જીવન વીમો એટલે શું?
જીવનવીમા પોલિસી મૂળભૂતરૂપે જીવનવીમા પ્રદાતા અને પોલિસી ધારક વચ્ચે સહી થયેલો એક કરાર છે.
ગ્રાહકોને સેવા પૂરી પાડવાની ઉત્કટતાની સાથે અમે માનીએ છીએ કે, અનિશ્ચિતતાઓ કરતાં નિશ્ચિતતાઓનું પલડું હંમેશા ભારે જ રહે છે અને અમે ઇચ્છિએ છીએ કે આપ આવી ક્ષણો માટે સજ્જ રહો. અમને આનંદ છે કે, આપે અમને વધુ સારી રીતે જાણવા માંગો છો.
મુંબઈમાં વડુંમથક ધરાવતી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયાફર્સ્ટ લાઇફ) રૂ. 663 કરોડની ભરપાઈ થયેલી શૅર મૂડીની સાથે દેશની સૌથી નવોદિત વીમાકંપનીઓ પૈકીની એક છે.
Know MoreFor successfully completing the assessment conducted by GPTW Institute.
16th Customer Fest Leadership Awards 2023
Elets BFSI Tech Innovation Awards
જીવનવીમા પોલિસી મૂળભૂતરૂપે જીવનવીમા પ્રદાતા અને પોલિસી ધારક વચ્ચે સહી થયેલો એક કરાર છે.
જીવનવીમો એ પૉલિસીધારક અને વીમા કંપનીની વચ્ચે થયેલો એક કરાર છે, જે પૉલિસીધારકનું નિધન થઈ જવાની ઘટનામાં તેમના પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. પૉલિસીધારક ‘વીમાકૃત રકમ’ તરીકે પણ ઓળખાતા ‘જીવન વીમાકવચ’ના બદલામાં વીમા કંપનીને ‘પ્રીમિયમ’ની ચૂકવણી કરે છે. આ રકમ પૉલિસી ખરીદતી વખતે અગાઉથી નક્કી થયેલી હોય છે અને ચૂકવવાના થતાં પ્રીમિયમો પર આધારિત હોય છે. આ પ્રીમિયમની ચૂકવણી એક નિશ્ચિત સમયગાળા દરમિયાન કરવાની હોય છે, જેને ‘પૉલિસીની મુદત’ કહેવામાં આવે છે, જે બે વર્ષથી માંડીને ઘણાં દાયકા સુધીનો હોઈ શકે છે. કિંમત અને વીમાકવચની વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જ મહત્વનું છે, કારણ કે, ખૂબ ઓછું જીવન વીમાકવચ ખરીદવાથી તમારા આકસ્મિક નિધનના કિસ્સામાં તમારા પરિવારની આર્થિક સુરક્ષા જોખમમાં મૂકાઈ શકે છે. જીવનવીમો એ વાતની ખાતરી કરે છે કે તમારા આશ્રિતો તમારા નિધન પછી પણ આરામદાયક રીતે જીવી શકે. જો તમે પૉલિસીની સમગ્ર મુદત પૂરી થયાં પછી પણ.
જીવિત રહો છો તો, જીવનવીમાના કેટલાક પ્લાનતમને વીમાકૃત રકમની સાથે-સાથે ‘પાકતી મુદતના લાભ’ની પણ ચૂકવણી કરે છે. જેના કારણે જીવનવીમો સારો બચત પ્લાન પણ બની જાય છે.
એક જીવનવીમા પૉલિસી આર્થિક સુરક્ષા માટેના શ્રેષ્ઠ પ્લાન્સ હોય છે, કારણ કે, તે ઘણાં બધાં લાભ પૂરાં પાડે છે.
નાણાકીય સુરક્ષાઃ જો તમે મોટું જીવન વીમાકવચ ખરીદો છો, તો તે તમારા આકસ્મિક મૃત્યુ થઈ જવાની ઘટનામાં તમારા આશ્રિતોને મૃત્યુ સંબંધિત લાભ તરીકે એકસામટી રકમની ચૂકવણી કરશે. આથી જો, તેમની પાસે કોઈ આવકનો સ્રોત ન હોય તથા નાના બાળકો અને વૃદ્ધ માતા-પિતાનું પાલનપોષણ કરવાનું હોય તો તે તેમને આરામદાયક રીતે જીવવામાં મદદરૂપ થઈ શકે છે.
સંપત્તિનું સર્જનઃ જીવનવીમાના કેટલાક પ્લાન રોકાણ અને વીમા બંનેના લાભ આપે છે. વીમાકંપની તમારા દ્વારા ચૂકવવામાં આવેલા પ્રીમિયમનો એક હિસ્સો ઇક્વિટી ફન્ડમાં રોકે છે, જેથી તમારા નાણાંની વૃદ્ધિ થાય અને બાકીની રકમને જીવનવીમા પ્રત્યેની ચૂકવણી તરીકે સ્વીકારવામાં આવે છે.
જીવનના દરેક તબક્કા માટે સુરક્ષાઃ તમારા બાળકોના ભવિષ્યની આર્થિક સુરક્ષાની વાત હોય, ઘરની આવક રળનારી મુખ્ય વ્યક્તિના નિધન પછી આવકનો સ્થિર સ્રોત હોય, નિવૃત્તિના આયોજનની વાત હોય કે પછી લાંબાગાળા માટે બચત કરવી હોય, તમારી દરેક જરૂરિયાત માટે જીવનવીમા પૉલિસી હોય છે.
કરબચત: ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80સી પ્રીમિયમની ચૂકવણીઓને કરમુક્ત બનાવે છે, જે તમારા કરપાત્ર રકમને ઘટાડી દે છે. આથી વિશેષ, કલમ 10(10ડી) એ વાતની ખાતરી કરે છે કે, જીવનવીમામાંથી તમને આવક પેટે પ્રાપ્ત થનારી રકમ પણ કરમુક્ત જ રહે. કરવેરા સંબંધિત આ કાયદા જીવનવીમાને રોકાણનો એક યોગ્ય વિકલ્પ બનાવે છે.
નિવૃત્તિનું આયોજનઃ તમારું કામકાજી જીવન પૂરું થઈ શકે છે પરંતુ જીવનમાં જે રોજબરોજના ખર્ચાઓ થાય છે, તે તો ચાલું જ રહેવાના છે. નિવૃત્તિ માટેની જીવનવીમા પૉલિસી વીમાકવચ પૂરું પાડવાની સાથે આવકનો સ્થિર સ્રોત પણ ઊભો કરી આપે છે, જેની મદદથી તમે તમારા રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળી શકો છો, નાનો બિઝનેસ ઊભો કરી શકો છો અથવા તો આ નાણાંનું અન્ય કોઈ નાણાકીય સાધનોમાં ફરીથી રોકાણ પણ કરી શકો છો.
સલામત રોકાણઃ માર્કેટ સાથે જોડાયેલું વળતર પૂરું પાડનારા નાણાકીય ઉત્પાદનો માર્કેટના ચઢાવઉતારને આધિન હોય છે, જેના કારણે તે જોખમી બની જાય છે. જોકે, જીવનવીમો એ તમને પ્રીમિયમની ચૂકવણીના બદલામાં બાંયધરીપૂર્વકના લાભ પૂરાં પાડે છે.
લૉનના વિકલ્પો: અણધારી આર્થિક કટોકટી આવી પડવાના કિસ્સામાં જીવનવીમાની મદદથી તમે પૉલિસીના નિયમો અને શરતો પર આધાર રાખી વીમાકૃત રકમ પર ઋણ લઈ શકો છો.
રાઇડર: રાઇડર્સ એ વધારાના લાભ છે, જેને તમે તમારી જીવનવીમા પૉલિસીને વધુ સક્ષમ બનાવવા માટે ખરીદી શકો છો. રાઇડર્સ તમારું અનિશ્ચિતતા સામે રક્ષણ કરે છે, જેમ કે, ગંભીર બીમારી, આકસ્મિક મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ/આંશિક વિકલાંગતા વગેરે, જેનાથી તમારી આવકને નુકસાન પહોંચી શકે છે.
ભારતમાં એક જીવનવીમા કંપની ઘણાં બધાં વિકલ્પો પૂરાં પાડે છે અને તમને તમારી જરૂરિયાતને સૌથી યોગ્ય રીતે પૂરી કરી શકે તેવા જીવનવીમાના પ્લાન મળી જાય છે.
જીવનવીમો એ તમારા પરિવારની આર્થિક સુરક્ષાની ખાતરી કરવા માટે ખૂબ જ જરૂરી હોવાથી પૉલિસીને ખરીદતી વખતે આ પરિબળોને ધ્યાનમાં રાખવા જોઇએઃ
જીવનવીમાના પ્રીમિયમની રકમ અહીં નીચે જણાવેલા પરિબળો પર આધાર રાખીને નિર્ધારિત થાય છેઃ
કોઇપણ વયની, કોઇપણ વ્યવસાય કરતી કે લગ્ન સંબંધિત કોઇપણ સ્થિતિ ધરાવતી દરેક વ્યક્તિએ જીવન વીમો ખરીદવો જોઇએ. જીવનવીમો આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. તે તમારી ભવિષ્યની મહત્વકાંક્ષાઓને પૂરી કરવા માટે તમારી બચતમાં વધારો પણ કરે છે.
2. મારે કેટલા જીવનવીમાની જરૂર છે? ઓછામાં ઓછું જીવનવીમા કવચ કેટલું લેવું જોઇએ તે જાણવું ખૂબ જ સરળ છે. જો તમે 55 વર્ષથી નાની વયના હો તો, તમારે તમારી વર્તમાન વાર્ષિક આવકથી 10થી 15 ગણું જીવન વીમાકવચ લેવું જોઇએ. ઉદાહરણ તરીકે, જો તમારો વર્તમાન વાર્ષિક પગાર ₹ 10 લાખ હોય તો, તમારે ઓછામાં ઓછા ₹ 1-1.5 કરોડનો જીવનવીમો ખરીદવો જોઇએ. તમારા જીવન વીમાકવચનો આધાર ઘણાં બધાં પરિબળો પર રહેલો છે, જેમ કે, વય, તમારા પર આશ્રિત લોકોની સંખ્યા, તમારું ઋણ અને તમારા નાણાકીય લક્ષ્યાંકો. આથી તમે જ્યારે પણ જીવનવીમો ખરીદતા હો ત્યારે આ પરિબળોને ધ્યાનમાં રાખો.
અલગ-અલગ જીવનવીમા ઉત્પાદનો અલગ-અલગ લાભ પૂરાં પાડે છે. જીવનવીમાનું સૌથી સરળ અને સૌથી સામાન્ય સ્વરૂપ છે, ટર્મ ઇન્શ્યોરન્સ, જે પરવડે તેવા પ્રીમિયમે વધારે વીમાકવચ પૂરું પાડે છે. આ પ્રીમિયમને માસિક અથવા વાર્ષિક ધોરણે ચૂકવી શકાય છે. ટર્મ ઇન્શ્યોરન્સમાં પૉલિસીધારકનું મૃત્યુ થવા પર આશ્રિતોને જીવન વીમાકવચ મૃત્યુ સંબંધિત લાભ તરીકે ચૂકવવામાં આવે છે. જો વીમાધારક પૉલિસીની મુદત પૂરી થવા સુધી જીવિત રહે છે, તો કોઈ વળતર કે પેમેન્ટની ચૂકવણી કરવામાં આવતી નથી. હોલ લાઇફ પ્લાન્સ જેવા કેટલાક વીમા ઉત્પાદનો પૉલિસીધારક પ્લાનની મુદત પૂરી થવા સુધી જીવિત રહે છે, તો પાકતી મુદતના લાભ પૂરાં પાડે છે
જીવનવીમો ખૂબ જ મહત્વનો છે, કારણ કે, તે તમારું આકસ્મિક મૃત્યુ થઈ જવાના કિસ્સામાં તમારા પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. આ ઉપરાંત, કર સંબંધિત કાયદા તમને જે-તે પ્લાનમાંથી પ્રાપ્ત થતી આવક અને તમારા દ્વારા ચૂકવવામાં આવતાં પ્રીમિયમને કરમુક્તિ આપતાં હોવાથી તમારી કરપાત્ર આવક ઘટી જાય છે. એવી ઘણાં પ્રકારની જીવનવીમા પૉલિસી છે, જે વિવિધ પ્રકારના લાભ પૂરાં પાડે છે. યુલિપ જેવા કેટલાક પ્લાન તમારી બચતને વધારવામાં મદદરૂપ થાય છે
ભારતમાં કેટલીક જીવનવીમા પૉલિસીઓ પૉલિસીધારકને ઉત્તરજીવિતાના લાભ પૂરાં પાડે છે, જો પૉલિસીધારક પૉલિસીની મુદત પૂરી થયાં પછી પણ જીવિત રહે છે. ઉદાહરણ તરીકે પ્રીમિયમની પરત ચૂકવણીનો વિકલ્પ ધરાવતી ટર્મ ઇન્શ્યોરન્સ પૉલિસી, પાકતી મુદતે ઉત્તરજીવિતાના લાભ તરીકે પૉલિસીધારકે ચૂકવેલા તમામ પ્રીમિયમને પરત ચૂકવી દે છે. જોકે, પ્યોર ટર્મ પ્લાનમાં આવા કોઈ લાભ હોતા નથી.
પ્રીમિયમની ચૂકવણી નિયત તારીખ સુધીમાં થઈ જાય તે ખૂબ જ મહત્વનું છે, ખાસ કરીને ટર્મ ઇન્શ્યોરન્સમાં. કેટલીક જીવનવીમા કંપનીઓ આવી નિયત તારીખ બાદ 30 દિવસનો છુટનો સમયગાળો આપે છે. જો આ સમયગાળામાં પણ પ્રીમિયમની ચૂકવણી કરવામાં ન આવે તો, પૉલિસી બંધ થઈ જશે અને તમે તમારા રોકાણ સહિતના તમામ લાભ ગુમાવી દેશો. .
તમારી વીમાકૃત રકમ તમારું આકસ્મિક મૃત્યુ થઈ જવાની ઘટનામાં તમારા પરિવારના ભવિષ્યના ખર્ચાઓને આવરી લેતી હોવી જોઇએ. યોગ્ય રકમ પર પહોંચવા માટે અહીં નીચે જણાવેલા પરિબળો ધ્યાન પર લોઃ
યુલિપ એ એક સારો જીવનવીમા પ્લાન છે, કારણ કે, તે વીમા અને રોકાણનો બેવડો લાભ પૂરો પાડે છે.
જીવનવીમો તમને મનની શાંતિ આપે છે, કારણ કે તમને જાણતા હો છો કે, તમારું આકસ્મિક મૃત્યુ થઈ જવાની ઘટનામાં તમારા પરિવારની નાણાકીય સુરક્ષા પ્રભાવિત થશે નહીં. યુલિપ અથવા તો એન્ડોવમેન્ટ પ્લાન એ શ્રેષ્ઠ જીવનવીમા પ્લાન છે, કારણ કે, તે તમને વીમાની સાથે રોકાણનો પણ લાભ પૂરો પાડે છે, જે તમને સંપત્તિનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે.
જીવનવીમો એ કોઇપણ વયની, કોઇપણ વ્યવસાય કરી રહેલી વ્યક્તિ કે પરણિત/અપરણિત વ્યક્તિ સૌ કોઇના માટે જરૂરી છે. તે નાણાકીય સુરક્ષા પૂરી પાડવાની સાથે-સાથે તમારા લાંબાગાળાના લક્ષ્યો સુધી પહોંચવામાં મદદરૂપ થાય તેવા સાધનોમાં તમારા નાણાંનું રોકાણ કરવાની તક પણ પૂરી પાડે છે. એક નિવૃત્તિનો પ્લાન પણ તમને પૂરતી આવક રળી આપે છે, જે તમને નિવૃત્તિ પછીના વર્ષોમાં તમારું જીવનધોરણ જાળવી રાખવામાં મદદરૂપ થઈ શકે છે, જે આ જીવનવીમાને વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનાવી દે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ એ ભારતમાં શ્રેષ્ઠ વીમાકંપનીઓમાંથી એક છે, કારણ કે, તેના જીવનવીમા ઉત્પાદનો દરેક વ્યક્તિની જરૂરિયાતો અને જીવનના લક્ષ્યોને પૂરાં કરે છે. તેનું સંચાલન ટેકનોલોજીની મદદથી થતું હોવાથી તે જીવનવીમાને ઓનલાઇન ખરીદવાનું સમસ્યાઓથી મુક્ત અને સરળ બનાવી દે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફને જાહેર ક્ષેત્રની બે મોટી બેંકો - બેંક ઑફ બરોડા અને યુનિયન બેંક ઑફ ઇન્ડિયાનું સમર્થન પ્રાપ્ત છે. જે તેને એક વિશ્વસનીય કંપની બનાવે છે. .
જીવનવીમાના ક્લેઇમને વીમા કંપનીની શાખાએ દાખલ કરી શકાય છે, તેની વેબસાઇટ પર અપલૉડ કરી શકાય છે અથવા તો કંપનીને ક્લેઇમનો ઈ-મેઇલ કરી શકાય છે. જોકે, ક્લેઇમની પ્રક્રિયા હાથ ધરવા માટે અહીં નીચે જણાવેલા દસ્તાવેજો પૂરાં પાડવાના રહેશે. .
જો જરૂર પડે તો, વીમાકંપની આ સિવાયના વધુ કેટલાક પુરાવાઓ પણ માંગવાનો અધિકાર ધરાવે છે.