જીવિત છો તે શરતે પોલિસી અવધિના અંતે, તમે મેચ્યોરિટી લાભ તરીકે મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ (એસએએમ) વત્તા સંચિત નિશ્ચિત ઉમેરો મેળવવાને પાત્ર છઓ. 

મેચ્યોરિટી લાભની ચૂકવણી બાદ, પોલિસી સમાપ્ત થશે, અને કોઈ વધુ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.

મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ(એસએએમ)ને પોલિસીની મેચ્યોરિટી પર ચૂકવવાપાત્ર નિશ્ચિત રકમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

આ પોલિસીમાં કોઈ રાઈડર ઉપલબ્ધ છે?

Answer

હા, પોલિસીમાં તમને નીચે મુજબના રાઈડર પસંદ કરી શકો છો.

એ. ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેઈવર ઑફ પ્રીમિયમ (ડબલ્યૂઓપી) રાઈડર(યુઆઈએનઃ  143બી017વી01)

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

આ રાઈડર, પસંદ કરવામાં આવે ત્યારે, પસંદ કરેલ રાઈડર વિકલ્પના આધારે રાઈડર અંતર્ગત વ્યાખ્યાયિત કર્યાં અનુસાર પોલિસીધારક/આરક્ષિત વ્યક્તિના મૃત્યુ, અકસ્માતી કાયમી વિકલાંગતા અથવા સંગીન બિમારીના કિસ્સામાં, તમારી બેઝ પોલિસીમાંથી તમામ ભાવિ પ્રીમિયમને માફ કરીને તમને આધાર આપે છે.  પોલિસીધારક/આરક્ષિત વ્યક્તિ માટે વિકલ્પો નીચે મુજબ છે.
 

વિકલ્પલાભ
વેઈવર ઑફ પ્રીમિયમ ઓન ડેથરાઈડર અને બેઝ પોલિસી અસરમાં હોવાની શરતે, પોલિસીધારકની મૃત્યુની સ્થિતિમાં(ફક્ત ત્યાર જ્યારે બેઝ પોલિસી અંતર્ગત આરક્ષિત વ્યક્તિ અને પોલિસીધારક અલગ અલગ વ્યક્તિઓ હોય) આ વિકલ્પ બેઝ પોલિસી અંતર્ગત તમામ ડ્યૂ  અને ચૂકવવાપાત્ર ભાવિ પ્રીમિયમની મુક્તિનો લાભ આપે છે.
વેઈવર ઑફ પ્રીમિયમ ઓન એક્સિડેન્ટલ ટોટલ પરમેનન્ટ ડિસેબિલીટી અથવા ક્રિટીકલ ઈલનેસ(નું નિદાન)રાઈડર અને બેઝ પોલિસી અસરમાં હોવાની શરતે નીચેની ઘટના અથવા આનુષાંગિક ઘટનાઓ થવાની સ્થિતિમાં આ વિકલ્પ બેઝ પોલિસી અંતર્ગત તમામ ડ્યૂ  અને ચૂકવવાપાત્ર ભાવિ પ્રીમિયમની મુક્તિનો લાભ આપે છે; રાઈડર આરક્ષિત વ્યક્તિની કુલ કાયમી વિકલાંગતા અથવા રાઈડર અંતર્ગત આવરેલ કોઈપણ સંગીન બિમારીથી આરક્ષિત વ્યક્તિ પીડાતી હોવાનું નિશ્ચિત નિદાન.
વેઈવર ઑફ પ્રીમિયમ ઓન ડેથ ઓર એકિસડેન્ટલ ટોટલ પરમેનન્ટ ડિસેબિલિટી અથવા ક્રિટીકલ ઈલનેસનીચેની કોઈપણ ઘટના વહેલી થવા પર બેઝ પોલિસી અંતર્ગત આ વિકલ્પ  તમામ ડ્યૂ અને ચૂકવવાપાત્ર ભાવિ પ્રીમિયમમાંથી મુક્તિના લાભનો વિકલ્પ આપે છે – રાઈડર આરક્ષિત વ્યક્તિની મૃત્યુ અથવા રાઈઢર આરક્ષિત વ્યક્તિની અકસ્માતી સંપૂર્ણ કાયમી વિકલાંગતા અથવા રાઈડર અને અસરમાં રહેલ બેઝ પોલિસીને આધીન રાઈડર અંતર્ગત આવરીત સંગીન બિમારીઓમાંથી કોઈપણ એકથી રાઈડર આરક્ષિત વ્યક્તિને હોવાનું મંજૂર નિદાન.આ વિકલ્પ પસંદ કરવા માટે, આરક્ષિત વ્યક્તિ અને પોલિસી ધારક બેઝ પોલિસી અંતર્ગત અલગ વ્યક્તિ હોવા જરૂરી છે

જો એડવાન્સમાં ચૂકવવામાં આવે તો, શું મને રીન્યૂઅલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મળશે?

Answer

પ્રીમિયમની ડ્યૂ તારીખના  કમ સે કમ એક મહિના પહેલાંથી લઈને ડ્યૂ તારીખના 12 મહિના પહેલાં જો તમારા દ્વારા પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવે તો અને જો પ્રીમિયમની ડ્યૂ તારીખ એજ નાણાંકીય વર્ષમાં આવતી હોય તો, અમારા દ્વારા રીન્યૂઅલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.  ડિસ્કાઉન્ટ માટે પાત્રતા મેળવવા માટે, પ્રીમિયમની ડ્યૂ તારીખ પહેલાં એડવાન્સમાં મહત્તમ 3 મહિનાના ગાળા સુધી કોઈએક નાણાંકીય વર્ષનું ડ્યૂ પ્રીમિયમ તેની પહેલાંના નાણાંકીય વર્ષમાં લઈ શકાય છે.  જો પ્રીમિયમની ડ્યૂ તારીખ પહેલાંના એક મહિનાની અંદર જો પ્રીમિયમ ચૂકવવામાં આવે તો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં.

શું ચૂકી ગયેલ પ્રીમિયમ માટે ગ્રેસ ગાળો હોય છે?

Answer

રીસ્ક કવર સાથે પોલિસી અસરમાં હોય તે ગાળા દરમ્યાન પ્રીમિયમ ડ્યૂ તારીખથી પ્રીમિયમની ચૂકવણી માટે આપવામાં આવેલ સમયગાળો અમે આપીએ છીએ જે ગ્રેસ ગાળો કહેવાય છે.

ડ્યૂ તારીખોએ તમે ડ્યૂ પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી ગયા હો તેવા કિસ્સામાં માસિક માધ્યમ અંતર્ગત 15 દિવસનો અને અન્ય પ્રીમિયમ ચૂકવણી માધ્યમો અંતર્ગત 1 મહિનો પરંતુ 30 દિવસથી ઓછો ન હોય તેવો ગ્રેસ ગાળો આપવામાં આવે છે.  ગ્રેસ ગાળા દરમ્યાન આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં પસંદ કરેલ લાભ વિકલ્પ અનુસાર કોઈપણ આવરી લેવાયેલ ઘટના ઘટવાની સ્થિતિમાં મૃત્યુની તારીખ સુધી ન ચૂકવેલ ડ્યૂ પ્રીમિયમને બાદ કર્યા બાદ અમારા દ્વારા તમને લાભૂ ચૂકવવામાં આવશે.  આ ગાળા દરમ્યાન પોલિસી અસરમાં ગણાશે.  

આ પોલિસીમાં વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને ત્રિમાસિક પુનરાવર્તિતા માટે 30 દિવસનો ગ્રેસ ગાળો હોય છે અને માસિક પુનરાવર્તિતા માટે પ્રીમિયમ ડ્યૂ તારીખથી 15 દિવસનો ગ્રેસ ગાળો હોય છે.  આ ગાળા દરમ્યાન, લાઈફ એશ્યોર્ડની મૃત્યુના કિસ્સામાં, મૃત્યુ થવાની તારીખ પહેલાં ડ્યૂ પ્રીમિયમને બાદ કરીને રહેતો મૃત્યુ લાભ નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવામાં આવશે. 

આ પોલિસીમાં મને લોન મળી શકે છે?

Answer

હા.  આ પોલિસી અંતર્ગત તમને લોન સુવિધાનો લાભ મળી શકે છે. 

કોઈપણ સમયે તમને મળવાપાત્ર લોનની રકમ સરન્ડર મૂલ્ય પર આધાર રાખે છે.  ધારણ કરેલ સરન્ડર મૂલ્ય જો કોઈ હોય તો તેના 70% સુધીની લોનની રકમ તમે મેળવી શકો છો.  મેળવવાપાત્ર લોનની લઘુતમ રકમ રૂ।. 1000 છે.  નાણાંકીય વર્ષ 2021-22 માટે વર્તમાન વ્યાજ દર વાર્ષિક 9 % છે(સાદુ વ્યાજ) જે સમયે સમયે બદલાઈ શકે છે.  લોન પર વ્યાજદરની ગણતરી માટે વપરાતો આધાર 10-વર્ષીય-જી-સેક દર છે જે છેલ્લા નાણાંકીય વર્ષના અંતે વત્તા સૌથી નજીકના 50 બેસિસ પોઈન્ટ સુધી પૂર્ણાંકીત 250 બેસિસ પોઈન્ટના એબ્સોલ્યૂટ માર્જીનના આધારે ગણવામાં આવે છે.  મેળવેલ વ્યાજ દર આગામી નાણાંકીય વર્ષ દરમ્યાન લાગૂપાત્ર રહેશે.  લોનના વ્યાજદરની ગણતરીના આધારમાં કોઈપણ ફેરફાર આઈઆરડીએઆઈ તરફથી પૂર્વ મંજૂરીને આધીન છે.

લોનની ઉપલબ્ધિ પર, આ પોલિસી અમને ફાળવવામાં આવશે.  અમારા દ્વારા તમને આ પોલિસી ફરીથી ફાળવવામાં આવશે શરતે તમારા દ્વારા વ્યાજ સાથે સમગ્ર્ લોનની રકમની પુનઃચૂકવણી કરવામાં આવી હોય.  નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસદાર(વારસદારો)ને મૃત્યુ લાભ ચૂકવતા પહેલાં અથવા આરક્ષિત વ્યક્તિને મેચ્યોરિટી લાભ ચૂકવતા પહેલાં કોઈપણ ન ચૂકવેલી લોનની રકમ અને તેનું વ્યાજ અમારા દ્વારા વસૂલવામાં આવશે.  પેઈડ-અપ પોલિસીઓ માટે જ્યારે વ્યાજ સાથે લોનની મૂળ રકમ સરન્ડર મૂલ્ય કરતાં વધી જાય ત્યારે, અમારા દ્વારા પોલિસી ફરજીયાતપણે સરન્ડર કરવામાં આવશે અને સરન્ડર મૂલ્ય અથવા પેઈડ-અપ લાભમાંથી વ્યાજ સાથે આઉટસ્ટેન્ડિંગ લોનની રકમ વસૂલવામાં આવશે.  અસરમાં રહેલ પોલિસીને ફરજીયાત સરન્ડર લાગૂપાત્ર નથી. અસરમાં રહેલ પોલિસીઓ માટે, જો વ્યાજ સાથે આઉટસ્ટેન્ડિંગ લોનની રકમ સરન્ડર મૂલ્યના 90% કરતાં વધી જાય તો, કંપની દ્વારા પોલિસીધારકને લોનની અંશતઃ અથવા સંપૂર્ણ પુનઃચૂકવણી કરવા માટે નોટિસ પાઠવવામાં આવશે.  જો નોટિસ મળ્યા બાદ લોનની પુનઃચૂકવણી ન કરવામાં આવે તો, કોઈપણ લાભની ચૂકવણી પહેલાં આઉટસ્ટેન્ડિંગ લોન અને સાથે વ્યાજની રકમને એડજસ્ટ કરવામાં આવશે.  વ્યાજ સાથે આઉટસ્ટેન્ડિંગ લોનની રીકવરી બાદ, બાકી લાભ જો કોઈ હોય તો, તે ચૂકવવાપાત્ર રહેશે.  

આ પોલિસીમાં ટેક્સ લાભ શું હોય છે?

Answer

ચૂકવેલા પ્રીમિયમ પર અને મેળવેલ લાભ પર પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભ મળી શકે છે.  સરકારી ટેક્સ કાયદા અનુસાર સમયાંતરે બદલાવને આધીન છે.  આ પોલિસી ખરીદતા પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.

તમે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો શું થશે?

Answer

ગ્રેસ ગાળા અંતર્ગત, પોલિસી અંતર્ગત ડ્યૂ પ્રીમિયમની ચૂકવણી ન કરવાના કિસ્સામાં,  પોલિસીમાં નિશ્ચિત સરન્ડર વેલ્યૂ ન મળી હોય તો પોલિસી રદ થશે.  જોખમ કવર સમાપ્ત થશે, અને રદ થયેલ પોલિસીના કિસ્સામાં કોઈ વધુ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.

જો બે સંપૂર્ણ વર્ષ કરતાં ઓછા પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય તો પોલિસી રદ થશે.  તેમ છતાં, રીવાઈવલ ગાળા અંતર્ગત તમે તમારી રદ થયેલ પોલિસી રીવાઈવ કરી શકો છો.   જો રદ થયેલ પોલિસી રીવાઈવલ ગાળા દરમ્યાન રીવાઈવ ન કરવામાં આવે તો, રીવાઈવલ ગાળાની સમાપ્તિ બાદ કોઈ લાભની ચૂકવણી કર્યા વગર તેને ફોરક્લોઝ કરવામાં આવશે.  વધુ જાણકારી માટે નીચે રીવાઈવલ વિશે વિભાગ 13 તમે જોઈ શકો છો.

જો કમ સે કમ (2) પૂર્ણ વર્ષોના તમામ પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય અને ત્યારબાદનું કોઈ ડ્યૂ પ્રીમિયમ ચૂકવવામાં ન આવ્યું હોય તો, પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી ગ્રેસ ગાળાની સમાપ્તિ બાદ પોલિસી પેઈડ-અપ મૂલ્ય ધારણ કરશે.

નોંધઃ

  • ઘટતી પેઈડ-અપ પોલિસી શરતોને આધીન પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી પાંચ વર્ષની અંદર રીવાઈવ કરી શકાય છે(વાસ્તવિક લાભમાં)
  • રીવાઈવલ ગાળા દરમ્યાન, જો પોલિસી ઘટતા પેઈડ અપ મોડમાં રીવાઈવ ન કરવામાં આવે તો, મેચ્યોરિટી, અથવા મૃત્યુ અથવા પોલિસી સરન્ડર ન થાય ત્યાં સુધી ઘટતા પેઈડ અપ મોડમાં ચાલુ રહેશે.

એક વખત પોલિસી પેઈડ-અપ બને એટલેઃ

  • ઘટતી પેઈડ-અપ પોલિસી અંતર્ગત મૃત્યુ લાભઃ  પોલિસી અવધિ દરમ્યાન મૃત્યુ પર, લાગૂપાત્ર મૃત્યુ લાભ મૃત્યુ પર પેઈડ-અપ સમ એશ્યોર્ડ વત્તા સંચિત નિશ્ચિત ઉમેરો રહેશે; જ્યાં મૃત્યુ પર પેઈડ-અપ સમ એશ્યોર્ડને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે – મૃત્યુ પર સમ એશ્યોર્ડ*(ચૂકવેલ કુલ પ્રીમિયમ)/(પોલિસીની અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા).
  • ઘટતી પેઈડ-અપ પોલિસી અંતર્ગત મેચ્યોરિટી લાભઃ  પોલિસી અવધિના અંત સુધી આરક્ષિત વ્યક્તિ જીવિત હોય તો, મેચ્યોરિટી લાભ મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ વત્તા સંચિત નિશ્ચિત ઉમેરો રહેશે; જ્યાં મેચ્યોરિટી પર પેઈડ-અપ સમ એશ્યોર્ડને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે – મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ*(ચૂકવેલ કુલ પ્રીમિયમની સંખ્યા)/(પોલિસી અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા)   

મૃત્યુ અથવા મેચ્યોરિટી, કોઈપણ કિસ્સામાં ઉપર જણાવ્યા અનુસાર ચૂકવેલ કુલ લાભ આ પોલિસી અંતર્ગત ચૂકવેલ પ્રીમિયમથી ઓછું રહેશે નહીં.

પોલિસી રીવાઈવ કરવા માટે તમારા વિકલ્પો કયા છે?

Answer

પોલિસી અવધિની સમાપ્તિ પહેલાં પરંતુ પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની ડ્યૂ તારીખથી 5 વર્ષમાં તમે નીચેના દ્વારા તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો-

  • વ્યાજ સાથે તમામ ન ચૂકવેલ ડ્યૂ પ્રીમિયમ ચૂકવીને; અને
  • બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસી અનુસાર જો જરૂર હોય તો આરોગ્યના સંતોષકારક પૂરાવા આપીને.

રદ થયેલ પોલિસી તેના તમામ લાભ સાથે, અમારી બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઇટિંગ પોલિસી અનુસાર જ રીવાઈવ કરવામાં આવશે.   અસરમાં રહેલ પોલિસી માટે પોલિસી રીવાઈવ કરવામાં આવે તો, પોલિસીના નિયમો અને શરતો અનુસાર તમામ લાભ પુનઃસ્થાપિત કરવામાં આવશે.  રદ થયેલ(લેપ્સ) પોલિસીના રીવાઈવલ પર, પોલિસી જે ગાળા દરમ્યાન તે રદ સ્થિતિ(લેપ્સ)માં હતી તે ગાળા માટે નિશ્ચિત ઉમેરા માટે પાત્ર બનશે.  ભવિષ્યના નિશ્ચિત ઉમેરા માટે પણ પોલિસી માન્ય બનશે.  

નોંધઃ  પ્રીમિયમ ચૂકવણીમાં વિલંબ માટે નાણાંકીય વર્ષ 2021-22 માટે ચાર્જ કરવામાં આવતો વર્તમાન વ્યાજદર, વાર્ષિક 9.50%નું સાદુ વ્યાજ છે.  રીવાઈવલ પર વ્યાજદરની ગણતરી માટે ઉપયોગમાં લેવાતો આધાર છેલ્લાં નાણાંકીય વર્ષના અંતે 10 વર્ષીય જી-સેક દર વત્તા નજીકના 50 બેઝિસ પોઈન્ટ સુધી પૂર્ણાંકિતકરવામાં આવતા 300 બેઝિસ પોઈન્ટનું સંપૂર્ણ માર્જીન છે.  મેળવેલ વ્યાજ દર આગામી નાણાંકીય વર્ષ દરમ્યાન લાગૂપાત્ર રહેશે.  લોનના વ્યાજદરની ગણતરીના આધારમાં કોઈપણ ફેરફાર આઈઆરડીએઆઈ તરફથી પૂર્વ મંજૂરીને આધીન છે.   

શું તમે તમારી પોલિસી સરન્ડર કરી શકો છો?

Answer

તમારી પોલિસીના સંપૂર્ણ લાભનો ફાયદો ઉઠાવવા માટે તમારી પોલિસી ચાલુ રાખવી હિતાવહ છે.  તેમ છતાં, અમે સમજીએ છીએ કે કેટલાંક સંજોગોમાં તમે તમારી પોલિસી સરન્ડર કરવા ઈચ્છી શકો છો.  પ્રથમ બે વર્ષના સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવાઈ ગયા હોય તે બાદ પોલિસી સરન્ડર મૂલ્ય ધારણ કરશે.

પોલિસીએ સરન્ડર મૂલ્ય ધારણ કર્યા બાદ કોઈપણ સમયે લેખિત વિનંતી જમા કરીને તમે પોલિસીની અવધિ દરમ્યાન આ પોલિસી સરન્ડર કરી શકો છો.  યાદ રાખો કે, એકવાર સરન્ડર કર્યા બાદ પોલિસી રીવાઈવ થઈ શકતી નથી.

સરન્ડર પર ચૂકવવાપાત્ર રકમ ગેરંટીડ સરન્ડર વેલ્યૂ(જીએસવી) અને સ્પેશિયલ સરન્ડર વેલ્યૂ(એસએસવી) જે પણ વધુ હશે તેટલી રહેશે.

ગેરંટીડ સરન્ડર વેલ્યૂ(જીએસવી)  

જીએસવી પરિબળો સરન્ડરના પોલિસી વર્ષ અને પોલિસી અવધિ પર આધારીત છે અને નીચે પ્રમાણે ગણવામાં આવે છે.

પ્રીમિયમ માટે જીએસવી પરિબળ*ચૂકવેલ કુલ પ્રીમિયમ+નિશ્ચિત ઉમેરા માટે જીએસવી પરિબળ*સંચિત નિશ્ચિત ઉમેરો

સ્પેશિયલ સરન્ડર વેલ્યૂ(એસએસવી) 
  
સંપૂર્ણપણે પેઈડ-અપ પોલિસી એટલે કે તમામ ડ્યૂ પ્રીમિયમની ચૂકવણી પર કે ચૂકવ્યા બાદ:

એસએસવી નીચે અનુસાર ગણવામાં આવશેઃ

(મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ) ગુણ્યા સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ + સંચિત નિશ્ચિત ઉમેરો ગુણ્યા સરન્ડર સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ રીડ્યૂસ્ડ પેઈડ-અપ પોલિસી માટેઃ

એસએસવી નીચે અનુસાર ગણવામાં આવશેઃ

મેચ્યોરિટી પર પેઈડ-અપ સમ એશ્યોર્ડ ગુણ્યા સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ + સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ ગુણ્ચા સંચિત નિશ્ચિત ઉમેરો.

આઈઆરડીએઆઈની પૂર્વમંજૂરીને આધીન રોકાણ પરિસ્થિતિના સંદર્ભમાં સમયે સમયે કંપની દ્વારા એસએસવી પરિબળ નક્કી કરવામાં આવશે.

નિશ્ચિત સરન્ડર મૂલ્ય પરિબળો વિશે વધુ વિગતો માટે જુઓ, એનેક્સર 1 અથવા અમારી વેબસાઈટ, www.indiafirstlife.com ની મુલાકાત લો અથવા તમારા નાણાંકીય સલાહકારનો સંપર્ક કરો.

ગ્રેસ ગાળાની સમાપ્તિ અંતર્ગત પ્રીમિયમની ચૂકવણી ન કરવામાં આવે અને પોલિસીએ કોઈ સરન્ડર મૂલ્ય ધારણ ન કર્યું હોય તો, પોલિસી રદ થશે.  તમામ લાભ સમાપ્ત થશે અને પોલિસી અંતર્ગત કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.

તમારી પોલિસીમાં ઉપલબ્ધ ફ્રી-લુક ગાળો શું છે?

Answer

ફ્રી-લુક ગાળા દરમ્યાન તમે તમારી પોલિસી પરત કરી શકો છો;

જો તમે પોલિસીના કોઈપણ નિયમો અને શરતો સાથે અસહમત હો તો, તમારી પાસે પોલિસીના નિયમો અને શરતોનું મૂલ્યાંકન કરવાનો વિકલ્પ છે અને  આ નિયમો અથવા શરતોમાં જ્યાં તમે અસહમત હો ત્યાં પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર, તેનું કારણ આપીને તમારી પાસે ઈન્શ્યોરરને પોલિસી કેન્સલ કરવા માટે પોલિસી પરત કરવાનો વિકલ્પ છે.  ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા લીધેલ પોલિસી માટે ફ્રી-લુક ગાળો 30 દિવસનો રહેશે.

તમારી પોલિસી કેન્સલ કરવા પર તમને કોઈ રિફંડ મળે છે? 

હા. અમારા દ્વારા નીચે મુજબ રકમ રિફંડ કરવામાં આવશે –

ચૂકવેલ પ્રીમિયમ 

બાદઃ   i. પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ અને પોલિસી અસરમાં હોય તે સમય માટે જો કોઈ હોય તે રાઈડર પ્રીમિયમ

બાદઃ  ii. કોઈપણ ચૂકવેલ સ્ટેમ્પ ડ્યૂટી

જ્યાં પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ કવરના ગાળા માટે રિસ્ક પ્રીમિયમને સપ્રમાણમાં હોય છે ડિસ્ટન્સ માર્કેટિંગમાં ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને નીચેના દ્વારા ઈન્શ્યોરન્સ ઉત્પાદનોના વેચાણનો સમાવેશ થાય છેઃ  બાદ:  iii. તબીબી પરિક્ષણ દરમ્યાન થયેલ ખર્ચ, જો કોઈ ડિસ્ટન્સ માર્કેટિંગ હોય તો ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને નીચેના માધ્યમો દ્વારા ઈન્શ્યોરન્સ ઉત્પાદનોનું વેચાણઃ  (i) વોઈસ માધ્યમ, જેમાં ટેલિફોન કોલિંગનો સમાવેશ થાય છે; (ii) શોર્ટ મેસેજીંગ સર્વિસ(એસએમએસ); (iii) ઈલેક્ટ્રોનિક મોડ જેમાં ઈ-મેઈલ, ઈન્ટરનેટ અને ઈન્ટરેક્ટીવ ટેલિવિઝન(ડીટીએચ);નો સમાવેશ થાય છે (iv) ફિઝીકલ માધ્યમ જેમાં સીધા પોસ્ટલ મેઈલ અને અખબાર અને મેગેઝીન ઈન્સર્ટનો સમાવેશ થાય છે; અને (v) વ્યક્તિગત સિવાય કોમ્યુનિકેશનના અન્ય કોઈપણ માધ્યમ દ્વારા ચર્ચા.

જમા કરાવવામાં આવેલ જાણકારી ખોટી અથવા અચોક્કસ હોય તો શું થશે?

Answer

સમયે સમયે સુધારાપાત્ર ઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45ની જોગવાઈઓ અનુસાર છેતરપિંડી/ખોટી રજૂઆતનો ઉકેલ લાવવામાં આવશે.

સમયે સમયે સુધારાપાત્ર ઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45 દર્શાવે છે કે  

1) પોલિસીની તારીખથી ત્રણ વર્ષની સમાપ્તિ બાદ કોઈપણ કારણોસર લાઈફ ઈન્શ્યોરન્સની કોઈ પોલિસીને પૂછપરછ માટે બોલાવાશે નહીં દા.ત. પોલિસીની ફાળવણીની તારીખ અથવા રિસ્ક શરૂ થવાની તારીખ અથવા પોલિસીના રીવાઈવલની તારીખ અથવા પોલિસીના રાઈડરની તારીખ, જે પણ પછી હોય તે.

2) છેતરપિંડીના આધાર પર પોલિસીની ફાળવણીની તારીખથી અથવા રિસ્ક શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખ જે પણ પછી હોય તેનાથી ત્રણ વર્ષની અંદર લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છે એ શરતે કેઃ  ઈન્શ્યોરરે ઈન્શ્યોરન્સ ધરાવતી વ્યક્તિને અથવા કાનૂની પ્રતિનિધિને અથવા ઈન્શ્યોરન્સ ધરાવતી વ્યક્તિના નોમિનીને અથવા એસાઈનીને આ પ્રકારનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે તેનો આધાર અને મટિરીયલ જણાવીને લેખિતમાં જાણ કરવાની રહેશે. 

3) પેટાવિભાગ (2) માં સામેલ કંઈપણ વસ્તુને ધ્યાનમાં લીધા વગર, કોઈપણ ઈન્શ્યોરર છેતરામણીના આધાર પર લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને નકારી શકશે નહીં જો આરક્ષિત વ્યક્તિ દ્વારા સાબિત કરવામાં આવે કે મટિરીયલ સંબંધી ખોટું નિવેદન અથવા તેને દબાવવાનું કૃત્ય  તેમની શ્રેષ્ઠ જાણ અને વિશ્વાસ અનુસાર હોય અથવા તથ્યને દબાવવાનો કોઈ વિચારેલો ઈરાદો ન હોય અથવા આવું ખોટુ નિવેદન અથવા મટિરિયલ સંબંધી તથ્યને દબાવવાનું કૃત્ય ઈન્શ્યોરરની જાણમાં હોયઃ છેતરામણીના કિસ્સામાં જો પોલિસીધારક જીવિત ન હોય તો, જૂઠાણાંને નકારવાની જવાબદારી લાભાર્થીઓની હોય છે.

4) પોલિસી જેના આધાર પર ફાળવવામાં આવી હોય અથવા રીવાઈવ કરવામાં આવી હોય અથવા રાઈડર ફાળવવામાં આવ્યું હોય તે પ્રપોઝલ અથવા અન્ય દસ્તાવેજમાં આરક્ષિત વ્યક્તિની લાઈફ એક્સપેક્ટન્સી વિશે કોઈ નિવેદન અથવા તથ્ય સંબંધી મટિરીયલ દબાવવાનું કાર્ય અયોગ્ય રીતે કરવામાં આવ્યું હોય તો   પોલિસી ફાળવ્યાની તારીખથી અથવા જોખમ શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખથી, જે પણ બાદમાં હોય તેનાથી ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છેઃ  એ શરતે કે ઈન્શ્યોરર દ્વારા આરક્ષિત વ્યક્તિને અથવા તેમના કાનૂની પ્રતિનિધિને અથવા આરક્ષિત વ્યક્તિના નોમિની અથવા એસાઈનીને લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને નકારવાનો નિર્ણય લેવા પાછળની પશ્ચાદભૂમિકા અથવા મટિરીયલ વિશે લેખિતમાં જાણ કરવામાં આવેઃ  વધુ એ પણ શરતે કે પોલિસીનો નકારના કિસ્સામાં, તે ખોટુ નિવેદન અથવા તથ્યો દબાવવાના કૃત્યના આધાર પર કરવામાં આવ્યું હોય અને છેતરામણીના આધાર પર ન કરવામાં આવ્યું હોય તો, નકારની તારીખ સુધી પોલિસી પર એકત્ર કરેલ પ્રીમિયમ આરક્ષિત વ્યક્તિ અથવા કાનૂની પ્રતિનિધિ અથવા નોમિની અથવા આરક્ષિત વ્યક્તિના એસાઈનીને આ પ્રકારના નકારની તારીખથી 90 દિવસની અંદર ચૂકવવામાં આવશે. 

5) આ વિભાગમાં એવું કંઈપણ નથી જે ઈન્શ્યોરરને, જો તેઓ અધિકાર ધરાવતા હોય તો, કોઈપણ સમયે વયનો પુરાવો માંગતા રોકી શકે, અને પ્રપોઝલમાં આરક્ષિત વ્યક્તિની વય ખોટી જણાવવા આવી છે તેના પુરાવા બાદ પોલિસીની શરતો એડજસ્ટ કરવામાં આવી ફક્ત તેના આધારે પોલિસીને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે તેવું માનવામાં આવશે નહીં.

આરક્ષિત વ્યક્તિ દ્વારા આત્મહત્યા કરવામાં આવે તો શું થાય છે(આત્મહત્યા બાકાતી)?

Answer

પોલિસી અસરમાં હોવાની શરતે, પોલિસી અંતર્ગત રિસ્ક શરૂ થવાની તારીખથી 12 મહિનાની અંદર અથવા લાગૂ પડ્યા અનુસાર પોલિસીના રીવાઈવલની તારીખથી 12 મહિનાની અંદર જે પણ લાગૂપાત્ર હોય ત્યારે, આત્મહત્યાને કારણે આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, પોલિસીધારકના નોમિની અથવા લાભાર્થી મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમના 80% અથવા મૃત્યુની તારીખે ઉપલબ્ધ સરન્ડર મૂલ્ય જે પણ વધારે હોય તે મેળવવાને પાત્ર બનશે. 

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન
Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.6 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,131 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan