ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી
જીવનના સૌથી વધુ મહત્વ ધરાવતા લોકો પ્રત્યે પ્રતિબદ્ધતા
જીવનમાં જે કંઈપણ બને તેની પર આપણું નિયંત્રણ નથી હોતું પરંતુ ઘણી એવી બાબતો છે જેને કાબૂમાં રાખી શકાય છે. ટર્મ પ્લાન બસ તેમ કરવામાં મદદરૂપ થાય છે.
અહિં કેટલીક પ્રોડક્ટ્સ છે જે તે શ્રેણીમાં આવે છે. જીવનને નિયંત્રણમાં રાખવાનો આ સમય છે!
ઈન્ડિયાફર્સ્ટના ટર્મ પ્લાનને કેમ પસંદ કરવા?
-
સંપૂર્ણ અનુકૂળતા
ચુકવણીનો એવો વિકલ્પ પસંદ કરો કે જે પ્રીમિયમ ચુકવણીના વિકલ્પો સાથે તમારા રોકડ પ્રવાહને અનુકૂળ હોય.
-
ઝડપી ક્લેઈમ સેવા
તમારા સમય અને અનુકૂળતાને પૂરેપૂરું મહત્વ.
-
મનની શાંતિ
પરિવારને નાણાકીય રીતે સુરક્ષિત કરીને તમને મનની સંપૂર્ણ શાંતિ મળે છે અને તમારી હાજરીમાં તેમનું જે ગુણવત્તાસભર જીવન હોય છે તે જ રહે છે.
-
તમારી જરૂરિયાતો પૂર્ણ કરવાનું રક્ષણ
દરેક પરિવાર અનન્ય છે અને તેવી જ તેમની નાણાકીય જરૂરીયાતો હોય છે! અમારા પ્લાન તમારી જરૂરીયાત અનુસાર હોય છે.
-
કરવેરા લાભ
પ્રવર્તમાન આવકવેરા કાયદા મુજબ કલમ 80સી અને કલમ 10(10ડી) હેઠળ તમે જે પ્રીમિયમનું રોકાણ કરો છો અને તેની જે પાકતી રકમ છે તેના પર કરવેરાના લાભ મેળવો છો.
-
કોવિડ-19ના ક્લેઇમ* પણ વીમાકવચમાં આવરી લેવામાં આવ્યાં છે
ટર્મ ઇન્શ્યોરેન્સ આપને વિવિધ પ્રકારની ગંભીર બીમારીઓ અને કોવિડ-19 સહિત જીવનની તમામ અનિશ્ચિતતાઓ સામે વીમાકવચ પૂરું પાડે છે
વિચારવા જેવા કેટલાક પરિબળો
કવરેજની જરૂરિયાત
તમારા જીવન-તબક્કા અંગે વિચારો
પોલિસીના ફાયદા સમજો
ક્લેઈમ સેટલમેન્ટ
ગ્રાહક સેવા
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સની પૉલિસીઓ ઓનલાઇન તેમજ ઑફલાઇન પણ ખરીદી શકાય છે.
કવરેજની જરૂરિયાત
ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદવાનું સૌથી મહત્વનું પગલું છે તમને જરૂરી કવરેજની રકમની ગણતરી. ઓછી રકમનો વીમો લેવાની ભૂલ તમારે ટાળવી જોઈએ કારણ કે તેનાથી ટર્મ પ્લાન ખરીદવા પાછળનો ઉદ્દેશ સિદ્ધ નહિ થાય. તમારી જેમ જેમ ઉંમર વધે અને તમારી જીવનની જરૂરીયાત તે અનુરૂપ થાય તેમ પર્યાપ્ત જીવન કવચ મેળવીને તમારા પરિવાર ને સુરક્ષિત અને સલામત રાખવું એ દૂરંદેશીભર્યું પગલું છે. તમારે કેટલી રકમનું કવચ મેળવવું જોઈએ તે અંગે જાણકારી મેળવવા માટે અમારા ટર્મ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.
તમારા જીવન-તબક્કા અંગે વિચારો
જીવનના જુદા-જુદા તબક્કે તમારી જીવન વીમાની જરૂરીયાતો અને પ્રાથમિકતાઓ અલગ-અલગ હોય છે, આથી, ટર્મ-પ્લાન ખરીદતા પહેલા તમે જીવનના કયા તબક્કે છો તે સમજવું જરૂરી છે. તમારા પરિવારના તમારા પર આધારીત સભ્યોને ગણતરીમાં લો જેથી રોકાણ કરવાની રકમ અગે તમે ખાતરી મેળવી શકો. અપરણિત વ્યક્તિની સરખામણીએ પરણિત વ્યક્તિની જવાબદારીઓ સ્વાભાવિક રીતે વધુ હોય છે. તે જ રીતે, જો તમારે બાળકો હોય અને તમારા માતા-પિતા તમારા પર નિર્ભર રહેતા હોય તો નાણાકીય જવાબદારી વધુ રહેવાની છે.
પોલિસીના ફાયદા સમજો
એક વખત તમે તમારી જરૂરીયાત અનુસાર પોલિસી અને કંપનીના ટ્રેક રેકોર્ડ પર ધ્યાન આપવાનું શરૂ કરો પછી પોલિસીની વિશેષતાઓને સમજવા સમય લો. પોલિસીની મુદત, પ્રીમિયમ ચુકવણીની મુદત, વીમાની સુનિશ્ચિત રકમ (સમ એસ્યોર્ડ) અને લાભો સબંધિત વિશેષતાઓ ચકાસો અને તેનું મૂલ્યાંકન કરો. પોલિસીની માહિતી પુસ્તિકા/ ઓફર દસ્તાવેજો પર માત્ર નજર જ નથી નાંખવાની પરંતુ વિગતવાર વાંચવાનુ છે.
ક્લેઈમ સેટલમેન્ટ
ટર્મ પ્લાન ખરીદતા પહેલા, વીમા કંપનીના ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો પર સંપૂર્ણ સંદર્ભ ચકાસણી કરો. અમે, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ, સરળ અને અવરોધમુક્ત રીતે અસરકારક ક્લેઈમ સેટલમેન્ટ કરીએ છીએ.
ગ્રાહક સેવા
અમૂર્ત પ્રોડક્ટ સાથે સંકળાયેલા કોઈપણ કારોબારમાં ગ્રાહક સેવા મહત્વપૂર્ણ બાબત છે. ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ ગ્રાહકલક્ષી બનવા પ્રયત્નશીલ છે. અમારા દરેક ગ્રાહકને હકારાત્મક અનુભવ પૂરો પાડવા અમે ગ્રાહકસેવા માટે સરળ અને હેરાનગતિથી મુક્ત પ્રક્રિયા ધરાવીએ છીએ.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સની પૉલિસીઓ ઓનલાઇન તેમજ ઑફલાઇન પણ ખરીદી શકાય છે.
ટર્મ ઇન્શ્યોરેન્સ એટલે શું?
ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન અથવા ટર્મ કવરની સાથે એક વ્યક્તિ કોઈ એક ચોક્કસ સમયગાળા અથવા ‘ટર્મ’ માટેની પ્રીમિયમની એક ચોક્કસ રકમ ચૂકવીને આ સમયગાળા માટેનું વીમાકવચ મેળવી શકે છે. ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીમાં નિર્દિષ્ટ કરવામાં આવેલ સમયગાળા દરમિયાન જો વીમાકૃત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો, આ વીમા પૉલિસી, નોમીની/પરિવારના સભ્યોને મૃત્યુ સંબંધિત લાભની ચૂકવણીની બાંયધરી આપે છે.
હાલમાં ચાલી રહેલા કોવિડ-19 રોગચાળા પરિણામે વ્યાપેલ અનિશ્ચિતતા અને આર્થિક તંગીના માહોલને ધ્યાનમાં રાખતા આગામી સમયમાં ઘટનારી કોઇપણ અનિચ્છનિય ઘટનામાં આપના પરિવારની જરૂરિયાતોની કાળજી લેવામાં આવે તેની ખાતરી કરવાનું સવિશેષ મહત્વનું બની જાય છે. એક ટર્મ ઇન્શ્યોરેન્સ આમ કરવામાં જ આપને મદદરૂપ થાય છે. ટર્મ ઇન્શ્યોરેન્સનું નિયમન આઇઆરડીએઆઈ (ઇન્શ્યોરેન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) હેઠળ થતું હોવાથી તે નિર્દિષ્ટ કરવામાં આવેલ શરતો હેઠળ વીમાના લાભની ચૂકવણી કરવાની બાંયધરી આપે છે.
ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસી કેવી રીતે કામ કરે છે?
આપ જે ટર્મ પ્લાન પસંદ કરો છો, તેના પર આધાર રાખી પૉલિસીધારકનું મૃત્યુ થવા પર તેમના નોમીનીને એક ઊચક રકમ ચૂકવવામાં આવે છે. આ પ્રકારે ઊચક રકમ મેળવવાને બદલે આપ માસિક આવકના લાભ મેળવવાનું પણ પસંદ કરી શકો છો. આ પ્રકારની ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીને રાઇડર્સનો સમાવેશ કરવા માટે આપ વિસ્તારી શકો છો, જેથી આપ વિકલાંગતા, ગંભીર બીમારી અથવા આકસ્મિક મૃત્યુ થવાના કિસ્સામાં ટર્મ પ્લાનના વધુ સારા લાભ મેળવી શકો, ખૂબ જ નજીવી કિંમતે ઇન્કમ રીપ્લેસમેન્ટ કરી શકો.
ટર્મ કવરની કોને જરૂરિયાત છે?
સૌ કોઇની પાસે ટર્મ કવર હોવું જરૂરી છે, વળી જેમના પર ઘણાં લોકો આશ્રિત છે તેમના માટે આ ખૂબ જ આવશ્યક રોકાણ છે. આવા લોકોમાં, પરણિત યુગલો, આશ્રિત માતા-પિતા ધરાવનારા લોકો, આશ્રિત બાળકો ધરાવનારા માતા-પિતા, સ્વ-રોજગાર ધરાવનારી વ્યક્તિઓ, વ્યવસાય કરનારા લોકો તથા અન્ય કરદાતાઓનો સમાવેશ થાય છે. તેના માટેના કારણો આ રહ્યાં:
- નવપરણિત યુગલો: ખાસ પ્રસંગોએ ભૌતિક ભેટસોગાદોનો આડંબર કરતાં પહેલાં આપના અને આપના જીવનસાથીને મનની શાંતિ તથા આર્થિક સુરક્ષા પૂરી પાડનારી ભેટ આપવા અંગે વિચારો, એટલે કે, એક ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસી. આવક રળનારી મુખ્ય વ્યક્તિનું નિધન થઈ જવાની અપ્રિય ઘટનામાં સમગ્ર પરિવારે આ વ્યક્તિને ગુમાવવાના શોકની સાથે-સાથે નાણાંની અછત સામે ઝઝૂમવું પડે છે. તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના માટે ઊચક રકમની ચૂકવણી તેમજ નિયમિત માસિક ચૂકવણીના વિકલ્પની મદદથી આપના જીવનસાથી અને આપના આશ્રિતોના મુશ્કેલીભર્યા સમયમાં તેમની જરૂરિયાતોની કાળજી લેવામાં આવશે. આપના જીવનસાથીને પહેલી ભેટ ટર્મ પૉલિસીની આપો, જે તેમને જણાવશે કે, ફક્ત આજે જ નહીં પરંતુ હંમેશા માટે તેમની સુખાકારી જળવાઈ રહે, એ જ આપની પ્રાથમિકતા છે.
- માતા-પિતા: બાળકોને મોટા કરવા એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે અને તેમની જરૂરિયાતો પૂરી કરવાનો ખર્ચ સમય સાથે વધતો જ જવાનો છે. ડાયપરથી માંડીને શાળાના ખર્ચાઓ, યુનિવર્સિટીની ભારેખમ ફી અને રહેવાનો ખર્ચ... ખર્ચાઓની યાદી ઘણી લાંબી છે. આ સ્થિતિમાં નાણાકીય સુરક્ષા ગુમાવી દેવાથી આપના બાળકના સપનાને કરમાતા જોવાનું શું આપને ગમશે? બાળકોના ઉછેર કરવાની જવાબદારીઓ પૈકીની એક જવાબદારી એટલે આપની ગેરહાજરીમાં આપનું બાળક કોઇપણ બાબતથી વંચિત ન રહી જાય તેની ખાતરી કરવાની છે. એક ટર્મ પૉલિસી એ સુનિશ્ચિત કરે છે કે, આપના બાળકને આપની ગેરહાજરીમાં પણ આપનું નાણાકીય સમર્થન મળતું રહે અને આપ તેની પાસે ન હો તો પણ તે તેના જીવનના લક્ષ્યો હાંસલ કરી શકે.
- અપરણિતો/યુવા વ્યાવસાયિકો ઃ આપના પર આશ્રિત કોઈ વ્યક્તિ ન હોય તો શું આપ ટર્મ પ્લાન લેશો? તેનો જવાબ હા છે, કારણ કે, ટર્મ પ્લાન અનેકવિધ આકર્ષક લાભ ધરાવતો હોવાથી અપરણિતો અને યુવા વ્યાવસાયિકોએ તેને ચોક્કસપણે ખરીદવો જોઇએ. ગંભીર બીમારી એ ફક્ત વૃદ્ધોની જ સમસ્યા નથી- આજે 40 વર્ષથી નાની વયના લોકમાં પણ હાર્ટ એટેકથી માંડીને તણાવ સંબંધિત અનેક સમસ્યાઓ જોવા મળે છે. આથી વિશેષ, જીવનમાં વહેલીતકે ટર્મ પ્લાન લેવાથી આપે આટલા જ કવરેજ માટે ઓછું પ્રીમિયમ ચૂકવવાનું રહે છે અને આપને કર ચૂકવવામાંથી પણ મુક્તિ મળે છે (80સી હેઠળ).
- કામ કરતી સ્ત્રીઓઃ આજે સ્ત્રીઓ તેમના પરિવારની આર્થિક સ્થિતિની કાળજી લેવાની જવાબદારી પણ સંભાળી રહી છે. આપના બાળકો અને જીવનસાથી ઉપરાંત આપ આપના નોમીની તરીકે આપના માતા-પિતાને પણ રાખી શકો છો, જેથી તેમની આર્થિક સુરક્ષાની ખાતરી થઈ શકે. આપના ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાનમાં ક્રિટિકલ ઇલનેસના રાઇડર હેઠળ પ્રાપ્ત થતાં નાણાંની મદદથી આપ સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર પરંતુ સર્વસામાન્ય બીમારીઓ સાથે વધુ સારી રીતે કામ પાર પાડી શકો છો.
- નિવૃત્ત લોકો ઃ પોતાના પર આશ્રિત લોકો ધરાવનારા નિવૃત્ત લોકો માટે ટર્મ પ્લાન એ એક સ્માર્ટ આઇડીયા છે. આઇટી એક્ટ, 1961ની કલમ 10(10ડી) હેઠળ જાહેર કરવામાં આવેલ પરિસ્થિતિઓને આધિન ટર્મ ઇન્શ્યોરેન્સ માટે કરવામાં આવેલ ચૂકવણીઓ કરમુક્ત છે, જેનો અર્થ એ થયો કે, આપે આપના બાળકો માટે નાણાંની બચત ન કરી હોય તો પણ આપ તેમના માટે એક અમૂલ્ય વારસો છોડી જાઓ છો.
- કરદાતાઃ આપ સ્વ-રોજગારી ધરાવતા હો કે સર્વિસ કરતાં હો, ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન એ તમામ કરદાતા માટે એક ચતુરાઇભર્યું રોકાણ છે. સેક્શન 80સી હેઠળ કપાતપાત્ર તરીકે ચૂકવેલા પ્રીમિયમ પર દાવો કરીને આપના કર ચૂકવવાના વર્તમાન ભારણને ઘટાડો.
ટર્મ ઇન્શ્યોરેન્સની વિશેષતાઓ શું છે?
અનિશ્ચિતતા એ જીવનની એકમાત્ર નિશ્ચિત બાબત છે. અકાળે નિધન, અકસ્માતો, વિકલાંગતા અને બીમારીની શક્યતાઓ હંમેશા રહે છે, ભલે પછી આપણે તેમના વિશે વધારે વિચારવાનું ગમતું ન હોય. જરા વિચારો કે આવા કિસ્સાઓમાં આપના પરિવારજનો અને તેમના સપનાઓનું શું થાય છે? આ એક એવ સંભાવ્ય પરિસ્થિતિ છે, જેને આપ યોગ્ય ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીની મદદથી નિયંત્રિત કરી શકો છો.
પરવડે તેવા પ્રીમિયમની ચૂકવણીની સામે ખૂબ જ નોંધપાત્ર જીવન વીમાકવચ મેળવો. આપે ચૂકવવાના થતાં પ્રીમિયમના દરોને વધુ નીચા લાવવા માટે જીવનમાં નાની વયે આપની ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસી મેળવો.
કેટલીક ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીઓ વધારાના ફાયદા ધરાવે છે, જેમ કે, ગંભીર બીમારીઓ માટેનું વીમાકવચ. તે ખાતરી કરે છે કે, આપ જો પૂર્વનિર્ધારિત કરેલી કોઈ તબીબી સ્થિતિની સાથે બીમાર પડો છો તો, આપ ખર્ચાની ચિંતા કર્યા વગર સારી ગુણવત્તાની તબીબી સારવાર મેળવી શકો.
પરવડે તેવા પ્રીમિયમની ચૂકવણીની સામે ખૂબ જ નોંધપાત્ર જીવન વીમાકવચ મેળવો. આપે ચૂકવવાના થતાં પ્રીમિયમના દરોને વધુ નીચા લાવવા માટે જીવનમાં નાની વયે આપની ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસી મેળવો.
- પરવડે તેવા દરોએ વધુ વીમાકવચ: પરવડે તેવા પ્રીમિયમની ચૂકવણીની સામે ખૂબ જ નોંધપાત્ર જીવન વીમાકવચ મેળવો. આપે ચૂકવવાના થતાં પ્રીમિયમના દરોને વધુ ઓછા કરવા માટે જીવનમાં નાની વયે આપની ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસી મેળવો.
- મોટી ગંભીર બીમારીઓને આવરી લેવાનો વિકલ્પ: કેટલીક ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીઓ વધારાના ફાયદા ધરાવે છે, જેમ કે, ગંભીર બીમારીઓ માટેનું વીમાકવચ. તે ખાતરી કરે છે કે, આપ જો પૂર્વનિર્ધારિત કરેલી કોઈ તબીબી સ્થિતિની સાથે બીમાર પડો છો તો, આપ ખર્ચાની ચિંતા કર્યા વગર સારી ગુણવત્તાની તબીબી સારવાર મેળવી શકો.
- સમયાંતરે થતી માસિક ચૂકવણી અને/અથવા ઊચક રકમ: આપની ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીમાં કરવામાં આવેલ સ્પષ્ટતા પર આધાર રાખી આપના આશ્રિતો/નોમીનીઓને એક ઊચક રકમ ઉપરાંત કાં તો ઊચક રકમનો લાભ અથવા તો નિયમિત માસિકની ચૂકવણી પ્રાપ્ત થાય છે.
- ઑપ્શનલ ડિસેબિલિટી એન્ડ એક્સિડેન્ટલ ડેથ ટર્મ પ્લાનના લાભ: અણધાર્યા અકસ્માતોને કારણે કાયમી અથવા કામચલાઉ વિકલાંગતા આવી શકે છે અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે. આપની ટર્મ પૉલિસીમાં ઓપ્શનલ ડિસેબિલિટી ઑર એક્સિડેન્ટલ ડેથ રાઇડર ઉમેરવાથી આપ આવી પરિસ્થિતિઓમાં આર્થિક સહાય પર આધાર રાખી શકો છો.
- ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને ટર્મ કવરની વીમાકૃત રકમ માટે સેક્શન 80સી હેઠળ પ્રાપ્ત થતાં કરલાભ: ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન આઇટી એક્ટ (1961)ની કલમ 80સી હેઠળ સ્પષ્ટ કરવામાં આવ્યાં મુજબ કરબચતનો લાભ પૂરો પાડે છે. આથી વિશેષ, ટર્મ પ્લાન હેઠળ પૂરી પાડવામાં આવતી લાભની અંતિમ રકમ કલમ 10(10ડી) હેઠળ કરમુક્ત હોય છે.
- લાંબાગાળનું વીમાકવચ: 99 વર્ષની વય સુધીના સમયગાળા માટે જીવન વીમાકવચના લાભનો આનંદ માણો# પ્રીમિયમની ચૂકવણી કરવાના વિવિધ વિકલ્પો
પ્રીમિયમની ચૂકવણી કરવાની આપને અનુકૂળ ફ્રીક્વન્સી પસંદ કરો, જેમ કે - માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક અથવા એક જ પ્રીમિયમમાં એક જ વખતમાં સમગ્ર ચૂકવણી. - જવાબદારીઓ પૂરી કરવાના લાભ: ટર્મ પૉલિસી હેઠળ આપના આશ્રિતો તેમને પ્રાપ્ત થતી વીમાકૃત રકમનો ઉપયોગ કોઇપણ લૉન, ઋણને ચૂકતે કરવા માટે અથવા આપની અન્ય કોઇપણ જવાબદારીઓને પૂરી કરવા માટે કરી શકે છે.
આપે ટર્મ ઇન્શ્યોરેન્સ લેવાની જરૂર શા માટે છે?
‘મારે ટર્મ ઇન્શ્યોરેન્સની શું જરૂર છે’, તેવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આથી ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસી મેળવીને આપ બીજું શું મેળવવાને હકદાર છો? આપના પ્રશ્નોના જવાબ આ રહ્યાં:
- આપના પરિવારની આર્થિક સુરક્ષા :ઘરની આવક રળનારી મુખ્ય વ્યક્તિ/પૉલિસીધારકનું અકાળે નિધન થઈ જવાની ઘટનામાં એક ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસી આપના પરિવાર અને આશ્રિતોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. એક અનુભવસિદ્ધ નિયમ મુજબ, આપને આપની વાર્ષિક આવકનું 10-20 ગણું ટર્મ કવર લેવાની ભલામણ કરવામાં આવે છે.
- ઓછું પ્રીમિયમ :રોકાણનું ઘટક ધરાવતા અન્ય વીમા પ્લાનની સરખામણીએ ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન સરળ, સ્પષ્ટ અને અસરકારક હોય છે. તેમાં રોકાણનું ઘટક નહીં હોવાથી તેના પ્રીમિયમ પણ ઓછા હોય છે. જો નાની વયે આવો ટર્મ પ્લાન લઈ લેવામાં આવે તો તેના પ્રીમિયમની રકમને હજુ વધારે ઘટાડી શકાય છે.
- આપની સંપત્તિઓનું રક્ષણ:આપના જીવનનું લક્ષ્ય હોય તેવી ખરીદીઓ, જેમ કે, ઘર, કાર અથવા તો બાળકોનું શિક્ષણ વગેરે જેવા લક્ષ્યોને લૉન લઇને હાંસલ કરવામાં આવ્યાં હોય છે. ટર્મ ઇન્શ્યોરન્સની ચૂકવણીઓના લાભની સામે તેને આવરી લઇને આપ નિશ્ચિંત થઈ જઈ શકો છો કે, આ બાબતો આપની ગેરહાજરીમાં આપના પરિવાર માટે ભારરૂપ જવાબદારી બની જશે નહીં.
- આપના પરિવારની જીવનશૈલીનું રક્ષણ:આપનો પરિવાર એક ચોક્કસ જીવનશૈલી મુજબ જીવવા ટેવાઈ ગયો હોય છે. આપની ગેરહાજરીમાં પણ આપના પરિવારનું જીવનધોરણ ખોરવાય નહીં, તેની ખાતરી કરો. નિયમિત માસિક આવક અને/અથવા ઊચક ચૂકવણીમાં આપના પ્રિયજનોને આવરી લેવામાં આવશે.
- કોવિડ 19ના ક્લેઇમ્સ* પણ આવરી લેવામાં આવ્યાં :સતત ફેલાઈ રહેલા આ વૈશ્વિક રોગચાળાએ અત્યાર સુધીમાં લાખો લોકોનો ભોગ લીધો છે. આપના ટર્મ કવર પર ગંભીર બીમારી અને કોવિડ 19નું રાઇડર આપને મનની શાંતિ અને વીમાના લાભ પૂરાં પાડશે.
- જીવનની નિશ્ચિતતાઓને પૂરી કરવી :જીવનમાં અનિશ્ચિતતા તો નિશ્ચિતપણે રહેવાની જ છે. ભય અને મૂંઝવણમાં જીવવાને બદલે આપ ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાનની મદદથી આપ જીવનભરનો આત્મવિશ્વાસ સુનિશ્ચિત કરી શકો છો, જે આપને કોઇપણ પરિસ્થિતિની સામે વીમાકવચ પૂરું પાડે છે.
ટર્મ ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદવો?
- આપના કવરેજની જરૂરિયાત નક્કી કરો :ટર્મ ઇન્શ્યોરેન્સ ખરીદવામાં સૌથી મહત્વનું પગલું આપને જરૂરી વીમાકવચની રકમની ગણતરી કરવાનું છે. આપે ઓછી રકમનો વીમો ઉતરાવવાની ભૂલ ન કરવી જોઇએ, કારણ કે, આમ કરવાથી ટર્મ પ્લાનમાં રોકાણ કરવાનો હેતુ માર્યો જાય છે. આપની વય વધવાની સાથે-સાથે જીવનશૈલીની જરૂરિયાતો પણ બદલાતી હોવાથી યોગ્ય જીવન વીમાકવચ મેળવીને આપના પરિવારની સુરક્ષા કરવાનું અને સલામતી જાળવવાનું સમજદારીભર્યું ગણાશે. આપે કેટલું વીમાકવચ પસંદ કરવું જોઇએ તે જાણવા માટે અમારા ટર્મ પ્લાન કેલક્યુલેટરનો ઉપયોગ કરો.
- આપના જીવનના તબક્કાને ધ્યાન પર લો :આપની જીવન વીમાની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ આપના જીવનના દરેક તબક્કે બદલાતા રહે છે, આથી, ટર્મ પ્લાન ખરીદતા પહેલા આપ જીવનના કયા તબક્કામાં છો તે સમજવું ખૂબ જ મહત્વનું છે. આપના પરિવારના આશ્રિત સભ્યોને ધ્યાન પર લો, કારણ કે, તેનાથી આપના દ્વારા રોકાણ કરવાની રકમને નક્કી કરી શકાશે. આપના જીવનના તબક્કા પર આધાર રાખી આપની નાણાકીય જવાબદારીઓ બદલાશે. આ ઉપરાંત આપની વાર્ષિક આવકનું પરિબળ અને ધૂમ્રપાનની આપની ટેવ પર આધાર રાખી આપની અંદાજિત વીમાકૃત રકમને નક્કી કરવામાં આવશે.
- પૉલિસીના લાભને સમજો :એકવાર આપ આપની જરૂરિયાતો અને કંપનીના ટ્રેક રેકોર્ડ પર આધાર રાખી પૉલિસી પર પસંદગી ઉતારો તે પછી આ પૉલિસીની વિશેષતાઓને સમજવામાં થોડા સમય ફાળવો. પૉલિસીની મુદત, પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત, વીમાકૃત રકમ અને વિવિધ લાભ સંબંધિત વિશેષતાઓને ચકાસવાનું અને તેનું મૂલ્યાંકન કરવાનું સુનિશ્ચિત કરો. પૉલિસીના બ્રોશરો/ઑફરના દસ્તાવેજો ફક્ત નજર નાંખી જવા માટે નથી, તેને વિગતવાર કાળજીપૂર્વક વાંચી જવા જોઇએ. આપ ક્રિટિકલ ઇલનેસના લાભ, આકસ્મિક મૃત્યુ અને વિકલાંગતાના લાભ વગેરે જેવા મહત્વના રાઇડર્સને પસંદ કરી શકો છો, જેથી કરીને આપને આપના ટર્મ પ્લાનનો મહત્તમ લાભ મળી શકે.
- ક્વૉટ મેળવો (ભાવ મેળવો) :આપના માટે યોગ્ય ટર્મ કવર પસંદ કર્યા બાદ બે-ત્રણ ક્લિક કરીને પ્રીમિયમ ક્વૉટ મેળવો. ક્વિક પ્રીમિયમ ક્વૉટ (ભાવ) મેળવવા માટે આપની વય જેવી મૂળભૂત વિગતો પૂરી પાડી વીમાકૃત રકમ અને વીમાકવચના વર્ષોને પસંદ કરો.
- ફટાફટ વીમાકવચ શરૂ કરવા માટે આપનું પ્રીમિયમ ચૂકવો: એકવાર આપ આપના ટર્મ પ્લાન અને તેના લાભથી સંતુષ્ટ થઈ જાઓ તે પછી આપ વધારાની વિગતો ભરીને અને ઓનલાઇન પ્રીમિયમ ચૂકવીને આપનું ટર્મ કવર ઓનલાઇન શરૂ કરી શકો છો. અમારી ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે જરૂરી દસ્તાવેજોને ઓનલાઇન જમા કરાવીને આપની અરજીને પૂરી કરો.
આપે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ ટર્મ પ્લાન શા માટે મેળવવો જોઇએ?
ટર્મ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી મેળવવા પાછળનો પ્રાથમિક હેતુ કોઇપણ પ્રકારની અણધારી ઘટનામાં સંપૂર્ણ મનની શાંતિ મેળવવાનો છે-આપ નિશ્ચિંત થઈ જવા માંગો છો કે, આપની ગેરહાજરીમાં આપનો પરિવાર આર્થિક રીતે સલામત અને સુરક્ષિત હશે. આપના જેવા 55 લાખ ગ્રાહકોનો ભરોસો ધરાવનાર ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ 100% જેન્યૂઇન ક્લેમ સેટલમેન્ટની બાંયધરી આપે છે.
વાત જ્યારે આપના ટર્મ પ્લાનના પ્રકાર, રાઇડર્સ અને પ્રીમિયમના વિકલ્પો પસંદ કરવાની આવે ત્યારે આપની પાસે સંપૂર્ણ સ્થિતિસ્થાપકતા રહે છે. આપની ટર્મ પ્લાનની તમામ જરૂરિયાતોને આવરી લઈ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ ટર્મ ઇન્શ્યોરેન્સ પ્રોડેક્ટ્સમાં અહીં નીચે જણાવેલ પ્લાનનો સમાવેશ થાય છેઃ
- ઓનલાઇન ટર્મ પ્લાન
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ પ્રોટેક્શન પ્લાન
બેંક ઑફ બરોડા અને યુનિયન બેંક ઑફ ઇન્ડિયા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા સમર્થિત ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ આપના માટે સૌથી મહત્વના લોકોને આર્થિક રીતે સલામત બનાવવાની આપની કટિબદ્ધતામાં આપની સાથે મક્કમ રીતે ઊભી છે.
જીવન એ વિકલ્પોનો મામલો છે અને આપના દ્વારા પસંદ કરવામાં આવેલ ટર્મ કવર આપને આ વિકલ્પો શા માટે પૂરાં ન પાડે તેના માટેનું કોઈ કારણ નથી. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સની સાથે પ્રીમિયમની ચૂકવણી કરવાની વિવિધ મુદત, રાઇડર્સ અને ચૂકવણીના વિકલ્પોમાંથી આપને અનુકૂળ વિકલ્પ પસંદ કરો અને આપના તથા આપના પરિવાર માટે શ્રેષ્ઠ પસંદગી કરો.
પૉલિસીના નમૂનાના દસ્તાવેજને ધ્યાનપૂર્વક વાંચી જાઓ, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ ટર્મ પ્લાનના બ્રોશર પર નજર નાંખી જાઓ, ક્વૉટ્સ (ભાવ) મેળવો અને આપના પ્રીમિયમની ઓનલાઇન ચૂકવણી કરો. શરૂઆતથી અંત સુધી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ આપને આપની ટર્મ પૉલિસીઓ ઓનલાઇન તેમજ ઑફલાઇન ખરીદવાની સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ તેના તમામ પ્રયાસોમાં ‘ગ્રાહકને પ્રાથમિકતા’ આપવાના સિદ્ધાંતનું પાલન કરે છે. અમારો ઉદ્દેશ્ય સરળ, સ્પષ્ટપણે સમજી શકાય તેવા જીવન વીમા પ્લાનને પરવડે તેવી કિંમતોએ વાસ્તવિક લાભની સાથે પૂરાં પાડવાનો છે. 96.65%ના ક્લેઇમ સેટલમેન્ટ ગુણોત્તર (વ્યક્તિગત ક્લેઇમ્સ)ની સાથે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ 100% જેન્યૂઇન ક્લેઇમ સેટલમેન્ટની બાંયધરી પૂરી પાડે છે.
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સના 55 લાખ ગ્રાહકો સાથે જોડાઈ જાઓ
- 100% જેન્યૂઇન ક્લેઇમ સેટલમેન્ટ
- ટર્મ પ્લાનના સ્થિતિસ્થાપક વિકલ્પો
- બેંક ઑફ બરોડા અને યુનિયન બેંક ઑફ ઇન્ડિયાનું સમર્થન
- પ્રીમિયમ ચૂકવવાની મુદત અને ચૂકવણી કરવાના વિકલ્પ
- આપની પૉલિસી ઑનલાઇન અને ઑફલાઇન મેળવો
- ઝડપી અને હેરાનગતિથી મુક્ત ક્લેઇમની સેવા
ટર્મ પ્લાન પૉલિસીઓ માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સના પાત્રતા માપદંડો કયા છે?
- અરજી કરવાની લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ અને અરજી કરવાની મહત્તમ વયમર્યાદા 60 વર્ષ* છે/li>
- પ્લાનના અંતે મહત્તમ વયમર્યાદા 99 વર્ષ# છે#
- લઘુત્તમ વીમાકૃત રકમઃ રૂ. 1,00,000. મહત્તમ વીમાકૃત રકમઃ રૂ. 5,00,00,000
મોટાભાગની જીવન વીમા કંપનીઓ 5થી માંડીને 40 વર્ષ સુધીની પૉલીસીની મુદત પૂરી પાડે છે. આપની નિવૃત્તિની વય ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં નિવૃત્તિસૂચક વય 60 વર્ષ છે. આથી, આપ જો નિવૃત્તિની વય સુધીની ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ ટર્મ પૉલિસી મેળવો તો ત્યાર સુધીની આપની આર્થિક જવાબદારીઓ લગભગ સ્પષ્ટ હોવી જોઇએ.
FAQs
- ટર્મ પ્લાનમાં મારે કેટલું જીવન વીમા કવચ ખરીદવું જોઈએ?
લોન સહિતના તમામ દેવા ભરપાઈ કરી શકે અને જો તમે પરિવારના એકમાત્ર કમાણી કરનાર વ્યક્તિ હોવ તો તમારી આવક જેટલી રકમ આપી શકે એટલું જીવન વીમા કવચ હોવું જોઈએ. તમારી પોલિસીમાં વાર્ષિક આવક ઉમેરવાથી ફુગાવા સામે અસરકારક સલામતી મળી શકે છે. ભવિષ્યની જવાબદારીઓને ધ્યાનમાં રાખો- જેમ કે તમારા બાળકનું શિક્ષણ અને તમારા જીવનસાથીનું આરોગ્ય.
- મારે કઈ ઉંમરે ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદવું જોઈએ?
ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદવા માટેની કોઈ “યોગ્ય ઉંમર” હોતી નથી. તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. જો પ્રીમયમ સમયસર ભરપાઈ કરી શકાય એવી તમારી સ્થિર આવક હોય તો, સમજો કે તમે તમારા પરિવારના ભવિષ્ય માટે રોકાણ કરવા માટે સજ્જ છો. જો તમે પરણિત હોવ, બાળકો હોય અને તમારા પર નિર્ભર માતા-પિતા હોય તો તમારે ચોક્કસપણે ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન અંગે વિચારવું જોઈએ. તમારે ઉંમરે વધે તે સાથે ભરપાઈ કરવાનું પ્રીમિયમ પણ વધે છે.
- મારા ટર્મ પ્લાનની મુદત કેટલી હોવી જોઈએ?
તમારા સ્વજનોની નાણાકીય સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પ્લાન હેઠળ ઉપલબ્ધ મહત્તમ મુદતની પસંદગી કરવી જોઈએ.
- જો હું ટર્મ પ્લાનની મુદત સુધી જીવી જઉં તો મને પાકતી રકમનો લાભ મળશે?
ટર્મ પ્લાનનો મુખ્ય ઉદ્દેશ તમારી ગેરહાજરીમાં તમારા સ્વજનોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. જો કે, વીમાધારક જીવિત હોય તો ઉચક ચુકવણીની કોઈ જોગવાઈ નથી.
- પોલિસીની મુદત દરમિયાન પ્રીમિયમની રકમ બદલાશે?
આ પ્લાનની સમગ્ર મુદત દરમિયાન તમારી પ્રીમિયમની રકમ સમાન રહે છે. પ્રીમિયમમાં ફેરફાર ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા સેવા વેરાના નિયમનોને અધીન છે.
- હું ક્યારેક-ક્યારેક ધૂમ્રપાન કરું છું. શું મારે તો પણ પોતાને તમાકુ વપરાશકર્તા તરીકે ગણાવવો જોઈશે?
હા, જો તમે ક્યારેક-ક્યારેક ધૂમ્રપાન કરતા હોવ તો પણ તમારે પોતાને તમાકુ વપરાશકર્તા તરીકે ગણાવવા જોઈશે. પોલિસી માટે યોગ્ય પ્રીમિયમ નક્કી કરવા માટે તબીબી ભૂતકાળ અનિવાર્ય છે.
- હું ક્યારેક-ક્યારેક ધૂમ્રપાન કરું છું. તો આ સ્થિતિમાં પણ શું મારે પોતાને ટોબેકો યુઝર તરીકે જાહેર કરવાના રહેશે?
હા, આપ ક્યારેક-ક્યારેક જ ધૂમ્રપાન કરતાં હો તો પણ આપે પોતાને ટોબેકો-યુઝર જાહેર કરવાના રહેશે. આ બાબત મહત્વની છે, કારણ કે, પૉલિસીનું યોગ્ય પ્રીમિયમ નક્કી કરવા માટે આપની તમામ તબીબી પૂર્વવિગત જાહેર કરવામાં આવે તે અનિવાર્ય છે. આ પ્રકારની કોઇપણ માહિતી છુપાવવા પર પાછળના તબક્કે ક્લેઇમનું સેટલમેન્ટ કરવામાં અવરોધો આવી શકે છે.
- એક લાઇફ ઇન્શ્યોરેન્સ ટર્મ પ્લાનની કિંમત કેટલી હોય છે?
ટર્મ પ્લાનની કિંમત અનેકવિધ પરિબળો પર આધાર રાખે છે, જેમ કે, પૉલિસી-ધારકની વય, આરોગ્યની સ્થિતિ, ધૂમ્રપાનની સ્થિતિ, વાર્ષિક આવક તેમજ પસંદ કરવામાં આવેલ રકમ અને વીમાકવચની મુદત.
ઉદાહરણ તરીકે, ધૂમ્રપાન નહીં કરનારો 30 વર્ષનો પુરુષ જો 40 વર્ષની પૉલીસીની મુદત ધરાવતો 1 કરોડનો ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઈ-ટર્મ પ્લાન ખરીદવા માંગે છે તો, તેની વાર્ષિક પ્રીમિયમની રકમ રૂ. 8,260 સુધીની હોઈ શકે છે. તે જ રીતે, ધૂમ્રપાન નહીં કરનારા 40 વર્ષના પુરુષ માટે 30 વર્ષની મુદતના 1 કરોડના ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાનના વાર્ષિક પ્રીમિયમની રકમ રૂ. 14,750 સુધીની હોઈ શકે છે. આથી, આપ જેટલી નાની વયે ટર્મ કવરેજ મેળવશો, આપને તે એટલું જ સસ્તું પડશે.
- જો કુદરતી કારણોસર મારું મૃત્યુ થાય તો શું તે ટર્મ પૉલિસીમાં કવર થાય છે?
પૉલિસીધારકના કુદરતી રીતે અથવા તો આકસ્મિક રીતે એમ બેમાંથી કોઇપણ પ્રકારે મૃત્યુ થવાની ઘટનામાં ટર્મ પ્લાન હેઠળ આપના પરિવારને એક ઊચક રકમ મળવાપાત્ર ગણાય છે. ટર્મ ઇન્શ્યોરેન્સનો લાભ એ છે કે, આપના પરિવારને આપના મૃત્યુના કારણને ધ્યાન પર લીધા વિના એક ચોક્કસ રકમ મળી જાય છે.
જોકે, વીમાકૃત વ્યક્તિ આત્મહત્યા કરીને મૃત્યુ પામે કે પછી મૃત્યુ પામનારા પૉલિસીધારક દ્વારા તથ્યો જાહેર કરવામાં ન આવ્યાં હોવાની સ્થિતિમાં કેટલીક શરતો પૂરી કરવાની રહે છે. સંભવિત બાકાતીઓ અંગે જાણવા માટે ટર્મ પૉલિસીના દસ્તાવેજને ધ્યાનથી વાંચો.
- મારે કેટલા ટર્મ ઇન્શ્યોરેન્સની જરૂર છે?
નિષ્ણાતો આપની વાર્ષિક આવકથી ઓછામાં ઓછું 10 ગણું ટર્મ કવરેજ મેળવવાની ભલામણ કરે છે. 15-20 ગણું કવરેજ મેળવવું એ વધુ સારો વિકલ્પ છે. આપે આપની પરિવારની મહત્તમ આર્થિક સુરક્ષાની ખાતરી કરવા આપના ઘર, કાર અને વ્યક્તિગત લૉન માટે વધારાના જવાબદારીના કવર અંગે પણ વિચારવું જોઇએ.
ઉદાહરણ તરીકે, આપની વાર્ષિક આવક રૂ. 10 લાખ છે અને આપ ઋણ ચૂકવવાની કોઈ જવાબદારી ધરાવતા નથી, તો રૂ. 1 કરોડનો ટર્મ ઇન્શ્યોરેન્સ આપની જરૂરિયાતને માટે શ્રેષ્ઠ ગણાશે. આપ આપની ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીમાં કાર અથવા હૉમ લૉનની રકમને વધારાના વીમાકવચ તરીકે ઉમેરી શકો છો.
- શું બે ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસી ધરાવવી ઠીક ગણાશે?
આપની આવક અને જવાબદારીઓ બદલાવાની સાથે વધારાનું ટર્મ કવરેજ મેળવવામાં કશું ખોટું નથી. આપ એકસાથે ચાલતા એકથી વધુ ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન મેળવી શકો છો. જોકે, આપ આપની વર્તમાન પૉલિસીની વિગતો જાહેર કરવાની ખાતરી કરો, કારણ કે, તે નવા ટર્મ કવરની પાત્રતાને પ્રભાવિત કરે છે.
- હું મારા ટર્મ પ્લાનની વીમાકૃત રકમને વધારી શકું?
આપની પૉલિસીના નિયમો અને શરતો પર આધાર રાખી આપ લગ્ન, બાળકના જન્મ અથવા બાળક દત્તક લેવું, હૉમ લૉન લેવી વગેરે જેવા ચોક્કસ ચેકપોઇન્ટ્સ પર આપની પૉલિસીની મુદત દરમિયાન વીમાકૃત રકમને વધારી શકો છો.
- શું ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન્સમાં કર ચૂકવવામાંથી મુક્તિનો લાભ મળે છે?
કર ચૂકવવામાંથી મુક્તિનો લાભ એ જાણે સોનામાં સુગંધ ભળવા જેવું છે. આપ આઇટી એક્ટ, 1961ની કલમ 80સી હેઠળ કરકપાત (રૂ. 1.5 લાખ સુધી) મેળવી શકો છો. ગંભીર બીમારીના કવર માટે આપ કલમ 80ડી હેઠળ કરકપાત મેળવી શકો છો. આથી મહત્વપૂર્ણ, પૉલિસીધારકના અકાળે અવસાન થવા પર આપના પરિવારજનોને પ્રાપ્ત થતી ઊચક ચૂકવણી કલમ 10(10ડી) હેઠળ કરમુક્ત છે.
- ટર્મ પ્લાન ખરીદવા માટે મારી પાસે કયા દસ્તાવેજો હોવા જરૂરી છે? (જરૂરી દસ્તાવેજની યાદી)
#આપના દ્વારા પસંદ કરવામાં આવેલ પ્લાન પર આધાર રાખી