કુલ આવક(પગાર અને અન્ય આવક)
કલમ 10એ હેઠળ છૂટ(એચઆરએ, પરિવહન વગેરે)
વ્યવસાય વેરો(વ્યવસાય વેરો)
પગાર હેઠળની ચોખ્ખી આવક(કુલ આવક - છૂટ)

સ્ટાન્ડર્ડ કરકપાત

પગારદાર વ્યક્તિ અને પેન્શનર
(રૂ. 50,000 સુધી)

કલમ 80 સી હેઠળ કરકપાત

પીએફ, પીપીએફ, ઇન્શ્યોરેન્સ, ઇએલએસએસ,
એનપીએસ વગેરેમાં રહેલા રોકાણો (રૂ. 1,50,000 સુધી)

કલમ 80 સીસીડી હેઠળ કરકપાત

એનપીએસમાં રોકાણો
(મહત્તમ મર્યાદા રૂ. 50,000)

કલમ 80 ડી હેઠળ કરકપાત

મેડિકલ વીમાનું પ્રીમિયમ (પોતાનું, માતા-પિતાનું) (પોતાના માટે રૂ. 25000 + માતાપિતા માટે રૂ. 50,000)

કલમ 80 જી હેઠળ કરકપાત

પાત્ર ગણાતા દાન (80 જી સિવાય કરપાત્ર આવકના 10%)

80 ઈ હેઠળ કરકપાત

શૈક્ષણિક લૉન પર
ચૂકવવામાં આવેલ વ્યાજ

80 ટીટીએ હેઠળ કરકપાત

બાંધી મુદતની થાપણ/પોસ્ટ ઑફિસની એફડી પર પ્રાપ્ત થયેલ વ્યાજ (સીનિયર સિટીઝન ન હોય તેમના માટે રૂ. 10,000 અને સીનિયર સિટીઝન માટે રૂ. 50,000)

કલમ 24 હેઠળ કરલાભ

હૉમ લૉન પર ચૂકવવામાં આવેલ વ્યાજ (રૂ. 2,00,000 સુધી)

કુલ કરકપાત/કરલાભ
કરપાત્ર આવક

આવકવેરો મેળવનારનો પ્રકાર -

કરવેરાનો સ્લેબ

સ્લેબની આવક

કરનો દર

%

કરની રકમ

કરવેરાનો સ્લેબ

સ્લેબની આવક

કરનો દર

%

કરની રકમ

કરવેરાનો સ્લેબ

સ્લેબની આવક

કરનો દર

%

કરની રકમ

કરવેરાનો સ્લેબ

સ્લેબની આવક

કરનો દર

%

કરની રકમ

કુલ આવક પર કરવેરો
સરચાર્જ (જો આવક રૂ. 50 લાખથી વધુ અને રૂ. 1 કરોડથી ઓછી હોય તો, કરવેરા પર 10%)
સરચાર્જ (જો આવક રૂ. 1 કરોડથી વધારે હોય તો, કરવેરા પર 15%)
સરચાર્જ સાથેનો કરવેરો
જમા કર (જો કરપાત્ર આવક રૂ. 5 લાખથી ઓછી હોય તો, રૂ. 12,500 સુધી)
રીબેટ (જો કોઈ હોય તો) સિવાય સરચાર્જની સાથે કરવેરો
એજ્યુકેશન સેસ
સેસની સાથે કર ચૂકવવાની જવાબદારી

માસિક આવક

કુલ આવક/12

માસિક કર (અંદાજિત ટીડીએસ)

કર ચૂકવવાની જવાબદારી/12

આવકવેરાનો ગુણોત્તર (કુલ આવક/કર ચૂકવવાની જવાબદારી)
%

હું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિ. અને તેના પ્રતિનિધિઓને કૉલ, ઈ-મેઇલ, એસએમએસ કે વૉટ્સએપ મારફતે મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું. આ સંમતિ ડીએનસી / એનડીએનસી (તેનો અર્થ એ થયો કે, આપ કોઇપણ ડુ નોટ ડિસ્ટર્બ લિસ્ટ હેઠળ નોંધણી પામેલા હો તો પણ અમે આપનો સંપર્ક કરીશું) હેઠળ થયેલી મારી નોંધણીને રદ કરે છે.

નાણાકીય વર્ષ 2022-23 (એવાય 2023-24) માટે આવકવેરાનું કેલ્ક્યુલેટર શું છે? 

આવકવેરાના બે માળખા છે- જૂનું અને નવું. જૂના માળખા હેઠળ, તમામ આવક કરપાત્ર છે પરંતુ તેમાં અમુક છૂટછાટ તથા કપાતથી કરપાત્ર આવક ઘટી શકે છે અને કર બચતો વધી શકે છે. 

નવા કર માળખામાં આવકવેરાના 6 સ્લેબ સાથે કરના નીચા દર ઓફર કરાય છે પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની કોઈ છૂટછાટ કે કપાત અપાતા નથી. 

તમે કયા માળખાની પસંદગી કરો છો તેના આધારે આવકવેરા કેલ્ક્યુલેટર એવાય 2022-23 માટે તે એક સરળ, તણાવમુક્ત અને સમય બચાવનારી પદ્ધતિ વડે તમામ વિવિધ પરિબળોને ધ્યાને લીધા બાદ તમારી કર જવાબદારીનો અંદાજો લગાવે છે. 

આવકવેરાના કેલ્ક્યુલેટરનો કેવી રીતે ઉપયોગ કરવો. 

1) આવકવેરાની ગણતરી કરવા, ઈન્ડિયા ફર્સ્ટટેક્સ કેલ્ક્યુલેટર ઓનલાઈન પર તમારી વિગતો એન્ટર કરો.  

2) તમારી ઉંમર અને નાણાકીય વર્ષ, એટલે કે, 2022-23 એન્ટર કરો.  

3) તમારી તમામ સ્ત્રોતોમાંની કુલ આવક એન્ટર કરો, જેમકે, પગાર અથવા નફો, ટૂંકા ગાળા અને લાંબા ગાળાના રોકાણો, એફડી પરનું વ્યાજ, મિલ્કત પર મેળવેલું ભાડું, કરપાત્ર ભેટ તથા અન્યો.  

4) તમામ ઉપલબ્ધ કપાતોની વિગતો ઉમેરો.  

5) આવકવેરા કેલ્ક્યુલેટર 2022-23 તમારા આવકવેરાની ઓનલાઈન ગણતરી કરશે જેનો આધાર છેલ્લા નિયમન અનુસાર જૂનું અને નવા કર માળખું એમ બંને રહેશે.  

6)આનાથી તમને તમારી કર બચતોનો અંદાજો આવશે જેનુ ંઈન્ડિયાફર્સ્ટ ટેક્સ સેવિંગ્સ પ્લ ાન્સમાં (urlમાં લિંક ઉમેરો) પુનઃરોકાણ કરી શકાય છે.

એફવાય 2022-23 (એવાય 2023-24) માટે આવકવેરાની ગણતરી કેવી રીતે કરવી? 

તમે નવું કરમાળખું પસંદ કરો છો કે જૂનું, તેના પર આધાર રહે તે રીતે આવકવેરા કેલ્ક્યુલેટર તમને કેવી રીતે કરની ગણતરી કરવી તે દર્શાવે છે. જૂનું માળખું મલ્ટિપલ એલાઉન્સીસ, કપાત તથા ખર્ચનો લાભ ઓફર કરી શકે છે. જ્યારે નવા માળખામાં આ બધા લાભો નથી પરંતુ કરવેરા દર ઘણો જ નીચો છે. 

તમે આવકવેરાની ગણતરી ઓનલાઈન કરો તંત્રની પસંદગી કરો છો, તે પહેલાં જૂના વિ. નવા કર માળખાના કેલ્ક્યુલેટર વચ્ચેનો ભેદ સમજવો મહત્ત્વપૂર્ણ છે. 

Net Taxable Income (Rs) 

Old Tax Regime 

 

New Tax Regime 

 

0-2.5 lakhs 

Exempt 

Exempt 

2,50,001 to 5 lakhs 

5% over 2.5 lakhs 

5% over 2.5 lakhs 

5,00,001 to 7.5 lakhs 

Rs. 12,500 + 20% over Rs. 5 lakh 

Rs. 12,500 + 10% over Rs. 5 lakh 

7,50,001 to 10 lakhs 

Rs. 12,500 + 20% over Rs. 5 lakh 

Rs. 37,500 + 15% over Rs. 7.5 lakh 

10,00,001 to 12.5 lakhs 

Rs. 1,12,500 + 30% over Rs. 10 lakh 

Rs. 75,000 + 20% over Rs. 10 lakh 

12,50,001 to 15 lakhs 

Rs. 1,12,500 + 30% over Rs. 10 lakh 

Rs. 1.25 lakh + 25% over Rs. 12.5 lakh 

15 lakhs+ 

Rs. 1,12,500 + 30% over Rs. 10 lakh 

Rs. 1,87,500 + 30% over Rs. 15 lakh 

આ નવા કર માળખા કેલ્ક્યુલેટર અનુસાર, જે લોકોની ચોખ્ખી કરપાત્ર આવક રૂ. 5 લાખથી રૂ. 15 લાખની વચ્ચે હોય તેઓ તેમની જવાબદારીને ઘટાડી શકે છે કારણ કે તેઓ નીચા આવકવેરા સ્લેબ દરમાં આવે છે. 

*60થી 80 વર્ષની વચ્ચેના સિનિયર સિટિઝન માટે કર સ્લેબ દર 

Net Taxable Income (Rs) 

Old Tax Regime 

New Tax Regime 

0-2.5 lakhs 

Exempt 

Exempt 

2,50,001 to 3 lakhs 

Exempt 

5% over Rs. 2.5 lakh 

3,00,001 to 5 lakhs 

5% above Rs. 3 lakh 

5% over Rs. 2.5 lakh 

5,00,001 to 7.5 lakhs 

Rs. 10,000 + 20% over Rs. 5 lakh 

Rs. 12,500 + 10% over Rs. 5 lakh 

7,50,001 to 10 lakhs 

Rs. 10,000 + 20% over Rs. 5 lakh 

Rs. 37,500 + 15% over Rs. 7.5 lakh 

10,00,001 to 12.5 lakhs 

Rs. 10,000 + 20% over Rs. 5 lakhs 

Rs. 75,000 + 20% over Rs. 10 lakhs 

12,50,001 to 15 lakhs 

Rs. 1,10,000 + 30% over Rs. 10 lakhs 

Rs. 1.25 lakh + 25% over Rs. 12.5 lakhs 

15 lakhs+ 

Rs. 1,10,000 + 30% over Rs. 10 lakh 

Rs. 1,87,500 + 30% over Rs. 15 lakh 

*80 વર્ષથી વધુ વયના લોકો માટે (સુપર સિનિયર સિટિઝન) 

Net Taxable Income (Rs) 

Old Tax Regime 

New Tax Regime 

 

0-2.5 lakhs 

Exempt 

Exempt 

2,50,001 to 5 lakhs 

Exempt 

5% over 2.5 lakhs 

5,00,001 to 7.5 lakhs 

20% over Rs. 5 lakhs 

Rs. 12,500 + 10% over Rs. 5 lakhs 

7,50,001 to 10 lakhs 

20% over Rs. 5 lakhs 

Rs. 37,500 + 15% over Rs. 7.5 lakhs 

10,00,001 to 12.5 lakhs 

20% over Rs. 5 lakhs 

Rs. 75,000 + 20% over Rs. 10 lakhs 

12,50,0001 to 15 lakhs 

Rs. 1,00,000 + 30% over Rs. 10 lakhs 

Rs. 1.25 lakh + 25% over Rs. 12.5 lakhs 

15 lakhs+ 

Rs. 1,00,000 + 30% over Rs. 10 lakhs 

Rs. 1,87,500 + 30% over Rs. 15 lakh 

*નવા માળખા માટે આવકવેરા સ્લેબ એફવાય 2022-23 (એવાય 2023-24) 

નવું કર માળખું કરદાતાઓને સ્લેબમાં વિભાજિત કરે છે, જેમાં ભિન્ન કર દરો હોય છે. 60 વર્ષથી ઓછી વયની વ્યક્તિઓ માટે, તે છેઃ 

Net Taxable Income (Rs) 

New Tax Regime 

 

Up to 2.5 lakhs 

Exempt 

2,50,001 to 5 lakhs 

5% on the amount above INR 2,50,000 (with a total rebate under Section 87A) + 4% cess on income tax 

5,00,001 to 7.5 lakhs 

INR 12,500 + 10% on the income over INR 5,00,000 + 4% cess on income tax 

7,50,001 to 10 lakhs 

INR 37,500 + 15% on the income over INR 7,50,000 + 4% cess on income tax 

10,00,001 to 12.5 lakhs 

INR 75,000 + 20% on the income over INR 10,00,000 + 4% cess on income tax 

12,50,001 to 15 lakhs 

INR 1,25,000 + 25% on the income over INR 12,50,000 + 4% cess on income tax 

15 lakhs+ 

INR 1,25,000 + 25% on the income over INR 12,50,000 + 4% cess on income tax 

'

*જૂના અને નવા માળખા માટે સરચાર્જ લાગુ થવા પાત્ર 

કરદાતાઓ કે જેમની ચોખ્ખી કરપાત્ર આવક એફવાય 2022-23માં 50 લાખને ઓળંગી જતી હોય તેમણે એફવાય 2022-23 માટે ગણતરી કરાયેલા આવકવેરા સ્લેબ દરો પર આધારિત સરચાર્જ ચૂકવવાના રહેશે. 

Total Income  

Rate of Surcharge 

Exceeding INR 50 lakhs but not exceeding INR 1 Cr. 

10% 

Exceeding INR 1 Cr. but not exceeding INR 2 Cr. 

15% 

Exceeding INR 2 Cr. but not exceeding INR 5 Cr. 

25% 

Exceeding INR 5 Cr. 

37% 

જૂના માળખા માટે આવકવેરાની ગણતરી 

જૂનું માળખું કલમ 80સી હેઠળ છૂટછાટ અને કપાતની જોગવાઈ કરી આપે છે, જેનાથી કરપાત્ર આવક ઘટે છે. જૂના માળખાના કર કેલ્ક્યુલેટરનો, ઉપયોગ કરતી વેળાએ આને કુલ આવકમાંથી ઘટાડ્યા પછી જ કરપાત્ર આવકે પહોંચી શકાશે. કર ચૂકવનારની વય અને આવકનું બ્રેકેટ પણ મહત્ત્પૂર્ણ પરિબળો છે. 

આવકવેરો ફાઈલ કરવા માટે યોગ્યતા માપદંડ 

જે પણ વ્યક્તિની આવક કર સ્લેબમાં આવે છે તે કર ચૂકવણીને પાત્ર બને છે. 60 વર્ષથી ઓછી વયના માટે આ આંક રૂ. 2.5 લાખ પ્રતિ વર્ષનો, 60-80 વર્ષના સિનિયર સિટિઝન માટે રૂ. 3 લાખ પ્રતિ વર્ષનો, તેમજ 80 વર્ષથી વધુ વયના સુપર સિનિયર સિટિઝનો માટે રૂ. 5 લાખ પ્રતિ વર્ષનો છે. 

પગારદાર વ્યક્તિઓ માટે આવકવેરા છૂટછાટો 

Deductions and exemptions are only allowed if you file your tax under the old regime. 

1) સ્ટાન્ડર્ડ ડિડક્શન અથવા રૂ. 50,000 

2) ઘરભાડા ભથ્થું 

3) રજા પ્રવાસ ભથ્થું 

4) કામને લગતા ખર્ચ  

5)એનપીએસ, જીવનવીમા પ્રિમિયમ, ઈએલએસએસ, ટ્યુશન ફી, એફડીમાં કર-બચત, આરોગ્ય વીમા પ્રિમિયમ, હોમ લોનની પરત ચૂકવણી, એજ્યુકેશન લોનમાં વ્યાજની ચૂકવણી, માન્ય સખાવતી સંસ્થાઓમાં યોગદાન, બચત ખાતા પરના વ્યાજમાં યોગદાન જેવાને આવકવેરા ધારા હેઠળ કપાત મળે છે. 

આવકવેરાનું રિટર્ન ઓનલાઈન ફાઈલ કરવાના લાભા 

1)કર કેલ્ક્યુલેટર ઓનલાઈન કરવેરાની ઝડપથી અને સરળતાથી ગણતરી કરીને અનેકવિધ લાભો પૂરા પાડે છે. 

  • 2) ઝડપી કર રિફંડ લાગુ કરે 

  • 3)ફાઈલિંગ પર તુરત કન્ફર્મેશન પૂરું પાડે અને સ્ટેટસ અપડેટ આપે 

  • 4) સુરક્ષા અને સલામતી ઓફર કરે 

  • 5) તમારી સુગમતાએ ચૂકવો જેથી કોઈ પણ લેટ ફી અથવા દંડ ટાળી શકાય  

  • 6) વર્તમાન અને ભાવિ રોકાણ લાભો સામે નુકસાનના સમાધાન માટેની પાત્રતા પૂરી પાડે 

  • 7) આઈટી રિટર્ન વિઝા, લોન તથા વીમા અરજી માટે જરૂરી રહેઠાણ અને આવકના પૂરાવા તરીકે કામ લાગે 

કેન્દ્રીય બજેટ 2023માં આવકવેરાના નિયમોમાં જાહેર કરવામાં આવેલા અન્ય ફેરફારો

આ નવી કર વ્યવસ્થા હેઠળ, કરવેરાના સ્લેબને અગાઉની રૂ. 5 લાખની મર્યાદાથી વધારીને રૂ. 7 લાખ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, સરકાર નેક્સ્ટ-જનરેશન કૉમન ઇન્કમ ટેક્સ રીટર્ન (આઇટીઆર) ફૉર્મ રજૂ કરવાની યોજના બનાવી રહી છે, જેથી કરીને કરદાતાનો સમય બચાવી શકાય અને અનુપાલનની કાર્યક્ષમતાને સુધારી શકાય. 

નવી કર વ્યવસ્થા હેઠળના આવકવેરાના ટેક્સ સ્લેબ મુજબ તમારા ઇન્કમ ટેક્સ રીટર્નને ફાઇલ કરવા માટે કેવી તૈયારી કરવી તેના સૂચનો

ઈ-ફાઇલિંગ એ તમારા ઇન્કમ ટેક્સ રીટર્ન (આઇટીઆર)ને ફાઇલ કરવાનો સૌથી સરળ, આર્થિક રીતે પરવડે તેવો અને સૌથી કાર્યક્ષમ રસ્તો છે. તમારા નિયોક્તા દ્વારા પૂરું પાડવામાં આવેલું ફૉર્મ 16, પાન કાર્ડ અને તમારા રોકાણના પુરાવાઓને તૈયાર રાખો. https://www.incometax.gov.in/ સાઇટ પર નોંધણી કરાવો અને તેની પર જણાવવામાં આવેલા સ્ટેપ્સને અનુસરો. આ ઉપરાંત, રીફન્ડ, કરકપાત, લાગુ થતાં ફૉર્મ્સ અને આઇટીઆરને ફાઇલ કરવાની પ્રક્રિયાને જોવા માટે પણ આ પોર્ટલનો ઉપયોગ થઈ શકે છે. 

નવા કરમાળખા હેઠળ મંજૂરીને પાત્ર નથી તેવી છૂટછાટો/ કપાતો કઈ છે? 

આમાંના અમુકમાં સામેલ છેઃ 

  • 1) આવકવેરા ધારા હેઠળની કપાતો 

  • 2) ઘરભાડા ભથ્થું 

  • 3) રજા પ્રવાસ ભથ્થું 

  • 4) સગીર બાળખની આવકનું ભથ્થું 

  • 5) મદદનીશનું ભથ્થું 

  • 6) બાળકોનું શિક્ષણ ભથ્થું 

  • 7) આવાસ લોન પરનું વ્યાજ  

  • 8) અન્ય કોઈ પણ લાભ અથવા ભથ્થા માટે કપાત અથવા છૂટછાટ 

  • 9) ફેમિલિ પેન્શન આવક પરની કપાત  

આ નવી કર વ્યવસ્થા હેઠળ કરવેરામાં આપવામાં આવતી કઈ છુટછાટો/કરકપાતોને નામંજૂર કરી દેવામાં આવી છે?

  • 1) કલમ 80ટીટીએ/80ટીટીબી હેઠળ આપવામાં આવતી કરકપાતો. 

  • 2) મનોરંજનના ભથ્થા માટેની કરકપાત. 

  • 3) રજાઓમાં મુસાફરી માટે આપવામાં આવતાં ભથ્થા. 

  • 4) પોતાના કબજા હેઠળની કે ખાલી રહેણાંક સંપત્તિ માટે લીધેલી હાઉસિંગ લૉન માટે ચૂકવવામાં આવેલી વ્યાજ પર આપવામાં આવતો કર સંબંધિત લાભ. 

  • 5) કલમ 57ના ક્લૉઝ (આઇઆઇએ) હેઠળ કૌટુંબિક પેન્શનમાંથી કરવામાં આવતી રૂ. 15,000ની કપાત. 

  • 6) પ્રોવિડેન્ટ ફન્ડમાં આપવામાં આવતાં યોગદાન, જીવનવીમાના પ્રીમિયમ, બાળકોની શાળાની ટ્યુશન ફી તથા ઇએલએસએસ, એનપીએસ, પીપીએફ વગેરે જેવા વિવિધ પ્રકારના નિશ્ચિત રોકાણો માટે કલમ 80સી હેઠળ ક્લેઇમ કરવામાં આવતી કરકપાતો. 

  • 7) કલમ 80ડી હેઠળ મેડિકલ વીમાના પ્રીમિયમ માટે ક્લેઇમ કરવામાં આવતી કરકપાત. 

  • 8) કલમ 80ડીડી અને 80ડીડીબી હેઠળ વિકલાંગતા માટેના કરવેરા સંબંધિત લાભ. 

  • 9) કલમ 80ઈ હેઠળ શૈક્ષણિક લૉન માટે ચૂકવવામાં આવેલા વ્યાજ પર ટેક્સ બ્રેક. 

  • 10) કલમ 80જી હેઠળ ઉપલબ્ધ સખાવતી સંસ્થાઓને આપવામાં આવેલા દાન પર ટેક્સ બ્રેક. 

  • 11) પ્રકરણ વીઆઇએ હેઠળની તમામ કરકપાતો, જેમ કે, કલમ 80સી, 80સીસીસી, 80સીસીડી, 80ડી, 80ડીડી, 80ડીડીબી, 80ઈ, 80ઈઈ, 80ઈઈએ, 80ઈઈબી, 80જી, 80જીજી, 80જીજીએ, 80જીજીસી, 80આઇએ, 80-આઇએબી, 80-આઇએસી, 80-આઇબી, 80-આઇબીએ, વગેરે. 

નૉલેજ સેન્ટર

ભારતમાં પ્રોફેશનલ ટેક્સ શું છે?

કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ વ્યવસાય, વેપાર અથવા રોજગારમાંથી રળેલી આવકમાંથી પ્રોફેશનલ ટેક્સ એ કપાતો પ્રત્યક્ષ કરવેરો છે. તેની વસૂલાત રાજ્ય સરકારો કરતી હોવાથી તેની રકમ રાજ્યથી રાજ્યમાં બદલાતી હોય છે. આ કરની ગણતરી પૂર્વનિર્ધારિત સ્લેબ દ્વારા કરાય છે અને તેની રેન્જ રૂ. 200થી રૂ. 2500ની વચ્ચે છે. 

વેતન પરના આવકવેરાની ગણતરી કેવી રીતે કરવી?

અહીં એક ફોર્મ્યુલા આપવામાં આવી છે જે તમને દર્શાવે છે કે તમે કેવી રીતે ઉદાહરણ સાથે વેતન પર આવકવેરાની ગણતરી કરી શકો. 

બેઝિક પગાર + HRA + સ્પેશિયલ એલાઉન્સ (ભથ્થું) + ટ્રાન્સપોર્ટ એલાઉન્સ + અન્ય કોઈ ભથ્થું = વેતનમાંથી કુલ આવક 

આ કુલ આવકમાંથી, કોઈ પણ કપાત અને પ્રોફેશનલ ટેક્સને બાદ કરો (કોઈ હોય તો). 

આનાથી તમને ચોખ્ખી કરપાત્ર આવક મળશે. 

ઉદાહરણ સ્વરૂપેઃ 

કવિતા શ્રીવાસ્તવનો માસિક બેઝિક પગાર રૂ. 1 લાખ છે 

તેનું ઘરભાડા ભથ્થું માસિક રૂ. 45 હજાર છે 

સ્પેશિયલ એલાઉન્સ માસિક રૂ. 20 હજાર છે 

રજા પ્રવાસ ભથ્થું (LTA) માસિક રૂ. 20 હજાર છે 

તેની કરપાત્ર આવકની ગણતરી નીચે મુજબ કરાશેઃ 

કોમ્પોનેન્ટ્સ

રકમ

બેઝિક પગાર  

1,00,000 x 12 = 12,00,000 

ઘરભાડા ભથ્થું (HRA)  

45,000 x 12 = 5,40,000 

સ્પેશિયલ એલાઉન્સ 

20,000 x 12 = 2,40,000 

રજા પ્રવાસ ભથ્થું (LTA)  

20,000 

કુલ વાર્ષિક પગાર (આવક) 

20,00,000 

કવિતાનો પગાર રૂ. 15 લાખથી વધુ છે. તમે જૂના માળખાના કર કેલ્ક્યુલેટર અને નવા માળખાના કર કેલ્ક્યુલેટર વડે આવકવેરાની ઓનલાઈન ગણતરી કરો છો, તો તમને શું પ્રાપ્ત થશેઃ  

કોમ્પોનેન્ટ્સ 

જૂનું કર માળખું 

નવું કર માળખું 

કુલ વાર્ષિક વેતન  

₹ 20,00,000 

₹ 20,00,000 

કુલ આવક  

₹ 20,00,000 

₹ 20,00,000 

(હવે તમામ લાગુ પડતી કપાતો, ભથ્થાં અને છૂટછાટને બાદ કરો) 

બાદઃ સ્ટાન્ડર્ડ ડિડક્શન 

– ₹ 50,000 

– 

બાદઃ કલમ 80સી હેઠળ છૂટછાટ  

– ₹ 1,50,000 

– 

બાદઃ કલમ 80ડી હેઠળ છૂટછાટ  

– ₹ 50,000 

– 

બાદઃ ઘરભાડા ભથ્થું (5,40,000 કપાતમાંથી) 

– ₹ 3,00,000 

– 

બાદઃ રજા પ્રવાસ ભથ્થું (20,000 કપાતમાંથી) 

– ₹ 10,000 

(બિલ ફરજિયાત આપવા પડે)) 

– 

કુલ કરપાત્ર આવક 

  ₹ 14,40,000 

કુલ ચૂકવવાપાત્ર કર 

₹ 2,54,280 

₹3,37,500 

જૂના કર માળખા હેઠળ, કર બચત યોજનામાં રોકાણથી કવિતાની કર જવાબદારીમાં હજી ઘટાડો થઈ શકે છે. 

આવકવેરા માટે સિનિયર સિટિઝનની આવકની ગણતરી કેવી રીતે કરવી?

અગાઉના વર્ષમાં તમારી ઉંમર 60 વર્ષથી વધુ પરંતુ 80 વર્ષથી ઓછી છે, તો તમે “સિનિયર સિટિઝન” કેટેગરીમાં આવો છો. જે લોકોની ઉંમર અગાઉના વર્ષમાં 80 વર્ષથી વધુ હતી તેઓ “સુપર સિનિયર્સ” કહેવાય. આવકવેરા કેલ્ક્યુલેટર માટે સિનિયર સિટિઝન અને સુપર સિનિયર્સની ઉંમરની ગણતરી નાણાકીય વર્ષની 01 એપ્રિલથી કરવામાં આવશે. 

આવકવેરાના રિટર્નની ગણતરી કેવી રીતે કરાય?

પગારદાર અથવા તો સ્વ-રોજગાર ધરાવનારી કોઈ પણ વ્યક્તિ આવકવેરા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આવકવેરાની ઓનલાઈન ગણતરી કરી શકે છે. તે અત્યંત સરળ, અસરકારક ટૂલ છે જે તમને આખી પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે. તમે એકવખત વિગતોને ભરી દો, તે પછી તે તમને કરપાત્ર આવક અને ચૂકવવાપાત્ર કરનો અંદાજો આપશે. 

ભારતમાં કઈ આવક કરપાત્ર નથી?

નીચેની આવકો કરમુક્ત છે. 

  • કૃષિ આવક 

  • હિન્દુ અવિભક્ત કુટુંબમાંથી કોઈ વ્યક્તિએ મેળવેલી આવક 

  • ભાગીદારી પેઢી અથવા એલએલપીના શેર, કે જેનું આવકવેરા માટે અલગથી આકલન કરાયું હોય 

  • એનઆરઆઈ કરમુક્ત આવકો 

  • વિદેશીઓએ રળેલી ચોક્કસ પ્રકારની આવકો 

  • પેન્શનની ગણતરી 

  • ગ્રેજ્યુઈટી 

  • અલગ થવા પર ચૂકવણી અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ 

  • રજા વેતન 

  • વીમાની સમ એશ્યોર્ડ 

  • સરકાર માન્ય પ્રોવિડન્ટ ફંડ (પીએફ), મંજૂર કરાયેલ સુપરએન્યુએશન ફંડ અથવા પીપીએફ પાસેથી પ્રાપ્ત થયેલા નાણાં 

  • ચોક્કસ પ્રકારની વ્યાજ આવક 

મહત્તમ બિન-કરપાત્ર આવક મર્યાદા કેટલી છે?

બંને કર માળખા હેઠળ જે વ્યક્તિઓની ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને રૂ. 2.5 લાખ સુધીની આવક હોય. 

જૂના કરમાળખા હેઠળ, સિનિયર સિટિઝનને (60-80 વર્ષ) રૂ. 3 લાખ સુધી કરની ચૂકવણી અને સુપર સિટિઝનને (80 વર્ષ+) રૂ. 5 લાખ સુધી કર ચૂકવણીમાંથી મુક્તિ અપાય છે. નવા કરમાળખા હેઠળ બંને સિનિયર સિટિઝન તથા સુપર સિનિયર્સને રૂ. 2.5 લાખ સુધી કર ચૂકવણીમાંથી મુક્તિ અપાય છે. 

10 લાખના વેતન પર હું કેટલો કર ચૂકવું છું?

આવક વેરા કેલ્ક્યુલેટર AY 2022 23 હેઠળ, 60 વર્ષથી ઓછી વયની વ્યક્તિ જે વેતન, વ્યાપાર અથવા રોકાણથી આવક મેળવે છે, તે ચૂકવે છેઃ 

જૂનું કર માળખુ- રૂ. 5 લાખ પર રૂ. 12,500 + 20% એટલે કે, રૂ.1,12,500 

નવું કર માળખુ- રૂ. 7.5 લાખ પર રૂ. 37,500 + 15% એટલે કે, રૂ.1,87,500 

6 લાખ માટે આવકવેરો કેટલો થશે?

જે લોકોની વાર્ષિક આવક રૂ. 5 લાખ અને રૂ. 7.5 લાખની વચ્ચે છે, તેઓ નવા કર માળખા કેલ્ક્યુલેટર હેઠળ 10% ચૂકવશે, અને જૂના કર માળખા કેલ્ક્યુલેટર હેઠળ 20% ચૂકવશે. 

ભારતમાં કેટલી આવક કરમુક્ત છે?

નવા કર માળખા કેલ્ક્યુલેટર અનુસારઃ 

60 વર્ષથી નીચેની વ્યક્તિઓ માટે – રૂ. 2.5 લાખથી નીચે 

60 વર્ષથી 80 વર્ષના સિનિયર સિટિઝન માટે – રૂ. 3 લાખથી નીચે 

80+ વર્ષના સુપર સિનિયર્સ માટે – રૂ. 5 લાખથી નીચે 

60 વર્ષથી નીચેની વ્યક્તિઓ માટે – રૂ. 2.5 લાખથી નીચે 

60 વર્ષથી 80 વર્ષના સિનિયર સિટિઝન માટે – રૂ. 3 લાખથી નીચે 

80+ વર્ષના સુપર સિનિયર્સ માટે – રૂ. 2.5 લાખથી નીચે 

80+ વર્ષના સુપર સિનિયર્સ માટે – રૂ. 2.5 લાખથી નીચે  

આવકવેરાની ચૂકવણી માટે લઘુતમ વેતન કેટલું છે?

કોઈ પણ આવક કે જે પ્રતિ વર્ષ રૂ. 2.5 લાખ કરતા વધે છે તેની પર કર લાગશે. 

મારા વેતન પર મારે કેટલો વેરો ચૂકવવાનો?

તેનો આધાર વિવિધ પરિબળો પર રહેલો છે. નવું કર માળખા કેલ્ક્યુલેટર આવકવેરા ચૂકવનારને 6 સ્લેબમાં વિભાજિત કરે છે અને તમે કયા સ્લેબમાં આવો છો તેના આધારે વેરો ચૂકવો છો. જૂનું કર માળખા કેલ્ક્યુલેટર પણ પૂર્વનિર્ધારિત મર્યાદા ધરાવે છે પરંતુ વધુ કર બચત વિકલ્પો પૂરા પાડે છે. 

જૂના માળખા હેઠળ વેતન પર આવકવેરાની કેવી રીતે ગણતરી કરવી?

આવકવેરા કેલ્ક્યુલેટર પર ફક્ત તમારી બધી વિગતો એન્ટર કરો અને ઝડપી તેમજ સરળ પાયાગત કર ગણતરી મેળવવા માટે કેલ્ક્યુલેટર જૂનું માળખું સિલેક્ટ કરો. 

આવકવેરા સ્લેબ (7.5-10 લાખ) માટે વર્તમાન દર કયા છે?

આવકવેરા કર કેલ્ક્યુલેટર અનુસાર, તમે જૂના માળખા હેઠળ રૂ. 5 લાખ પર 20% ચૂકવો છો, જ્યારે નવા માળખા હેઠળ રૂ. 7.5 લાખ પર 15% ચૂકવો છો. 

મારા માટે કયું માળખું વધુ સારું છે?

કર માળખાની પસંદગી કરતી વેળાએ, તમારા આવકના માળખા તથા ઉપલબ્ધ કપાતો વિશે વિચારણા કરશો. તમામ સ્ત્રોતોમાંથી આવક તેમજ તમામ લાગુ પડતી કપાતો તથા છૂટછાટોને પ્રાપ્ત કરીને તમારી કર જવાબદારીની ગણતરી કરવા કેલ્ક્યુલેટર જૂના માળખાનો ઉપયોગ કરશો. ત્યારબાદ તમારી કર જવાબદારીની ગણતરી કરવા નવા કર માળખા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તેના હેઠળ અપાયેલા કર સ્લેબના દરો અનુસાર તમારી કર જવાબદારી ગણશો. હવે તમને કયું વધુ સારી રીતે અનુકૂળ આવે છે તેની તુલના કરો. 

શું હું કર માળખું બદલી શકું?

હા, તમે દર વર્ષે જૂના અને નવા કરમાળખામાં ફેરફાર કરી શકો છો. 

શું 80સી હેઠળની કરમુક્તિ દૂર કરી દેવાઈ છે?

કલમ 80સી નાબૂદ નથી કરી દેવાઈ અને તે જૂના કર માળખા હેઠળ અમુક છૂટછાટો માટે તમને હજી પણ હકદાર બનાવે છે, જેનાથી તમે તમારી કરપાત્ર આવકમાં રૂ. 1,50,000 સુધીનો ઘટાડો કરી શકો છો.