Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

whatsapp

વૉટ્સએપ પર વાત કરો

અમારી મૈત્રીપૂર્ણ ટીમ સાથે વાત કરો

વૉટ્સએપ નંબર
+91 22 6274 9898
whatsapp

અમને કોલ કરો

સોમવાર-શનિવાર, સવારે 9.00થી રાતે 9.00

ટૉલ ફ્રી નંબર

(આઈવીઆર ફ્લો)

ફક્ત ભારત બહારના કોલર્સ માટે
whatsapp

અમને ઈમેઈલ કરો

અમે 24x7 તમારી સેવામાં હાજર છીએ

સર્વિસ વિનંતીઓ
ક્લેઈમ્સ માટે
whatsapp

ઓનલાઈન ખરીદીઓ

સોમવાર-શનિવાર, સવારે 9.00થી સાંજે 7.00

ઓનલાઈન ખરીદી નંબર
whatsapp

સંપર્ક વિગતો – એનઆરઆઈ

સોમવાર-શનિવાર, સવારે 9.00થી રાત્રે 9.00

અમને કોલ કરો

લાઈફ ઈન્શ્યોરન્સની પાયારૂપ બાબતો માટે તમારી માર્ગદર્શિકા

girl-book

ઈન્ડિયાઝ ફર્સ્ટ (ભારતનું પ્રથમ)

‘ભારતના પ્રથમની શ્રેણી(કલેક્શન ઑફ ઈન્ડિયાઝ ફર્સ્ટ)’ સાથે ભારતની અગ્રેસર ઉપલબ્ધિઓની એક સફરનો હિસ્સો બનો.

vintage-pic

અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

View All FAQ’s

ઈ-ઈન્શ્યોરન્સ શું છે?

Question
ઈ-ઈન્શ્યોરન્સ શું છે?
Answer

ઈ-ઈન્શ્યોરન્સનો અર્થ શું છે?

ઈ-ઈન્શ્યોરન્સ ઈન્શ્યોરન્સ રિપોઝીટરી સાથેનો ડિમેટ ખાતા જેવો ઈન્શ્યોરન્સ છે.     તે તમારી તમામ ઈન્શ્યોરન્સ પોલિસીઓને ઈલેક્ટ્રોનિક/ડીમટેરિયલાઈઝ્ડ સ્વરૂપે રાખવા માટેની ભરોસેમંદ સુવિધા આપે છે. ઈન્શ્યોરન્સ પોલિસીઓમાં સરળતાથી સુધારા કરવાનું શક્ય બનાવતું આ એકમેવ માધ્યમ છે.  તમારે ફક્ત ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ ખોલવાનું છે અને આ ખાતામાં તમારી તમામ ઈન્શ્યોરન્સ પોલિસીઓને ટેગ કરવાની છે.

ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ એક નિઃશૂલ્ક, ખોલવામાં અને સંચાલનમાં સરળ, અતિ સુરક્ષિત અને ઓનલાઈન ઉપલબ્ધ એકાઉન્ટ છે.  તમામ ઈન્શ્યોરરની તમારી તમામ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીઓ તમે એક જ ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટથી સંચાલિત કરી શકો છો.  જે તમને ખરા સમયે તમારા ઈન્શ્યોરન્સ પોર્ટફોલિયોની સ્થિતિ જોવામાં અને તેનું સંચાલન કરવામાં મદદ કરે છે.

ઈ-ઈન્શ્યોરન્સ ખાતા સાથે દરેક ખરીદી માટે તમે કેવાયસી શરતો(સરનામું અને ઓળખનો પુરાવો)થી કામ ચલાવી શકો છો.
 

ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટના શું ફાયદા છે?

  • સુરક્ષાઃ  ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ સાથે કોઈ જોખમ કે નુકસાન જોડાયેલું ન હોવાથી આ ઈલેક્ટ્રોનિક ફોર્મ ખાતરી કરે છે કે પોલિસીઓ સુરક્ષિત કસ્ટડીમાં છે
  • સગવડતાઃ  એક જ ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ અંતર્ગત તમામ ઈન્શ્યોરન્સ પોલિસીઓ ઈલેક્ટ્રોનિક રીતે ફાઈલ કરી શકાય છે.  પોલિસીની નકલ ડાઉનલોડ કરી શકાય છે અને સાથે કોઈપણ પોલિસીની વિગતો ઈન્શ્યોરન્સ રિપોઝીટરીના ઓનલાઈન પોર્ટલ પર લોગ ઈન કરીને ગમે તે સમયે એક્સેસ કરી શકાય છે.
  • એક જ સ્થળે બધી સેવાઃ  ફક્ત એક વિનંતીથી અનેક ઈન્શ્યોરરની પોલિસીઓ સાચવી શકાય છે.  કોઈપણ ઈન્શ્યોરન્સ રિપોઝીટરીના સર્વિસ પોઈન્ટ પર સર્વિસ વિનંતી જમા કરાવી શકાય છે.  ઉદાહરણ તરીકે, ઈન્શ્યોરન્સ રિપોઝીટરીને કરેલ સરનામામાં ફેરફારની વિનંતી વિવિધ ઈન્શ્યોરરો દ્વારા ફાળવવામાં આવેલી પોલિસીઓને અપડેટ કરી શકે છે.  આ સેવા વિનંતી માટે તમારે અલગ અલગ ઈન્શ્યોરરોની અલગ અલગ ઑફિસોની મુલાકાત લેવાની જરૂર નથી.
  • સમય બચાવો અને પ્રકૃતિની જતન કરોઃ  દરેક વખતે નવી પોલિસી લેવાય ત્યારે તમારે કેવાયસી વિગતો જમા કરાવવાની જરૂર નથી.  અને તમારી તમામ લેવડદેવડ પેપરરહિત હોવાથી, તમે પર્યાવરણના રક્ષણમાં પણ હિસ્સો આપો છો.
  • એકાઉન્ટનું સ્ટેટમેન્ટઃ  દર વર્ષે કમ સે કમ એકવાર, ઈન્શ્યોરન્સ રિપોઝીટરી તમારી તમામ પોલિસીઓની વિગતો સાથેનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ તમને મોકલશે.
  • સિંગલ વ્યૂ:  ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટધારકોની મૃત્યુના કિસ્સામાં અધિકૃત વ્યક્તિને તમામ પોલિસીઓનો સિંગલ વ્યૂ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Tags

ઈઆઈએ શું છે અને તેના શું લાભ છે?

Question
ઈઆઈએ શું છે અને તેના શું લાભ છે?
Answer

ઈઆઈએનો અર્થ છે ‘ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ’ અથવા ‘ઈલેક્ટ્રોનિક ઈન્શ્યોરન્સ એકાઉન્ટ’.  ઈલેક્ટ્રોનિક સ્વરૂપે તૈયાર કરવામાં આવતા અને વ્યક્તિના ડિમેટ એકાઉન્ટમાં સ્ટોર કરવામાં આવતા શેર, બોન્ડ અને મ્યૂચ્યુઅલ ફંડ જેવા સિક્યોરિટીના સર્ટિફિકેટોની જેમ જ ઈન્શ્યોરન્સ પોલિસીઓને ઈલેક્ટ્રોનિક રૂપે સ્ટોર કરી શકાય છે અને ઈન્શ્યોરન્સ રિપોઝીટરી સાથે વ્યક્તિના ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ(ઈઆઈએ)માં રાખી શકાય છે.

મારે શા માટે ઈઆઈએ(ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ) ખોલવું જોઈએ?

તમારે ઈઆઈએ ખોલવું જોઈએ કેમ તે કોઈપણ અતિરિક્ત ખર્ચ વગર તમારી ઈન્શ્યોરન્સ પોલિસીઓને સરળ, સુરક્ષિત અને પેપરરહિત રીતે ઈલેક્ટ્રોનિકલ રીતે સ્ટોર કરવાનો  ઉપાય આપે છે.  ઈઆઈએ સાથે, તમારે દરેક સમયે ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે કેવાયસી કાર્યવાહીમાંથી પસાર થવાની જરૂર નથી.  ઈન્શ્યોરન્સ રિપોઝીટરી તમને વિશિષ્ટ ઈઆઈએ એકાઉન્ટ નંબર આપશે જે અંતર્ગત લાઈફ, હેલ્થ, મોટર અને ગ્રુપ કવર સહિત તમારી તમામ પોલિસીઓ સ્ટોર કરવામાં આવશે.

ઈઆઈએ ખોલવાના શું ચાર્જ છે?

ઈઆઈએ ખોલવાનું નિઃશુલ્ક છે.  ઈન્શ્યોરન્સ રિપોઝીટરી સાથે જોડાયેલ કોઈપણ વ્યક્તિને તમારે કંઈ ચૂકવવાની જરૂર નથી.

શું વ્યક્તિગત/પોલિસીધારક એક કરતાં વધુ ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ ખોલાવી શકે છે?

ના.  વ્યક્તિ/પોલિસીધારક ઈન્શ્યોરન્સ રિપોઝીટરી સાથે ફક્ત એક ઈઆઈએ ખોલાવી શકે છે.  અલગ અલગ ઈન્શ્યોરન્સ રિપોઝીટરી સાથે તમે એક કરતાં વધુ ઈઆઈએ ખોલાવી શકતા નથી.  તમે ઈઆઈએ ખોલો પછી, તમામ આઈઆરએસમાં તમારી વિગતો કેન્દ્રિય ધોરણે સ્ટોર થશે.

ઈઆઈએ એપ્લિકેશન ફોર્મ શું છે?

ઈઆઈએ એપ્લિકેશન ફોર્મ તમારા, પોલિસીધારક દ્વ્રારા ઈન્શ્યોરન્સ રિપોઝીટરી સાથે ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ ખોલવા માટે કરવામાં આવેલ એપ્લિકેશન છે.  આ ફોર્મ ઈન્શ્યોરન્સ કંપનીઓ અથવા કોઈપણ ઈન્શ્યોરન્સ રિપોઝીટરી પાસે ઉપલબ્ધ હોય છે

ઈઆઈએ ખાતું ખોલવા માટેની મૂળભૂત જરૂરીયાત શું છે?

ઈઆઈએ ફોર્મને ભરીને તમારા ફોટો ઓળખપત્ર, પાન કાર્ડ/આધાર કાર્ડની નકલ અને સરનામાના પુરાવા સાથે ઈન્શ્યોરન્સ કંપની અથવા ઈન્શ્યોરન્સ રિપોઝીટરીની શાખા ખાતે જમા કરાવવું જરૂરી છે.

પોલિસી વગર શું હું ઈઆઈએ એકાઉન્ટ ખોલાવી શકું છું?

હા.  ઈન્શ્યોરન્સ પોલિસી વગર તમે ઈઆઈએ એકાઉન્ટ ખોલાવી શકો છો.

તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ, ઈઆઈએ એકાઉન્ટ ખોલવામાં કેટલા દિવસ લાગે છે?

તમારું ઈઆઈએ એકાઉન્ટ 7 કાર્યકારી દિવસોની અંદર(મહત્તમ) ખૂલી જશે અને તમને રિપોઝીટરી તરફથી તમારા નોંધાયેલ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી પર મંજૂરીનો એસએમએસ અને ઈ-મેઈલ આવશે.  ઈઆઈએ બ્રોશર, લોગઈન આઈડી અને પાસવર્ડ(જો ઓનલાઈન સેટ કરવામાં આવ્યો ન હોય તો) ધરાવતી વેલકમ કીટ તમારા પત્રવ્યવહારના સરનામે કૂરીયર કરવામાં આવશે.  આ વિગતોનો ઉપયોગ કરીને તમે તમારું ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ એક્ટિવેટ કરાવી શકો છો.

અધિકૃત પ્રતિનિધિ કોણ છે?

અધિકૃત પ્રતિનિધિ એટલે ઈઆઈએ ખોલાવતી વખતે તમારા દ્વારા નીમવામાં આવેલ વ્યક્તિ(પોલિસીધારક).  આ વ્યક્તિ તમારી અકાળ મૃત્યુ અથવા અસક્ષમતાની સ્થિતિમાં ઈઆઈએ ખાતાનું સંચાલન કરશે.  તે ઈન્શ્યોરન્સ રિપોઝીટરીને મૃત્યુના માન્ય પુરાવા સાથે ઈન્શ્યોરન્સ રિપોઝીટરીને તમારી મૃત્યુ વિશે જાણ કરશે અને જો કોઈ ક્લેઈમ હોય તો તેના સેટલમેન્ટ બાદ તમારું એકાઉન્ટ બંધ કરવાની વિનંતી જમા કરશે.

મારા ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટમાં મને કઈ વિગતો મળી શકે છે?

ઈન્શ્યોરન્સ રિપોઝીટરી દ્વારા તમને વિશિષ્ટ એકાઉન્ટ નંબર આપવામાં આવશે.  તેમાં તમામ પ્રકારની પોલિસીઓ જેમ કે લાઈફ, હેલ્થ, મોટર, અને ગ્રુપ કવરનો સમાવેશ થાય છે.  રીપોઝીટરી દ્વારા જાળવવામાં આવેલ ડેટામાં તમારા ક્લેઈમના ઈતિહાસનો સમાવેશ થશે, અને સાથે તમે દર્શાવેલ લાભાર્થી, એસાઈની અને નોમિનીઓના નામ હશે.

પોલિસીધારક અને ઈન્શ્યોરરને ઈન્શ્યોરન્સ રીપોઝીટરી હોવાનો સમગ્રપણે શું લાભ છે?

ઈઆઈએ એકાઉન્ટ ખોલાવવું એ વ્યક્તિ માટે સૌથી લાભદાયી પગલું છે જે કાર્યક્ષમતા અને બહેતર ગ્રાહક સેવાની ખાતરી આપે છે. રીપોઝીટરી તમામ પોલિસીઓને એક એકાઉન્ટમાં સંઘટિત કરતાં હોવાથી, કટોકટીની સ્થિતિમાં તમારા દ્વારા ખરીદાયેલી તમામ પોલિસીઓને નોમિની એક જ સ્થળે એકસેસ કરી શકે છે. આવા સુદ્રઢ માળખાની સ્થિતિમાં, તમારી અધિકૃતતા અને વીમાપાત્રતાની પણ ઈન્શ્યોરર દ્વારા સરળતાથી ખરાઈ શકે છે.  તમારી પોલિસી ઓનલાઈન ખરીદવાની સાથે તમે સરળ અને ઝડપી કાર્યવાહીનો આનંદ માણી શકો છો.

Tags

વર્તમાન ગ્રાહકો માટે પ્રક્રિયા શું છે?

Question
વર્તમાન ગ્રાહકો માટે પ્રક્રિયા શું છે?
Answer

જો તમે વર્તમાન પોલિસીધારક છો અને ઈઆઈએ ખાતુ ખોલાવવામાં રસ ધરાવો છો તો, તમને નીચેના પગલાં દ્વારા આ કરી શકો છોઃ

મેઈલ/કૂરીયર


ઈન્ડિયાફર્સ્ટ લાઈફ તમારી વિગતો અને દસ્તાવેજો સંબંધિત રિપોઝીટરી સાથે શેર કરશે.  તેને બદલે, રીપોઝીટરી ઈઆઈએ ખોલશે.  તમારું ઈઆઈએ નંબર લોગઈન આઈડી અને પાસવર્ડ તમારા નોંધાયેલા ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.  તે જ વિગતો અમારા રેકોર્ડમાં અપડેટ કરવા માટે રીપોઝીટરી દ્વારા ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સાથે તમારો ઈઆઈએ નંબર શેર કરવામાં આવશે.  ફાળવણી બાદ પોલિસી તમારા ઈઆઈએમાં ઈ-ક્રેડિટ થાય છે.

વૉક-ઈન

ઓનલાઈન – રીપોઝીટરી દ્વારા

ઈઆઈએ એકાઉન્ટ માટે અરજી કરવા માટે તમે નીચેનામાંથી કોઈપણ ઈન્શ્યોરન્સ રીપોઝીટરીની વેબસાઈટ જોઈ શકો છોઃ

  1. એનએસડીએલ ડેટાબેઝ મેનેજમેન્ટ લિ.
  2. સીઆઈઆરએલ સેન્ટ્રલ ઈન્શ્યોરન્સ રિપોઝીટરી લિમિટેડ
  3. કાર્વી ઈન્શ્યોરન્સ રિપોઝીટરી લિ.
  4. સીએએમએસ રિપોઝીટરી એન્ડ સર્વિસીઝ લિ.
     

ઈઆઈએ એકાઉન્ટ ખોલવા માટે સ્વીકાર્ય સરનામાના પુરાવાઓનું એનેક્સર.

તમે નીચેનામાંથી કોઈપણ દસ્તાવેજ જમા કરી શકો છોઃ

  • રેશન કાર્ડ
  • પાસપોર્ટ
  • આધાર કાર્ડ
  • મતદાર આઈડી કાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • રાષ્ટ્રીયકૃત બેંક પાસબુક સ્ટેટમેન્ટ(6 મહિનાથી વધુ જુનું ન હોય તેવું)
  • નીચેનાની પ્રમાણિત નકલો

    • ઈલેક્ટ્રીસિટી બિલ(6 મહિનાથી વધુ જુનું ન હોય તેવું)
    • રહેણાંક ટેલિફોન બિલ(6 મહિનાથી વધુ જુનું ન હોય તેવું)
    • રજીસ્ટર્ડ લીઝ અને લાયસન્સ એગ્રીમેન્ટ
Tags

નવા ગ્રાહકો માટે પ્રક્રિયા શું છે?

Question
નવા ગ્રાહકો માટે પ્રક્રિયા શું છે?
Answer

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ તરફથી ઈન્શ્યોરન્સ પોલિસી માટે અરજી કરવા ઈચ્છતા નવા ગ્રાહકો ઈઆઈએ(ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ) ખોલાવવાનું પસંદ કરી શકે છે.  કાર્યવાહી નીચે પ્રમાણે છેઃ

ઓફલાઈન(સહાયિત સેલ્સ)

પોલિસી ખરીદતી વખતે, ઈન્શ્યોરન્સ પ્રપોઝલ ફોર્મ ભરતી વખતે ઈઆઈએ ખોલવાનું પસંદ કરો.  તમારે નીચેનામાંથી કોઈએક રિપોઝીટરી પસંદ કરવું જરૂરી છે.

  1. એનએસડીએલ ડેટાબેઝ મેનેજમેન્ટ લિ.
  2. સીઆઈઆરએલ સેન્ટ્રલ ઈન્શ્યોરન્સ રીપોઝીટરી લિ.
  3. કાર્વી ઈન્શ્યોરન્સ રીપોઝીટરી લિ.
  4. સીએએમએસ રીપોઝીટરી એન્ડ સર્વિસીઝ લિ.
     

ઓનલાઈન

પોલિસી ઓનલાઈન ખરીદતી વખતે, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેબસાઈટ પર ઈન્શ્યોરન્સ પ્રપોઝલ ફોર્મ ભરતી વખતે ઈઆઈએ ભરવાનું પસંદ કરો.  તમારે નીચેનામાંથી કોઈએક રીપોઝીટરી પસંદ કરવાના રહેશે.

  1. એનએસડીએલ ડેટાબેઝ મેનેજમેન્ટ લિ.
  2. સીઆઈઆરએલ સેન્ટ્રલ ઈન્શ્યોરન્સ રીપોઝીટરી લિ.
  3. કાર્વી ઈન્શ્યોરન્સ રીપોઝીટરી લિ.
  4. સીએએમએસ રીપોઝીટરી એન્ડ સર્વિસીઝ લિ.

ઈઆઈએ ખોલવા માટે, તમારું પાન કાર્ડ નંબર અથવા આધાર કાર્ડ નંબર, માન્ય ઈ-મેઈલ આઈડી અને સંપર્ક નંબર આપવું ફરજીયાત છે.

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સંબંધિત રીપોઝીટરી સાથે તમારી વિગતો અને દસ્તાવેજો શેર કરશે.  તે બદલ, રીપોઝીટરી ઈઆઈએ ખોલશે અને તમારો ઈઆઈએ નંબર, લોગઈન આઈડી અને પાસવર્ડ ઈ-મેઈલ અને એસએમએસ દ્વારા તમારા નોંધાયેલ ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર પર મોકલશે.  તે જ વસ્તુને અમારા રેકોર્ડમાં અપડેટ કરવા માટે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સાથે પણ રીપોઝીટરી આઈઆઈએ નંબર શેર કરશે.  ફાળવણી બાદ પોલિસી તમારા ઈઆઈએમાં ઈ-ક્રેડિટ થશે.

જો તમારી પાસે પહેલેથી ઈઆઈએ એકાઉન્ટ હોય તો, પ્રપોઝલ ફોર્મ ભરતી વખતે ઈઆઈએ એકાઉન્ટ નંબર અને રીપોઝીટરીનું નામ જણાવો.  રીપોઝીટરી તરફથી ખરાઈ અને મંજૂરી બાદ તમારી પોલિસી ઈઆઈએ એકાઉન્ટ સાથે લિંક થઈ જશે.

Tags

પગલું 1: સંપર્ક કરો

Question
પગલું 1: સંપર્ક કરો
Answer

ઓનલાઈનઃ

  • કસ્ટમર પોર્ટલમાં લોગઈન કરો.  જો તમારી પાસે લોગઈન આઈડી અને પાસવર્ડ ન હોય તો, તમે અહીં એક બનાવી શકો છો.
  • ક્યૂઆરસી(ક્વેરીઝ, રીકવેસ્ટ્સ એન્ડ કમ્પ્લેઈન્ટ્સ) વિભાગમાં જાઓ અને વિનંતી/કમ્પ્લેઈન્ટ ઉઠાવો.

અમને ઈ-મેઈલ કરોઃ

લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી માટેઃ

ઈ-મેઈલ આઈડીઃ customer.first@indiafirstlife.com
 

અમને કોલ કરોઃ

અમારી મુલાકાત લોઃ

અમારી કોઈપણ ઈન્ડિયાફર્સ્ટ લાઈફ  શાખામાં આવો અને તમારી ફરિયાદ જમા કરાવો.

તમારા શહેરમાં અમારા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરવા માટે અહીં ક્લીક કરો

મેઈલ/કૂરીયરઃ

નીચે આપેલ સરનામા પર અમને લખોઃ

કસ્ટમર કેર

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિ.
12મો અને 13મો માળ, નોર્થ(સી) વિંગ,
ટાવર 4, નેસ્કો આઈટી પાર્ક, નેસ્કો સેન્ટર,
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ગોરેગાંવ(પૂર્વ),
મુંબઈ – 400063

અમને તમારી ફરિયાદ મળ્યા બાદ, ફરિયાદ મળ્યાના 15 કેલેન્ડર દિવસોની અંદર તેના નિવારણ માટેના અથવા રદ કરવા માટેના કારણો સાથે અમે તમને ઉત્તર પાઠવીશું.

અમારી ફરિયાદ નિવારણ નીતિ તમે જોઈ અહીં શકો છો.

Tags

પગલું 2 – તમારી ફરિયાદ આગળ ધપાવો

Question
પગલું 2 – તમારી ફરિયાદ આગળ ધપાવો
Answer

ફરિયાદ મળ્યાની તારીખથી 15 દિવસની(પંદર) અંદર ફરિયાદ નિવારણનું અથવા નામંજૂર કર્યાનું કારણ આપતું લેખિત કોમ્યુનિકેશન મોકલવામાં આવશે.  અમારો પ્રતિભાવ તમને મળ્યાની તારીખથી 8 અઠવાડિયાની અંદર જો અમને તમારા તરફથી પ્રતિભાવ ન મળે તો, અમે ફરિયાદને બંધ થયેલ ગણીશું.

તેમ છતાં, જો આપેલ નિરાકરણથી તમને સંતોષ ન હોય અથવા 15(પંદર) દિવસની અંદર પ્રતિભાવ ન મળ્યો હોય તો, પછી, અમારી કોઈપણ શાખા ખાતે અમારા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરી શકો છો અથવા grievance.redressal@indiafirstlife.com પર અમારા ફરિયાદ નિવારણ અધિકારીને લખી શકો છો.

મળેલી આવી તમામ ફરિયાદની સ્વીકૃતિ ફરિયાદ મળ્યાની તારીખથી 3(ત્રણ) કાર્યકારી દિવસની અંદર મોકલવામાં આવશે.

વૈકલ્પિક રીતે, તમે નીચેના પગલાંનુ અનુસરણ કરી શકો છોઃ
 

મેઈલ/કૂરીયલઃ

અમને નીચેના સરનામે લખોઃ

રજનીશ કુમાર
ફરિયાદ નિવારણ અધિકારી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિ.
12મો અને 13મો માળ, નોર્થ(સી) વિંગ,
ટાવર 4, નેસ્કો આઈટી પાર્ક, નેસ્કો સેન્ટર,
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ગોરેગાંવ(પૂર્વ),
મુંબઈ – 400063

ઈ-મેઈલઃ rievance.redressal@indiafirstlife.com

તમારું ફરિયાદ/સર્વિસ રીક્વેસ્ટ આઈડી ક્વોટ કરો.  પગલાં 1માં તમારી ફરિયાદના રજીસ્ટ્રેશન પર તે તમને આપવામાં આવ્યું હશે

Tags

પગલું 3: આઈઆરડીએઆઈ ફરિયાદ નિવારણ સેલનો સંપર્ક કરો

Question
પગલું 3: આઈઆરડીએઆઈ ફરિયાદ નિવારણ સેલનો સંપર્ક કરો
Answer

જો તમને પ્રતિભાવથી સંતોષ ન હોય અથવા 15 દિવસની અંદર તમને અમારા તરફથી પ્રતિભાવ ન મળે તો, તમે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા(આઈઆરડીએઆઈ)ના ફરિયાદ નિવારણ સેલનો નીચે જણાવેલ જગ્યાએ સંપર્ક કરોઃ

આઈઆરડીએઆઈ ફરિયાદ નિવારણ કોલ સેન્ટર(આઈજીસીસી) ટૉલ ફ્રી નં. 18004254732 ઈ-મેઈલ આઈડીઃ complaints@irda.gov.in

તમે તમારી ફરિયાદ ઓનલાઈન પર નોંધણી કરાવી શકો છોઃ  http://www.igms.irda.gov.in

વૈકલ્પિક રીતે, તમે નીચેના પગલાંને પણ અનુસરી શકો છોઃ
 

મેઈલ/કૂરીયરઃ
 

નીચે આપેલ સરનામે તમારી ફરિયાદ જણાવીને અમને લખોઃ
 

ગ્રાહક બાબત વિભાગ
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ
ઑથોરિટી ઑફ ઈન્ડિયા
એસવાય. નં.115/1, ફાયનાન્શિયલ
ડિસ્ટ્રીક્ટ, નાનકરામગુડા, ગાચીબાવલી,
હૈદરાબાદ – 500032, તેલંગણા
 

ફેક્સઃ

નં.  91-40-6678 9768

Tags

પગલું 4: ઈન્શ્યોરન્સ લોકપાલનો સંપર્ક કરો

Question
પગલું 4: ઈન્શ્યોરન્સ લોકપાલનો સંપર્ક કરો
Answer

જો તમે નિરાકરણથી અસંતુષ્ટ હો અથવા તમારી સમસ્યા ઉકેલાયા વગરની રહે તો, ઈન્શ્યોરન્સ લોકપાલનો તમે સીધો સંપર્ક કરી શકો છો.  સરનામું શોધવા માટે અહીં ક્લીક કરો

ફરિયાદ ગ્રાહક/ફરિયાદી અથવા તેમના કાનૂની વારસદારો દ્વારા ફરિયાદની પૂરી વિગતો સાથે અને ગ્રાહક/ફરિયાદીની સંપર્ક વિગતો સાથે લેખિતમાં થવી જોઈએ જે દ્વારા યોગ્ય રીતે સહી કરેલી હોવી જોઈએ.

રીડ્રેસલ ઑફ પબ્લિક ગ્રીવાન્સીસ રૂલ્સ 1998ની કલમ13(3) અનુસાર, લોકપાલને ફરિયાદ કરી શકાય છે

  • ફક્ત ત્યારે જ જો ઈન્શ્યોરરની ફરિયાદ નિવારણ પ્રથા દ્વારા ફરિયાદ નામંજૂર કરવામાં આવી હોય
  • ઈન્શ્યોરર દ્વારા નામંજૂરીની તારીખથી એક વર્ષના ગાળાની અંદર
  • જો તે સતત કોઈ ઝઘડામાં ન હોય
Tags

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail